SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે. જ્યારે ઘટમાં નીલરૂપને રહેવાનો સમવાયસંબંધ ઉત્પન્ન થાય છે ત્યારે નીલરૂપ છે થી ઉત્પન્ન થયાની પ્રતીતિ થાય છે અને જ્યારે તે સમવાયસંબંધ નાશ પામી જાય છે ત્યારે પર નીલરૂપ નાશ પામ્યું હોય તેવો ભ્રમ થાય છે અને રક્તવર્ણનો સમવાયસંબંધ ઉત્પન્ન જ થવાથી રક્તવર્ણ ઉત્પન્ન થયો હોય તેવો ભ્રમ થાય છે. બાકી હકીકતમાં તો નીલરૂપ, આ રક્તરૂપ વગેરે એક જ છે, નિત્ય છે, સર્વત્ર રહેલા છે. જ્યારે સમવાયસંબંધ ઉત્પન્ન કે નષ્ટ થાય છે ત્યારે તે તે રૂપ નાશ પામતું કે ઉત્પન્ન થતું હોય તેવી પ્રતીતિ થાય છે જ છે. અને તેથી જ એક નીલઘટ નાશ પામવાથી માત્ર ઘટમાં રહેલો નીલ-સમવાય નાશ પામ્યો હોવાથી અન્ય સ્થાને નીલરૂપ રહી જ શકે છે અને તેથી જગતમાં નીલ-પદાર્થોનો છે અભાવ થવાની આપત્તિ આવતી જ નથી. નયાયિક: નીલસમવાય નાશ પામ્યો અને રક્તસમવાય ઉત્પન્ન થયો તેવી પ્રતીતિ છે જ ક્યાં કોઈને થાય છે? વળી સમવાયસંબંધ તો એક અને નિત્ય છે, તેનો ઉત્પાદ અને આ વિનાશ સંભવી જ શી રીતે શકે ? * मुक्तावली : न च स एवायं नील इति प्रत्यक्षबलाल्लाघवाच्चैक्यमिति वाच्यम्, उक्तप्रत्यक्षस्य तज्जातीयविषयकत्वात् सैवेयं गुर्जरीतिवत् । लाघवं तु प्रत्यक्षबाधितम्, अन्यथा घटादीनामप्यैक्यप्रसङ्गात् । उत्पादविनाशबुद्धेः समवायालम्बनत्वापत्तेरिति । एतेन रसादिकमपि व्याख्यातम् । - મુક્તાવલી : શંકાકાર : નીલવર્ણ નાશ પામ્યા પછી ફરીથી ઉત્પન્ન થયેલા નીલરૂપમાં ‘આ તે જ નલ છે તેવી પ્રતીતિ તો આપણને થાય જ છે ને ! જો નીલરૂપ આ એક જ ન હોય તો આવી પ્રતીતિ થાય શી રીતે ? દીપકની જ્યોત પ્રત્યેક ક્ષણે આપણને આ મા એક જ હોય તેવી જણાય છે. તેથી માનવું જ પડે કે પ્રત્યેક ક્ષણે તેનું ભાસ્વર-શુક્લાદિ ( રૂપ હાજર જ છે. પણ તેના સમવાયનો ઉત્પાદ અને નાશ થાય છે અને તેથી જ છેઆપણને જ્યોત એની એ જ હોય તેવી પ્રતીતિ થાય છે. વળી નીલરૂપ, પીતરૂપ વગેરેને અનેક માનવાને બદલે એક જ માનવામાં લાઘવ છે પણ છે. તેથી લાઘવાતુ નીલાદિ તમામ રૂપને એકેક જ માનવા જોઈએ. નૈયાયિક: “આ તે જ નીલ છે તેવી બુદ્ધિ થવા માત્રથી નીલાદિ રૂપને એક ન જ મનાય, કેમકે પૂર્વના નીલરૂપ અને પછીના નીલરૂપમાં સામેશ્ય હોવાથી જ “આ તે જ નીલ છે તેવી બુદ્ધિ થાય છે. બંનેમાં એક જ જાતિ રહી હોવાથી આવું પ્રત્યભિજ્ઞા જ્ઞાન ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૦૧૩) 8 0 0 0 0 0
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy