SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૧૯ આવા સ્વાવલંબી જીવનની ભૂમિકા તૈયાર થાય એટલે માણસ “માણસ” (અંદરનો સાચો માણસ) બને. તે અત્યન્ત દયાળુ બને, અર્થ - પુરુષાર્થમાં ન્યાયનીતિપ્રિય બને અને કામ - પુરુષાર્થમાં એકદમ સદાચારી બને. જગતશાહની દયાળુતા, પુણીઆ શ્રાવકની નીતિમત્તા અને સીતા, પદ્મિની, સુદર્શન શેઠ, ભારતી વગેરેની સદાચારિતા આજે પણ લોકમુખેથી વિસરાતી નથી. રાજા ઋષભે બીજું જબરદસ્ત કામ એ કર્યું કે તેણે તે વખતની પ્રજાના ચાર કુળ પાડયા. ઉગ્નકુળ, ભોગકુળ, રાજન્યકુળ અને ક્ષત્રિયકુળ. હવે એ કુળોમાં જ અંદરઅંદર લગ્નાદિ વ્યવહાર થાય. પરન્તુ ઉગ્નકુળવાળો ભોગકુળાદિની સાથે આ વ્યવહાર કરી ન શકે. આમ કરવાની પાછળ રક્તશુદ્ધિની જાળવણી હતી. જે બધા ઉગ્ર મિજાજના હતા, તેઓ ભોગરસવાળાઓ સાથે રક્ત-મિશ્રણ કરે તો બેયનું સાં કર્ય થાય, બન્ને ભ્રષ્ટ થાય. રાષ્ટ્રરક્ષાદિ માટે ઉગ્રતાની જરૂર છે તેને સંકરિત થવા દઈને નબળી પડવા દેવાય નહિ. રક્તમાં જ પરંપરાગત જે સંસ્કારો અને શિક્ષણ મળે છે તે બીજા લાખ ઉપાય પણ મળતું નથી. આ સમજથી રાજા ઋષભે આવું અસાંત સ્થાપિત કર્યું હતું. આ જ અસાંકર્ય આગળ ઉપર જઈને વર્ણનું અને વૃત્તિનું અસાંકર્ય બન્યું. ચાર વર્ણો - બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર પડ્યા. આમાં ક્યાંય રક્તનું મિક્ષણ થતું નહિ. આથી બ્રાહ્મણોને વંશપરંપરાગત રીતે વિદ્યાર્જન, વિદ્યારક્ષણ, વિદ્યાસંવર્ધન સિદ્ધ થઈને રહેતું. એ રીતે ક્ષત્રિયોમાં રાષ્ટ્રરક્ષાદિનું શૌર્ય જન્મતઃ સહજ બનતું. વૈશ્યોમાં વેપારકોશલ સહજ રહેતું અને શુદ્રો અનેક પ્રકારનાં સાફસફાઈ વગેરે કાર્યોમાં અત્યન્ત કુશળ રહેતા. પ્રજાને અને દેશને આ બધી વાતની જરૂર છે. એકનો પણ અભાવ પોસાય તેવો નથી. આથી જ આ દરેક વર્ણ પોતપોતાના ક્ષેત્રમાં કે કર્મમાં એકસરખો મહાનું છે. કોઈ એકાન્ત ઉત્તમ નથી. એકાત્તે અધમ નથી. આથી જ ઋષિઓએ બ્રાહ્મણને મસ્તક (જ્ઞાન) સ્થાને, ક્ષત્રિયને છાતી (શૌર્ય)ના સ્થાને, વૈશ્યને બે હાથ (વેપારકરણ)ના સ્થાને અને શૂદ્રોને બે પગ (દોડધામ)ના સ્થાને મૂકીને દર્શાવ્યું છે કે કોઈના પણ અભાવમાં બધા તૂટી પડે. પગના સ્થાને શૂદ્રોને મૂકીને તો કમાલ કરી છે. તેઓ નીચેનું અંગ હોવા છતાં તેમનું મહત્ત્વ કેટલું બધું કે તેમના વિના બાકીના ત્રણ ઊભા જ ન રહી શકે!
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy