SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૩૭ જનરલને તેમણે આદેશ આપ્યો છે કે શાળામાંથી આ ગુનેગારીને હટાવી કાઢો. આને માટે મદદ કરવા બધી સરકારી શાખાઓને આદેશ દઈને પ્રમુખે શિક્ષકોને પણ શિસ્તની સ્થાપના કરવા સહકાર માટે વિનંતિ કરી છે. શિક્ષકોએ રોકડું પરખાવ્યું કે પ્રમુખે કલ્યાણ યોજનાઓમાં કાપ મૂકીને શિક્ષણ તથા વિદ્યાર્થીઓને અપાતી ગ્રાન્ટ તથા મદદ ઓછાં કર્યા છે. આના ઉપરથી ધ્યાન હટાવીને લોકો આ ગુનેગારીની ચિંતામાં પડી જાય એટલા માટે જ પ્રમુખે અતિશયોક્તિ સાથે પરિસ્થિતિનું ગંભીર ચિત્ર દોર્યું છે. ન્યુયોર્કમાં આજે ગુનેગારી ફાલીફૂલી છે. હિંસા, બળાત્કાર અને નાણાંભૂખને લઈને લોકો અનેક દુષ્કૃત્યો કરે છે. આવા સમાજમાં જે બાળકો ઊછેરે છે તેને આ બધી કુટેવોની અસર થાય છે, માટે હથિયારો લઈને ફરતા છોકરાઓ ઉપર જ દોષનો ટોપલો ઓઢાડી દેવો એ પણ વ્યાજબી નથી જે બાર, પંદર કે વીસની ઉંમરના છોકરાઓ મને મળ્યા તેઓ ઘણેભાગે દિશાશૂન્ય હતા. જે લોકો માટે તેમને માન હોવું જોઈએ કે જેઓને માન આપવાનું તેઓને કહેવામાં આવે છે તે પૈકીના, માતાપિતા, શિક્ષકો, નેતાઓ, પાદરીઓ અને એવા સમાજના અનેક મુરબ્બીઓના જીવનમાં તેમને એકવાક્યતા, પ્રામાણિકતા અને ચારિત્ર્યનાં દર્શન થતાં નથી. તેઓએ આપેલા બોધ અને શિખામણ પણ ઊલટસૂલટી હોય છે. વધુમાં ટેલિવિઝન તેમને એક રોગની જેમ લાગુ પડી ગયું છે. તેમાંથી ધ્રુજારી અને વિકૃત આનંદ મળે છે, પણ કોઈ સમસ્યાનો ઉકેલ મળતો નથી. એક શાળામાં જવાનું થયું અને ત્યાં સૌ પ્રથમ મુલાકાત જેની સાથે થઈ તે ગણવેશધારી રક્ષક હતો. જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ મારી કડક તપાસ થતી ગઈ. સરકારી ખજાનો કે ટંકશાળની મુલાકાતમાં જેવો અનુભવ થાય તેવો આ અનુભવ હતો. આખી શાળા કોઈ એક કેદખાના જેવી હતી. આની બૂરી અસર વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકો ઉપર થયા સિવાય રહેતી નથી. વધુમાં આ શિક્ષકોનો દરમાયો પણ અન્ય વ્યવસાયની બરોબરીમાં ઓછો હોવાથી ભારતના શિક્ષકોની જેમ તેઓ પણ પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવ્યા સિવાય રહેતા નથી. એની અસર શું થાય તેનો વિચાર કોઈ ક્યારેય કરતું નથી. કેટલાક કિશોરો સાથે મારે ખુલ્લેદિલ વાતચીત થઈ ત્યારે તેઓએ કહ્યું કે તેઓ હથિયાર રાખે છે પણ બચાવ માટે. ન્યુયોર્ક શહેર અસલામત ગણાય છે. આ માનવા જેવી વાત છે. પરંતુ વધારે ચિંતાજનક વાત એ છે કે વિદ્યાર્થીઓ આપસમાં
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy