SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ हेत्वधिकरणवृत्तिविशिष्टधर्मानवच्छिन्नव्यासज्यवृत्तिधर्मानवच्छिन्नप्रतियोगिता काभावाप्रतियोगिसाध्यसामानाधिकरण्यं व्याप्तिः । (૩) પૂર્વપક્ષ : હજી પણ લક્ષણની અવ્યાપ્તિ આવે છે. ઘટો મુળવાન્ દ્રવ્યવાત્। અહીં દ્રવ્યત્વ એ સદ્વેતુ છે. જયાં (દ્રવ્યમાં) દ્રવ્યત્વ હોય ત્યાં ગુણ હોય જ. હવે અહીં ઉક્ત વ્યાપ્તિ-લક્ષણ આ રીતે અવ્યાપ્ત થાય છે. હેતુ દ્રવ્યત્વ, હેત્વધિકરણ રક્ત ઘટ, એમાં વૃત્તિ અભાવ = પીતાદિ ગુણાભાવ. એ રીતે જો હેત્વધિકરણ પીત ઘટ લઈએ તો એમાં વૃત્તિ રક્તાદિ ગુણાભાવ થાય. જો હેત્વધિકરણ નીલ ઘટ લઈએ તો એમાં વૃત્તિ પીતાદિ ગુણાભાવ થાય. આમ ‘ચાલની’ ન્યાયથી હેત્વધિકરણવૃત્તિ અભાવ તે પીતગુણાભાવ, રક્તગુણાભાવ, નીલગુણાભાવ, શ્વેતગુણાભાવાદિ થયા. આ અભાવોનો પ્રતિયોગી પીત, રક્ત વગેરે ગુણ થયા, સાધ્ય પણ ‘ગુણ' જ છે. આમ સાધ્ય ગુણ એ હેત્વધિકરણવૃત્તિ અભાવ-પ્રતિયોગી બની જતાં વ્યાપક ન બન્યો, તેથી તેના સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ હેતુમાં ન જતાં લક્ષણની અવ્યાપ્તિ થઈ. ઉત્તર : સારું, આ દોષ અમે લક્ષણમાં થોડો પરિષ્કાર કરીને દૂર કરીશું. હેત્વધિકરણ જ્યારે નીલઘટ લો ત્યારે તેમાં પીતાદિ ગુણાભાવ ભલે છે પરન્તુ ગુણસામાન્યાભાવ તો નથી જ, કેમકે નીલઘટમાં નીલગુણ તો છે જ. એ જ રીતે હેત્વધિકરણ પીતઘટ લો ત્યારે તેમાં નીલાદિ ગુણાભાવ છે પણ ગુણસામાન્યાભાવ તો નથી જ, કેમકે પીતઘટમાં પીતગુણ તો છે જ. આમ હેત્વધિકરણ નીલઘટાદિમાં પીતાભાવ, નીલાભાવ, રક્તાભાવાદિ જરૂર મળી જાય પણ ગુણાભાવ તો નહિ જ મળે. હવે અહીં જે રક્તાદિનો અભાવ મળે છે તે રક્તાદિ પણ છે તો ગુણ જ. પરન્તુ રક્તાઘભાવ મળે છતાં ગુણાભાવ તો ન જ મળે એટલે પ્રતિયોગિતાવચ્છેદક રક્તત્વ-નીલત્વાદિ બને પણ ગુણત્વ તો ન જ બને. હવે સાધ્ય ગુણ છે માટે સાધ્યતાવચ્છેદક ગુણત્વ છે. અને રક્તાદ્યભાવના પ્રતિયોગી રક્તાદિ છે માટે પ્રતિયોગિતાવચ્છેદક રક્તત્વ, નીલત્વાદિ છે, અર્થાત્ ગુણત્વ જે સાધ્યતાવચ્છેદક છે તે પ્રતિયોગિતાવચ્છેદક નથી, અર્થાત્ પ્રતિયોગિતાનવચ્છેદક છે. એટલે આ વસ્તુસ્થિતિને લક્ષ્યમાં લઈને લક્ષણમાં અમે એવો પરિષ્કાર કરીશું કે હેત્વધિકરણવૃત્તિ અભાવનો અપ્રતિયોગી સાધ્ય એટલે હેત્વધિકરણવૃત્તિઅભાવીયપ્રતિયોગિતાનવચ્છેદક જે સાધ્યતાવચ્છેદક, તદવચ્છિન્ન જે સાધ્ય, એવા સાધ્યનું હેતુમાં જે સામાનાધિકરણ્ય તે જ વ્યાપ્તિ. પ્રકૃતમાં હવે અવ્યાપ્તિ નહિ આવે, કેમકે દ્રવ્યત્વરૂપ હેતુનું અધિકરણ નીલઘટાદિ, ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૮)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy