SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ જ વગેરે જાતિ પણ પ્રત્યક્ષસિદ્ધ છે. * मुक्तावली : न चैकैका एव नीलरूपादिव्यक्तय इत्येकव्यक्तिवृत्तित्वान्नील* त्वादिकं न जातिरिति वाच्यम्, नीलो नष्टो रक्त उत्पन्न इत्यादिप्रतीते र्नीलादेरुत्पादविनाशशालितया नानात्वात्, अन्यथा एकनीलनाशे जगद् । अनीलतामापद्येत । મુક્તાવલી : શંકાકાર : આખા વિશ્વમાં નીલવર્ણ તો એક જ છે. તે રીતે પીતરૂપ, જ રક્તરૂપ વગેરે પણ બધા એક એક જ છે. અને એક વ્યક્તિવૃત્તિ કદાપિ જાતિ બની શકતી નથી. રમે જાતિબાધક એક વ્યક્તિમાં જાતિ માનવા દેતો નથી, તેથી નલત્વ, ક પીતત્વ. રક્તત્વ વગેરેને જાતિ માની શકાય નહીં, એ તૈયાયિક ઃ જો નીલ, પીત, રક્ત વગેરે એક એક જ વર્ણ હોય તો તો નીલત્વાદિને આ જાતિ ન જ મનાય, પરંતુ કોણે કહ્યું કે આખા વિશ્વમાં નીલવર્ણ એક જ છે? જો નીલવર્ણ છે. નિ એક જ હોત તો “શ્યામ રંગ નાશ પામ્યો અને લાલ રંગ ઉત્પન્ન થયો તેવી પ્રતીતિ છે છે જે થાય છે તે કદાપિ થઈ શકે નહીં. આ પ્રતીતિ તો જણાવે છે કે નીલાદિ વર્ણો નાશ પામે છે અને ઉત્પન્ન પણ થાય છે. અને જે વખતે નીલવર્ણ એક ઘટમાં નાશ પામ્યો હોય છે ત્યારે અન્ય ઘટમાં જોવા પણ મળે જ છે. હવે જો નીલવર્ણ એક જ હોય તો તે જ એક ઘટમાં નીલવર્ણનો નાશ થતાં અન્ય ક્યાંય નીલવર્ણ રહેવો જોઈએ નહીં, કેમકે આ નીલવર્ણ તો એક જ છે ને ? આમ નીલવર્ણને એક માનતાં એક નીલ-ઘટનો નાશ થતાં તમારે જગતમાં તમામ નીલ-પદાર્થોનો નાશ માનવાની આપત્તિ આવશે. અત્યાર સુધીમાં તો ઘણાં નીલ-પદાર્થોનો નાશ અનુભવાયો છે તે શી રીતે? અને નીલ-પદાર્થના કા નાશનો અનુભવ થયો હોવાથી હવે જગતમાં કોઈ નીલ વસ્તુઓ હોવી જ ન જોઈએ, જે આ પણ ઘણી નીલ વસ્તુઓ દેખાય તો છે જ. તેથી “નીલવર્ણ આખા જગતમાં એક જ છે અને છે તેમ શી રીતે મનાય ? मुक्तावली : न च नीलसमवायरक्तसमवाययोरेवोत्पादविनाशविषयकोऽसौ * प्रत्यय इति वाच्यम्, प्रतीत्या समवायानुल्लेखात् । - મુક્તાવલી: શંકાકાર : નીલવર્ણ તો આખા જગતમાં એક જ છે, પરંતુ નીનો નણો છે જે સત્પન્ન વગેરે બુદ્ધિ જે થાય છે તે સમવાયસંબંધના ઉત્પત્તિ અને નાશના કારણે થાય છે 0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૧૨) કે જો
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy