SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પપ લય-વિલય-પ્રલય બચ્ચાંને મારતી વખતે એક શિષ્ય કહ્યું : “આ બચ્ચાં કેટલાં સુંદર છે! આપણે આ ત્રણેને એક સપ્તાહ પછી મારવાનું રાખીએ તો?' બીજા શિષ્ય કહ્યું : “વાત મંજૂર છે, પણ શરત એ કે અઠવાડિયા પછી આ ત્રણે બચ્ચાંઓને મારી નાંખવાનું ચૂકવાનું નહીં. ગુરુજીની આજ્ઞા પાળવી જ રહી.” અઠવાડિયા પછી શિષ્યો ભૂંડાનાં બચ્ચાં પાસે ગયા. બચ્ચાં નિરાંતે કાદવકિચડમાં શાન્તિથી પડેલાં હતાં. એક શિષ્યની પાસે ધારદાર છરો હતો. જ્યારે બચ્ચાંની હત્યા કરવા માટે છરાવાળો શિષ્ય આગળ વધ્યો ત્યારે એ ત્રણમાંથી એક બચ્ચાએ મોટું ઊંચું કરીને શિષ્યોને કહ્યું : “મને મારી ન નાંખશો. મને આ રીતે જીવવાનું ગમે છે!” સહુ જીવોને પોતાના પ્રાણ પ્રિય છે. સહુ જીવો જીવવા ઇચ્છે છે. એટલે ભગવાને કહ્યું : “સર્વે નવા ઇતિબ્બા.', કોઈ જીવને મારવો નહીં... આ અહિંસાના ઉપદેશને કેન્દ્રમાં રાખી, જિનધર્મમાં એક-એક ધર્મક્રિયા બતાવવામાં આવી છે. સાધુ-સાધ્વી માટે પ્રતિદિન, અને શ્રાવક-શ્રાવિકા માટે પૌષધ-પ્રતિક્રમણ આદિ ક્રિયાઓમાં ‘ઈર્યાપથિકીપ્રતિક્રમણ કરવાનું હોય છે. જ્યારે જ્યારે બહાર જવા-આવવાનું થાય (પારિષ્ઠાપનાના કારણે, ભિક્ષા માટે, જિનમંદિર જવા માટે... વગેરે) ત્યારે આવીને સર્વપ્રથમ આ ઈર્યાપથિક-પ્રતિક્રમણ કરવાનું હોય છે. ચાલુ ભાષામાં કહે છે : “ઈરિયાવહિયા કરી લો.” આ પ્રતિક્રમણ એટલે પૃથ્વી પરના એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના બધા જ સૂક્ષ્મ-મોટા જીવોની ૧૦ પ્રકારની વિરાધના અજાણતાં થઈ ગઈ હોય તો તેનું “મિચ્છામિ દુક્કડું” દ્વારા પ્રતિક્રમણ કરાય છે. નીચે પ્રમાણે આ પ્રતિક્રમણ થાય છે : માર્ગમાં ચાલતાં જે કોઈ જીવવિરાધના થઈ હોય, તેનું અંતઃકરણની ભાવનાપૂર્વક પ્રતિક્રમણ કરું છું.' જતાં-આવતાં મારાથી બીજ, વનસ્પતિ, ઝાકળબિંદુઓ, કીડીનાં દર, પાંચ વર્ણની નિગોદ, કચું પાણી, કીચડ, મકડીનાં જાળાં વગેરે દબાયાં હોય. જતાં-આવતાં મારાથી જે કોઈ એકેન્દ્રિય જીવો, બેઈન્દ્રિય જીવો, તે ઇન્દ્રિય જીવો, ચઉરિન્દ્રિય જીવો કે પંચેન્દ્રિય જીવો દુઃખી થયા હોય, એટલે કે For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy