SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ આ જ્ઞાનથી તેમાં દૈશિક અપરત્વ ઉત્પન્ન થાય છે, અર્થાત્ વિવક્ષિત વસ્તુથી જે વ્યક્તિને ઘણાં મૂર્ત દ્રવ્યોનો સંયોગ હોય તે વસ્તુમાં પરત્વ ઉત્પન્ન થાય છે અને જે વસ્તુને તેનાથી જ જ ઓછા મૂર્ત દ્રવ્યોનો સંયોગ હોય તે વસ્તુમાં દૈશિક અપરત્વ ઉત્પન્ન થાય છે. આ કાશીની અપેક્ષાએ પાટલીપુત્રથી પ્રયાગ પર (દૂર) છે અને કુરૂક્ષેત્રની અપેક્ષાએ પાટલીપુત્રથી પ્રયાગ અપર (નજીક) છે. આમ પર અને અપર સાપેક્ષ સંજ્ઞા છે. તો ક, દૈશિક પરત્વ અને અપરત્વનું સમાયિકારણ તે તે દ્રવ્ય છે જેમાં તે ઉત્પન્ન થાય છે ખે છે અને અસમાયિકારણ દિશા સાથે દ્રવ્યાદિકનો સંયોગ છે. જે કાલિક પરત્વાપરત્વઃ સૂર્યના પરિસ્પદ = પરિભ્રમણના બાહુલ્યના જ્ઞાનથી કાલિક છે એ પરત્વનું અને અલ્પત્વના જ્ઞાનથી કાલિક અપરત્વનું જ્ઞાન થાય છે. સૂર્યના પરિભ્રમણ જે વસ્તુ ઉત્પન્ન થયા પછી અધિક થયા હોય તે વસ્તુમાં કાલિક પરત્વ ઉત્પન્ન થાય છે અને જે વસ્તુ ઉત્પન્ન થયા પછી ઓછા થયા હોય તેમાં કાલિકા અપરત્વ ઉત્પન્ન થાય છે અને તેઓ ક્રમશઃ જયેષ્ઠ અને કનિષ્ઠ તરીકે ઓળખાય છે. આ કાલિક પરત્વાપરત્વ જન્ય એવા ઘટ-પટાદિમાં જ સંભવે છે પણ નિત્ય દ્રવ્યોમાં સંભવતું નથી. મા કાલિક પરત્વ અને અપરત્વનું સમવાયિકારણ તેનું આશ્રય દ્રવ્ય છે અને છે આ અસમાયિકારણ તે દ્રવ્ય અને કાળનો સંયોગ છે. જ અપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન થવાથી પરત્વ કે અપરત્વ ઉત્પન્ન થાય છે અને અપેક્ષાબુદ્ધિનો છે નાશ થતાં તે પરત્વાપરત્વ પણ નાશ પામે છે. જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૦) જ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy