SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * હેત્વાભાસ-પ્રકરણ कारिकावली : अनैकान्तो विरुद्धश्चाप्यसिद्धः प्रतिपक्षितः । कालात्ययापदिष्टश्च हेत्वाभासास्तु पञ्चधा ॥७१॥ मुक्तावली : हेतुप्रसङ्गाद्धेत्वाभासान् विभजते - अनैकान्त इति । तल्लक्षणं यद्विषयकत्वेन ज्ञानस्यानुमितिविरोधित्वं तत्त्वम् । तथाहि व्यभिचारादिविषयकत्वेन ज्ञानस्यानुमितिविरोधित्वात्ते दोषाः । મુક્તાવલી : હેત્વાભાસ ઃ હેતુના પ્રસંગથી હેત્વાભાસનું નિરૂપણ મુક્તાવલીકાર કરે છે. જે હેતુવવામામતે ય: સ હેત્વામાસઃ । હેત્વાભાસ એટલે અસદ્વેતુ. જે વસ્તુતઃ હેતુ નથી પરન્તુ હેતુ જેવો લાગે છે તે હેત્વાભાસ કહેવાય. હેત્વાભાસ પાંચ છે : (૧) અનૈકાન્ત(વ્યભિચારી) (૨) વિરૂદ્ધ (૩) અસિદ્ધ (૪) સત્પ્રતિપક્ષિત અને (૫) કાલાત્યયાપદિષ્ટ (બાધિત). હેત્વાભાસ લક્ષણ : વૃદ્વિષયત્વેન જ્ઞાનસ્ય અનુમિતિવિરોધિત્વ તત્ત્વ હેત્વામાસત્વમ્ । આ લક્ષણમાંથી ‘T’ અને ‘ત્ત્વ' દૂર કરીએ તો દ્વિષયળ જ્ઞાન અનુમિતિવિરોધિ મ: હેત્વાભાસ: લક્ષણ થાય. વિરોધી એટલે પ્રતિબંધક. યદ્વિષયકજ્ઞાન અનુમિતિ-પ્રતિબંધક બને તે હેત્વાભાસ કહેવાય. (૧) વ્યભિચારવિષયક જ્ઞાન (વ્યભિચારનું જ્ઞાન) અનુમિતિને અટકાવે છે માટે વ્યભિચાર એ હેત્વાભાસ કહેવાય. (૨) બાવિષયક જ્ઞાન (બાધનું જ્ઞાન) અનુમિતિ થવા દેતું નથી માટે બાધ એ હેત્વાભાસ કહેવાય. આ રીતે વ્યભિચાર, બાધ, વિરોધ, અસિદ્ધિ, સત્પ્રતિપક્ષ એ પાંચ મુખ્ય હેત્વાભાસ છે, કેમકે આ બધાનું જ્ઞાન અનુમિતિ-પ્રતિબંધક બને છે. પર્વતો વદ્ધિમાન્ નતાત્ એવી અનુમિતિ કરવી હોય તે વખતે ‘જલ એ સાધ્યાભાવવવૃત્તિ છે, અર્થાત્ સાધ્ય વિના પણ રહેનારો છે' એવું વ્યભિચાર-જ્ઞાન થઈ જાય તો આ અનુમિતિ-જનક વ્યાપ્તિજ્ઞાન થઈ શકે નહિ માટે અનુમિતિ અટકી જાય. એટલે વ્યભિચાર એ હેત્વાભાસ કહેવાય. “ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૭૦)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy