SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ( દ્વિતીય સ્થિતિક્ષણ હોવાથી તે નાશ તો પામશે જ નહીં અને તેથી ત્યારપછીની ક્ષણે છે છે. રક્તરૂપ પણ ઉત્પન્ન કરી દેશે. આમ રક્તરૂપના ઉત્પાદક અગ્નિસંયોગને યામરૂપનો જ નાશક માનવો જોઈએ. આમ કરવાથી શ્યામનાશક અને રક્તોત્પાદક જુદા જુદા અગ્નિસંયોગ માનવાના બદલે એક જ અગ્નિસંયોગને રક્તોત્પાદક અને શ્યામનાશક : માનવા માત્રથી કાર્ય ચાલી જતું હોવાથી એક અગ્નિસંયોગ ઓછો માનવાનું લાઘવ પણ થશે. આમ રક્તોત્પાદક જે અગ્નિસંયોગ છે તે જ શ્યામરૂપનાશક છે માટે બંને જુદા માનવાની શી જરૂર છે ? - વૈશેષિક : જો રક્તપાદક અગ્નિસંયોગને જ શ્યામનાશક માનવામાં આવે તો એ છે. રક્તર, રક્તતમ વગેરે પ્રતીતિ થશે નહીં, કેમકે જે રક્તોત્પાદક છે તે જ તમારા મતે છે છે તો શ્યામનાશક છે, તેથી અગ્નિસંયોગે પોતાની બે ક્ષણના કાળમાં પ્રથમ ક્ષણમાં છે શ્યામનાશ કર્યો અને બીજી ક્ષણમાં રક્તોત્પત્તિ કરી. હવે ત્રીજી ક્ષણ તો તેની સ્થિતિ છે છે જ નહીં, માટે રક્તતર, રક્તતમ વગેરે રૂપનો ઉત્પાદ તો નહીં થઈ શકે ને ? આ તે સામાન્યતઃ ઘટમાં પ્રથમ રક્તરૂપ થાય છે, પછી રક્તસર, રક્તતમ વગેરે ઉત્પન્ન ન થાય છે. પણ અહીં તો અગ્નિસંયોગ રક્તરૂપને જ ઉત્પન્ન કરીને નાશ પામી ગયો, મા તેથી ત્યાં હવે રક્તતર કે રક્તતમ રૂપ ઉત્પન્ન ન થવાની આપત્તિ આવશે. આ તેથી જે અગ્નિસંયોગ રક્તરૂપોત્પાદક છે તેને જ શ્યામનાશક મનાય નહીં, અર્થાત્ એ શ્યામનાશક અગ્નિસંયોગ રક્તાધુત્પાદક નથી અને રક્તાઘુત્પાદક અગ્નિસંયોગ છે છે. શ્યામનાશક પણ નથી, પરંતુ શ્યામનાશક અને રક્તાધુત્પાદક અગ્નિસંયોગો પરસ્પર છે ન ભિન્ન જ છે તેમ સિદ્ધ થાય છે. मुक्तावली : अथ परमाण्वन्तरे कर्मचिन्तनात् पञ्चमादिक्षणेऽपि गुणोत्पत्तिः । * तथाहि-एकत्र परमाणौ कर्म, ततो विभागः, तत आरम्भकसंयोग नाशपरमाण्वन्तरकर्मणी, ततस्तु द्वयणुकनाशः, परमाण्वन्तरकर्मजश्च विभाग - इत्येकः कालः १. ततः श्यामादिनाशो विभागाच्च पूर्वसंयोगनाश इत्येकः । कालः २. ततो रक्तोत्पत्तिर्द्रव्यारम्भकसंयोगश्चेत्येकः कालः ३. अथ द्वयणुकोत्पत्तिः ४. ततो रक्तोत्पत्तिः ५. इति पञ्चक्षणा । જ અત્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૪) રાજા રાજ કપ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy