SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ બાર પ્રકારની હિંસાઓ વળી ક્રિયાત્મક ધર્મ એ આવા જીવો માટે - રોકડા ખણખણતા ચાંદીના રૂપિયા જેવો-નક્કર ધર્મ છે. જીવે ખાવાની લાલસાનો દુષ્ટ ભાવ ત્યાગ્યો કે નહિ તેની શી ખબર પડે? પણ જો તેણે ત્રણ ઉપવાસ કે માસખમણ જેવો ઘોર તપ કર્યું તો નક્કી જ થઈ ગયું કે તેણે તે લાલસા ઉપર કાબૂ મેળવી લીધો છે. જીવે અંતરમાં સમભાવ સાધ્યો કે નહિ? તેની શી ખબર પડે? જો તે રોજ એક સામાયિક કરવાનો કટ્ટર આગ્રહી બન્યો હોય તો નક્કી જ થઈ ગયું કે તેને સમભાવ ખૂબ ગમવા લાગ્યો છે. જૈનધર્મની ક્રિયાઓ મન વિના –પરાણે-પોતાની જાતને મારી નાખીને કરી શકાતી નથી. એ એટલી કઠોર ક્રિયાઓ છે કે તેમાં મનની સાથે સમજૂતી અત્યાવશ્યક છે. બધા જ ધર્મો મોટી લાલચથી પણ કરી શકાતા નથી. શત્રુંજય તીર્થની ચોવિહાર છઠ કરીને સાત જાત્રાઓ કરવી એ શું કોઈ ખાવાના ખેલ છે? મુનિ-જીવન સ્વીકારીને દર વર્ષે બે વાર લોચ કરાવવો; હજારો કિલોમીટરનો પ્રવાસ ચાલીને જ કરવો એ શું દસ-વીસ હજારની લાલચથી પણ શક્ય છે? એટલે જ આ કષ્ટમય અને ત્યાગમય ધર્મારાધનાઓ જૈન ધર્મના વિકાસનો નક્કર માપદંડ છે. જેટલો આ ધર્મ વ્યાપે (અને ઊંડાઈ પામે) તેટલો જૈન-ધર્મનો વિકાસ કલ્પી શકાય, બેશક; આમાં જો જયણા અને વિધિની ગૌણતા થઈ જાય; સમજણની મોટી ખામી હોય તો તેવા ક્રિયાત્મક ધર્મોની બહુ પ્રશંસા કરવા જેવી નહિ; પરંતુ વર્તમાનકાળમાં પશ્ચિમના ઝેરી પવનોએ જે રીતે સર્વધર્મનાશની હોનારત સર્જી છે તે જોતાં તો એમ કહી શકાય કે હાલ તો જેવો તેવો પણ ક્રિયાત્મક ધર્મ જોશમાં ચાલુ જ રાખવો. નહિ તો, ધર્મગુરુઓની ટીકાની ઝડીઓથી પણ બાળજીવો એમના જેવાતેવા ધર્મનો ત્યાગ કરી દેશે. જ્યાં સુધી જીવોમાં વાસ્તવિક ધર્મનું આધાન થઈ શકે નહિ- ત્યાં સુધી ધર્મનું બાહ્ય કલેવર પણ ઊભું રાખવું. એક દિવસ કોઈ મહાપુરુષ અવતરશે, જે તેમાં પ્રાણ પૂરી દેશે. ક્રિયાત્મક ધર્મો શાસ્ત્રોથી જેટલા શીખાય છે તેના કરતાં એકબીજાની દેખાદેખીથી વધુ જલદી શિખાય છે. આથી જ આ ધર્મનો વ્યાપ પણ ખૂબ જરૂરી છે. તેમાં ઊંડાઈ ન આવી હોય તો પણ વર્તમાન દેશ-કાળમાં તેનો પણ પ્રચાર આવશ્યક છે. પશ્ચિમની ઝેરી જીવનશૈલીએ તીવ્ર ભોગરસ પેદા કર્યો છે તે આ ધર્મોનો નાશ
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy