SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 9 કલ્યાણમિત્ર : ધર્મેશ હું તમને મારા ગુરુ માનું છું... અને હું તમારો શિષ્ય બનું છું. આજીવન હું તમારી પાસે રહીશ.” મહાનુભાવ, ગુરુ-શિષ્યનો સંબંધ તો શ્રમણોમાં હોય, આપણે તો ગૃહવાસમાં છીએ.... વળી, ઉમરમાં તો તું મારાથી મોટો છે.. પછી આપણો ગુરુ-શિષ્યનો સંબંધ કેવી રીતે બને?' મહાત્મનું, સાધુવેશનું મહત્ત્વ “વ્યવહારનયની દૃષ્ટિએ મનાયેલું છે. નિશ્ચયનયની દૃષ્ટિએ સાધુતાના ભાવનું મહત્ત્વ જિનશાસનમાં બતાવાયેલું છે. દુનિયામાં વ્યવહારની પ્રધાનતા હોય છે. એટલે “સાધુવેશ”ની અનિવાર્યતા સમજે છે દુનિયા. જ્ઞાની પુરુષો નિશ્ચય-નયની મહત્તા સમજે છે. અર્થાત્ “ભાવ'ની પ્રધાનતા માને છે. જિનશાસનમાં બન્ને “નયમાન્ય થયેલા છે. સાધુવેશ ધારણ કરવાની તમારી પ્રબળ ભાવના છે, એટલે તમે વ્યવહારનયની ઉપેક્ષા નથી કરતા, તમે સાપેક્ષ ભાવ ધારણ કરેલો છે. નિશ્ચયનયથી તમારામાં સાધુતાનો ભાવ આવી ગયો છે. એટલે તમે ભાવ-સાધુ છો. માટે જ હું તમને મારા ગુરુ માનીશ અને હું તમારો શિષ્ય બનીને તમારા માટે નિર્દોષ આહાર લાવીશ પ્રતિદિન.” પરંતુ શ્રમણ તો કેશલુચન કરતા હોય છે... હું કેશલુંચન નથી કરતો....' “કેશલુંચન કરવા માત્રથી કોઈ સાધુ બની જતા નથી, એ તો એક વ્યવહારમાર્ગની ક્રિયા છે. વાસ્તવમાં તો આત્મામાં પડેલા કપાયોનું લંચન કરવાનું છે. કપાયો ઉપશાન્ત કરવાના છે. આત્મભાવમાં લીન બનવાનું છે. તમે આત્મભાવમાં લીન બનેલા છો.. એટલે ઘરમાં રહેવા છતાં તમે સાધુ જ છો. મારી વાત પર વિશ્વાસ કરજો કુમાર, હું તમને ખુશ કરવા તમારી ખુશામત નથી કરતો. હું તમારો કલ્યાણમિત્ર છું. તમારા આત્મહિતને જોનાર છું. મેં જે જિનમતનું અધ્યયન-મનન કરેલું છે, તેના આધારે હું વાત કરી રહ્યો છું. તમે ભાવ-સાધુ છો... એ નિઃશંક વાત છે. બીજી વાત તમે જે કહી-હું ઉંમરમાં તમારાથી મોટો છું તો તમારો શિષ્ય કેવી રીતે બની શકું? મોક્ષમાર્ગની આરાધનામાં ઉમરનું કોઈ મહત્ત્વ સ્વીકારાયેલું નથી. અહીં મહત્ત્વ છે જ્ઞાનનું અને ચારિત્રપર્યાયનું. મારા કરતાં તમને પહેલું આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને મારા કરતાં વહેલો ચારિત્રભાવ તમને પ્રગટ થયેલો છે. આ બન્ને દૃષ્ટિએ તમે મારાથી For Private And Personal Use Only
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy