SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra DE પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. એકાંત મૌ! www.kobatirth.org ૨૩. વળગણમુક્તિ અને અંતર્બોધ Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન! એકાંત જગામાં સ્થિરતાપૂર્વક સુખાસને બેસવું, એ ઇન્દ્રિયોના દેખીતા ધમપછાડાઓને ઘડીભર શાંત રાખવાનો રસ્તો છે. એકાંત હોય ત્યારે કાનને અને આંખને થોડોક જંપ વળે છે. આંખ મીચી શકાય છે, પણ કાન મીંચી શકાતા નથી. આંખ આક્રમક થઈ શકે, કાન હંમેશાં અનાક્રમક! આંખ પર દૃશ્યનો બળાત્કાર ન થઈ શકે, કાન પર ઘોંઘાટ કે અપશબ્દોનો પ્રહાર થઈ શકે. શરી૨ જંપી જાય ત્યારે મૌનયુક્ત એકાંતમાં શારીરિક આવરણો ઢીલાં પડે છે. પેટ હળવું હોય ત્યારે શરીરની તાણ ઓછી થાય છે. આવી શારીરિક તાણમુક્તિ મનની તાણમુક્તિ માટેની તૈયારી ગણાય. મનની કક્ષાએ તાણમુક્ત થવામાં મૌન, એકાંત, શાંતિ અને અંધારૂં ખૂબ જ સહાયરૂપ થાય છે, મનના ઉધામા ઓછા નથી હોતા. વિવિધતા અને અનેકતાનો લીલો ચારો ચરવામાંથી મન ઊંચું જ નથી આવતું. આ સૃષ્ટિમાં પાર વિનાની અનેકતા છે. એનું પદાર્થવૈવિધ્ય, વસ્તુવૈવિધ્ય, માનવવૈવિધ્ય, દશ્યવૈવિધ્ય, શ્રવણવૈવિધ્ય, સ્પર્શવૈવિધ્ય, રસવૈવિધ્ય, ગંધવૈવિધ્ય, વિચારવૈવિધ્ય અને ઘટનાવૈવિધ્ય આપણા મનમાં સતત ઠલવાતું જ રહે છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોના દરવાજામાંથી મનના મહાલયમાં જે કંઈ પ્રવેશે, તેના કારણે આપણે સતત અનેકતાના વિશાળ પ્રદેશમાં રમતા-ભમતા-જમતા રહીએ છીએ. મનને થોડી ક્ષણો માટે ન્યુટ્રલ ગિયરમાં મૂકીને વિવિધતાની-અનેકતાની લીલામાંથી બને તેટલું ખેંચી લઈને કંપી જવું, એ આત્માનુભવના ગર્ભદ્વારમાં પ્રવેશ પામવાની પૂર્વશરત છે. આમ કરતી વખતે મનને મારવાનું નથી, એની લગામ તાણીને ખેંચવાની નથી, પણ એને હળવી ટપલી મારીને બને એટલું નિષ્કપ-નિષ્પદ થવા દેવાનું છે. ચૈતસિક કક્ષાએ એક ડગલું આગળ જઈને વિચારોના દોડંદોડા સખણા For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy