SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ બાર પ્રકારની હિંસાઓ અનિયત્રિત ધર્મ પરંપરયા સંસારનું કારણ બની જાય. જો ધર્મ જ - એકલો - ધર્મ સાધવાની તાકાત હોય તો તે આત્માએ અર્થ, કામનું બિલકુલ સેવન ક્યારેય પણ કરવું જોઈએ નહિ. પરંતુ જો તેવી તે આત્માની શક્તિ ન હોય તો તેણે ધર્મ, અર્થ અને કામનું એવી રીતે સેવન કરવું કે ત્રણમાંથી બેનું સેવન કરવાનો પ્રસંગ આવી પડે તો પછીનાનો ત્યાગ કરવો અને પૂર્વનું સેવન કરવું. કામ ત્યાગીને પણ અર્થોપાર્જન કરવું કામ અને અર્થ ત્યાગીને પણ ધર્મનું સેવન કરવું. ધર્મ પણ એ રીતે સેવવો કે તે ઊથલી ન પડે. અર્થ, કામનો અતિરેકવાળો ત્યાગ ક્યારેક વધુ મોટા ધર્મીના ધર્મને, અથવા તેના આશ્રિતોના ધર્મને ઉથલાવી નાખતો હોય છે રાજા ઋષભે સ્ત્રીઓને રાંધણ વગેરે ૬૪ કલા શીખવી જ્યારે પુરુષોને વેપાર વગેરે ૭૨ કળા શીખવી. આમ થવાથી આર્યાવર્તની મહાપ્રજાના અર્થ અને કામ પુરુષાર્થો, ધર્મની અભિમુખ વળે તેવા બન્યા. એટલે લોકો સામાન્ય ધર્મ પણ કરી શકવા લાગ્યા. આર્યાવર્તની મહાપ્રજા જ્યારે મોક્ષલક્ષી હોય અને ધર્મપક્ષી હોય ત્યારે તેનું જીવન સુદીર્ઘ બને, તેને આબાદી અને શાન્તિ હંમેશ મળે તે જરૂરી છે. તે બધી મોક્ષને અનુકૂળ ભૂમિકાઓ બને છે. આથી રાજા ઋષભે તે અંગે જે કંઈ વ્યવસ્થા જરૂરી હોય તે તમામ કરીને દીક્ષા લીધી. આદિ રાજા હવે આદિ સાધુ બન્યા. એક હજાર વર્ષની સાધનાના અત્તે તેઓ વીતરાગ - સર્વજ્ઞ - સત્યવાદી તીર્થંકર પરમાત્મા બન્યા. તેમણે ચતુર્વિધ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સંઘની સ્થાપના કરી. પોતાની પાટે ગણધરોને સ્થાપ્યા. ગણધરોની નીચે આચાર્યો, તેમની નીચે રાજાઓ, જગતશેઠો, શેઠીઆઓ વગેરે ગોઠવાયા. બેશક આચાર્યો ધર્મ અંગેના વડા હતા, છતાં પોતાની મર્યાદામાં રહીને તેઓ ધાર્મિક ક્ષેત્રે ઉપરાંત, આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના પણ વડા હતા. બાકી ધાર્મિક ક્ષેત્રમાં સીધા વડા જેમ આચાર્ય બન્યા, તેમ આર્થિક ક્ષેત્રમાં અને સામાજિક ક્ષેત્રમાં શેઠીઆઓ - શ્રેષ્ઠીઓ - વડા બન્યા. રાજકીય ક્ષેત્રમાં રાજા વડા બન્યા. આમાં નીચે નીચે જતો ક્રમ આ રીતે ગોઠવી શકાય. તીર્થકર, ગણધર, આચાર્ય, રાજા, નગરશેઠ જગતશેઠ વગેરે. કૌટુમ્બિક વડા, કુટુમ્બ, નોકરો, વગેરે. - ઉપરવાળાની આજ્ઞા ઈચ્છા પ્રમાણે નીચેનાએ ચાલવાનું. આ જ આર્યાવર્તની મહાવ્યવસ્થા હતી. નીચેવાળાની ઈચ્છા (મત = બહુમતી) પ્રમાણે ઉપરવાળાએ
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy