SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક રાત અનેક વાત મોટા છો... તેથી મેં તમને મારા ગુરુ માન્યા છે અને હું તમારો શિષ્ય બન્યો વળી, આ સંબંધને આપણે દુનિયામાં ક્યાં જાહેર કરવો છે? આપણે બન્નેએ જ આ સંબંધ જાણવાનો છે. આપણે અહીં જ રહેવાનું છે અને ભાવસાધુતાને જીતવાની છે.” એટલે શું મારાં માતા-પિતા અને ગૃહવાસનો ત્યાગ કરવાની અનુમતિ નહીં જ આપે?” કુમાર, એમનો તમારા ઉપરનો મોહ પ્રગાઢ છે... તમે આટલા ઉપવાસ કર્યા... મૌન ધારણ કર્યું છે... એક સાધુની જેમ જ તમે ક્રિયાઓ કરો છો.. છતાં તેમનો મોહ દૂર નથી થયો. આ ઉપરથી મને લાગે છે કે તેઓ ગૃહવાસના ત્યાગની અનુમતિ નહીં આપે.' તો મારા ઉપવાસ આજીવન ચાલુ રહેશે...' શા માટે એવો આગ્રહ રાખવાનો કુમાર? આપણે તો ગૃહવાસ અને વનવાસને સમાન સમજવાના છે. ગૃહ અને વન વચ્ચે કોઈ ભેદ માનવાનો નથી. છેવટે સમતા યોગમાં જ સ્થિર થવાનું છે ને? સમતાયોગી બનીને અનંત અનંત કર્મોની નિર્જરા કરવાની છે. સર્વ કર્મોનો નાશ કરવાનો છે.. જેવી રીતે ગ્રહવાસ અને વનવાસને સમાન માનવાના છે, તેવી રીતે ભોજન અને ઉપવાસને પણ સમાન માનવાનાં છે, ભોજન કરીશ જ” એવો આગ્રહ ન જોઈએ, તેવી રીતે “ઉપવાસ જ કરીશ,” એવો આગ્રહ પણ ન જોઈએ. આત્મા મૂળ સ્વભાવે તો અણાહારી જ છે. આત્મા એના શુદ્ધ સ્વરૂપે આહાર ગ્રહણ જ નથી કરતો! આહાર ગ્રહણ કરે છે. શરીર, આહારની જરૂર છે શરીરને..' મને શરીર પર મમત્વ નથી, પછી શરીરને શા માટે આહાર આપવો?' “શરીર પર મમત્વરહિત યોગી, શરીરને મોક્ષમાર્ગની આરાધનાનું માત્ર સાધન માનીને તેને ટકાવવા માટે આહાર આપે છે, શરીરનું લાલન-પાલન કરવા માટે તે આહાર ન આપે. આત્મા પર લાગેલાં અનંત-અનંત કમનો નાશ કરવા માટે સાધના-આરાધના તો કરવી પડશે ને? એ આરાધના શરીરના માધ્યમથી સંભવ છે. એટલે શરીરને ટકાવવું આવશ્યક છે... અનાસક્તિ ભાવને કાયમ રાખવાનો છે. For Private And Personal Use Only
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy