SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ બાર પ્રકારની હિંસાઓ હનુમાનની માતા અંજનાએ ગર્ભગત હનુમાનને સરસ રીતે તૈયાર કરેલા તેની એને ખુમારી હતી. એને ક્ષત્રિયાણીનું દૂધ પાયું હતું તેથી તેના પરાક્રમ સંબંધમાં તેનો બહુ મોટો આંક હતો. એટલે જ જ્યારે સીતાજીને લંકાથી લાવવાનું કામ એકલા હનુમાને ન કર્યું અને તે માટે રામચંદ્રજીને ખુદને લંકા જવું પડ્યું ત્યારે એક વાર પોતાની પાસે હનુમાન આવતાં તેની ઉપર અકળાઈ જઈને અંજનાએ વાત્સલ્યમયી બનીને સ્તનમાંની દૂધની ધાર છોડી; જે પાસે જ પડેલા પથ્થર સાથે અથડાઈ; તે પથ્થરમાં તીરાડ પડી ગઈ! આ તીરાડ બતાવીને અંજનાએ હનુમાનને કહ્યું, “એશો દૂધ મેં તેરે કો પીલાયો, હનુમાન! તેં મેરો કુખ લજાયો.” શુકદેવ જેવો આત્મા તો પૂર્વજન્મનો મહાસંસ્કારી આત્મા હતો. જન્મ લઈને તેને એ જ ભવે અજન્મા થવું હતું. એવી ખાતરી પિતા વ્યાસ ન આપે કે તારી સાધનાની આડે અમે માબાપ નહિ આવીએ ત્યાંસુધી શુકદેવનો ગર્ભાભા માતાના પેટમાંથી બહાર આવતો ન હતો. એ ખાતરી મળતાં જ અડધા કલાકમાં માતાને પ્રસૂતિ થઈ. અને પેલા અષ્ટાવક્ર! ગર્ભમાં હતા ત્યારે વેદની ઋચાઓનો પાઠ કરતાં પિતાની થતી ભૂલોને તેણે વારંવાર કાઢી. પિતા ગુસ્સે ભરાયા. અલ્યા; હજી તો તારી માના પેટમાં છે અને બાપની ભૂલો કાઢવા બેઠો છે! લે, તને શાપ દઉં છું કે તારાં આઠેય અંગો વાંકાં થઈ જાઓ!' એ જ પળે એના આઠ અંગો વાંકાં થઈ ગયાં! આથી જ એ બાળકનું નામ અષ્ટાવક્ર પડયું. હવે તો વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને કબૂલ કર્યું છે કે અભિમન્યુ આદિની ગર્ભગત વાતો બધી એકદમ સંભવિત છે. એથી અમને પણ હવે ગર્ભથી જ સંતાન ઉપર કામ શરૂ કરી દેવાની ભાવના જાગ્રત થઈ છે. ઓ, માતપિતા બનનારાં ભાઈ-બેનો! તમે મહેરબાની કરીને તમારાં સંતાનોને વારસામાં આ ત્રણ વસ્તુ કદી ન આપતાં. (૧) તમે ધંધાદિના દેવાનું દુઃખ તેમને આપીને મરશો નહિ, (૨) અરે! ભલે કદાચ દેવાનું દુઃખ દેજો પણ તમારા શરીરના આનુવંશિક રોગો તો તેમના વારસામાં ઉતારશો જ નહિ. (૩) અરે! ભલે કદાચ તે રોગો પણ વારસામાં ઉતારજો પરંતુ કામ, ક્રોધ, અહંકાર આદિ દોષો તો વારસામાં ન જ આપી જતા. ન જ આપી જતા. તમારા મોક્ષ અને તમારી સદ્ગતિ કે મરણ સમાધિ માટે અનામ, અ-ક્રોધ ન બનો તો ય તમારા જે ખૂબ “વહાલા” છે, વહાલાંથી ય વહાલા છે તે પ્યારા સંતાનોના જીવન કામાંધ, ક્રોધાંધ વગેરે ન બની
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy