SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૩૩ અર્થાત્ એ અદ્ય છે, અભેદ્ય છે, અદાહ્ય છે અને અહન્ય છે. જે આત્મદર્શી બને છે તે મૃત્યુથી મુક્ત થઈ જાય છે. (આચારાંગ - ૧/૩૨) આ રીતે શાસ્ત્રો આત્માના અસ્તિત્વને અને સ્વરૂપને સમજાવે છે. પરંતુ વિષય-કષાયના અગનગોળા ક્ષણ - બે ક્ષણમાં શાસ્ત્રસરંજામનો ખુરદો બોલાવી દે છે, વિષય-કષાયના તુંડમિજાજીમાંથી છૂટેલાં તીક્ષ્ય બાણ જ્યારે વિદ્વાનની છાતી ચીરી નાંખે છે ત્યારે શાસ્ત્રોનું કવચ પોકળ નીકળે છે. માટે અત્યાર સુધી કર્મો સામે ઝઝૂમવા માત્ર શાસ્ત્રો લઈને, એના જ વિશ્વાસે નીકળી પડીને, આપણે જિંદગી આખી પસ્તાવો રહે એવી થાપ ખાધી છે. એટલે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : “શાસ્ત્રો તો તમને માત્ર દિશાજ્ઞાન જ આપશે.” વ્યાપાર સર્વશાસ્ત્રીનાં વિકમેવ દિ' આત્માનુભવમાં શાસ્ત્રોનું કોઈ પ્રયોજન રહેતું નથી. ત્યાં કોઈ વિકલ્પ નથી હોતા. ત્યાં માત્ર પ્રશમસુખનો જ અનુભવ હોય છે. સંસારસમુદ્રને તરી જવો છે? તો તે આત્માનુભવરૂપ લય જ તારી શકશે. 'पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ।' એટલે હવે આત્માનુભવરૂપ પ્રકૃષ્ટ લય (પ્ર-લય) અંગે આવતા પત્રોમાં લખીશ. કુશળ રહો. તા. ૮-પ-૯૮ દગુખશ્નર S For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy