SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંયોગ છે, મનનો રસનેન્દ્રિય સાથે સંયોગ છે અને આત્માનો મન સાથે સંયોગ છે તેમ છેમાનવું જ પડે. જો તેમ ન હોય તો મીઠાશનું રાસનપ્રત્યક્ષ થાય જ નહીં. આ છે હવે તે જ વખતે વિષય સાથે સ્પર્શેન્દ્રિયનો કે ધ્રાણેન્દ્રિયનો સંયોગ પણ છે જ. વળી જ આત્મા સર્વવ્યાપી હોવાથી રસનેન્દ્રિય સાથે સંયોગવાળા મનની સાથે પણ તેનો સંયોગ છે જ, છતાં તે વખતે સ્પાર્શન કે પ્રાણજ પ્રત્યક્ષ થતું નથી, માટે માનવું પડે કે ઈન્દ્રિયઆ વિષયસંયોગ અને આત્મ-મનઃસંયોગ હાજર હોવા છતાં અન્ય કોઈક કારણ ગેરહાજરી એ છે કે જેના કારણે પ્રાણજાદિ-પ્રત્યક્ષ થતું નથી. તે અન્ય કારણ ઈન્દ્રિયમનઃસંયોગ છે છે કે જેની ગેરહાજરી છે. આમ જે સમયે રાસનપ્રત્યક્ષ થાય છે ત્યારે ધ્રાણેન્દ્રિય અને મનના સંયોગની, સ્પર્શેન્દ્રિય અને મનના સંયોગની, ચક્ષુરિન્દ્રિય અને મનના સંયોગની છે છે ગેરહાજરી છે માટે પ્રાણજ, સ્પાર્શન કે ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી તેમ માનવું પડે. છે છે પણ જો મન પણ સર્વવ્યાપી વિભુ હોય અને અણુ ન હોય તો તેનો સદાય બધી જ છે ઈન્દ્રિયો સાથે સંયોગ રહેવાનો જ. અને તો તો રાસનપ્રત્યક્ષ-સમયે જ ચાક્ષુષાદિ પ્રત્યક્ષ આ પણ થવું જ જોઈએ, પણ થતું તો નથી તે અનુભવસિદ્ધ વાત છે, માટે મનને સર્વવ્યાપી છે કે વિભુ દ્રવ્ય માની શકાય નહીં. આમ એકીસાથે અનેક ઈન્દ્રિયથી પ્રત્યક્ષ જ્ઞાન થતું ન હોવાથી મનને વિભુ માની શકાય નહીં. मुक्तावली : न च तदानीमदृष्टविशेषोद्बोधकविलम्बादेव तज्ज्ञानविलम्ब इति वाच्यम्, तथा सति चक्षरादीनामप्यकल्पनापत्तेः । - મુક્તાવલી : શંકાકાર : મન વિભુ નથી માટે યુગપતુ = એકીસાથે અનેક ઇન્દ્રિયથી જ - પ્રત્યક્ષ જ્ઞાન થતા નથી તેમ ન કહેવાય. મન તો વિભુ જ છે અને તેથી જયારે બધી ઇન્દ્રિયો સાથે વિષયસંયોગ છે ત્યારે ઈન્દ્રિય-મનઃસંયોગ અને આત્મ-મનઃસંયોગ પણ એ હાજર જ છે, પરંતુ તે વખતે રાસનપ્રત્યક્ષ થાય તેવું અદષ્ટ હાજર છે તેથી રાસનપ્રત્યક્ષ અને મા થાય છે, પણ અન્ય પ્રત્યક્ષ થતાં નથી. તેથી ઉદ્ધોધક તરીકે જેવું અદષ્ટ હાજર હોય છે તેના અનુસાર તે તે પ્રત્યક્ષ થાય. તેથી જયારે પ્રાણજપ્રત્યક્ષ કરાવનાર અદષ્ટ હાજર છે હશે ત્યારે ઘાણજપ્રત્યક્ષ થશે પણ અન્ય પ્રત્યક્ષ નહીં થાય. માટે એક સમયે એકથી વધારે છે જ પ્રત્યક્ષ-જ્ઞાન ન થતું હોય તો તેટલા માત્રથી મન વિભુ નથી તેમ ન મનાય, કેમકે છે. હકીકતમાં તો મન વિભુ જ છે. છે. છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૯૩) િ .
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy