SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ssssssssssss ss costobocbarchabstados actobaccorchas bobatoocadacto ૧ એટલે કારણતાવચ્છેદક અનેકદ્રવ્યત્વત્વ બને જે જાતિ નથી અને મહત્ત્વ (મહત્પરિમાણ)ને કારણ માનતા તે મહત્ત્વ ગુણમાં રહેલી મહત્ત્વત્વ જાતિ જ કારણતાવચ્છેદક બની જાય છે જેમાં લાઘવ છે. (૨) ઉપસ્થિતિકૃત લાઘવઃ કોઈપણ કાર્યની ઉત્પત્તિમાં તે કાર્યનો પ્રાગભાવ કારણ ) છે. તે નિયમ મુજબ રૂપકાર્યોત્પત્તિમાં રૂપપ્રાગભાવ કારણ બને. પણ જ્યાં રૂપકાર્યોત્પત્તિ થવાની છે ત્યાં તે કાર્યોત્પત્તિમાં પૂર્વે જેમ રૂપનો પ્રાગભાવ છે તેમ રસનો પણ પ્રાગભાવ છે. તો પછી રૂપકાર્યોત્પત્તિ પ્રત્યે રૂપપ્રાગભાવને જ કારણ કહેવું અને ! રસપ્રાગભાવને કારણ કેમ ન કહેવું ? એનો ઉત્તર એ છે કે રૂપકાર્યોત્પત્તિને વિચારતી વખતે રૂપની તો ઉપસ્થિતિ થયેલી જ છે. હવે તેના કારણમાં માત્ર પ્રાગભાવની જ ઉપસ્થિતિ કરવાની રહી. જ્યારે રૂપકાર્યોત્પત્તિમાં રસપ્રાગભાવને કારણ કહીએ તો રસની અને પ્રાગભાવની એમ બે ઉપસ્થિતિ કરવી પડે. આથી શીધ્રોપસ્થિતિ ન થાય. આમ રૂપકાર્યોત્પત્તિ પ્રત્યે | રૂપપ્રાગભાવની કારણતા શીઘ ઉપસ્થિત થાય છે માટે તેમાં ઉપસ્થિતિકૃત લાઘવ છે, જે લાઘવ રસપ્રાગભાવની કારણતામાં શીધ્રોપસ્થિતિ ન થવાથી નથી, કિન્તુ ત્યાં ગૌરવ છે. માટે ઉપસ્થિતિથી લઘુભૂત રૂપપ્રાગભાવ વડે ઉપસ્થિતિથી ગુરુભૂત રસપ્રાગભાવ | અન્યથાસિદ્ધ થઈ જાય. પ્રસ્તુતમાં આકાશમાં ઘટકાર્ય પ્રત્યે ઉપસ્થિતિકૃત લાઘવનો અભાવ છે, કેમકે શબ્દ પ્રત્યે આકાશની પૂર્વવૃત્તિતા ઉપસ્થિત થયા બાદ ઘટ પ્રત્યે આકાશની પૂર્વવૃત્તિતા ઉપસ્થિત થાય છે. આમ અહીં શીધ્રોપસ્થિતિના અભાવને લીધે આકાશમાં અવશ્યક્યુપ્તત્વ લધુત્વ) ન હોવાથી અર્થાત્ તે અવશ્યકલુપ્તથી ભિન્ન હોવાથી પાંચમા અન્યથાસિદ્ધમાં સમાઈ જાય છે. (૩) સંબંધકૃત લાઘવ : દંડત્વ, દંડરૂપ કે કુલાલ-પિતાને ઘટ પ્રતિ કારણ માનીએ તો તેમાં સંબંધકૃત ગૌરવ આવે, કેમકે દંડત્વનો આશ્રય દંડ, તે દંડ સ્વાશ્રયજન્યભ્રમિવત્તા સંબંધથી ઘટ પ્રતિ કારણ બને. જયારે દંડને કારણ માનવામાં આટલો લાંબો સંબંધ માનવો પડતો નથી. ત્યાં તો સ્વજન્યભ્રમિવ7 સંબંધ જ કહેવાનો રહે છે. આ જ રીતે દંડરૂપને કારણ માનવા કરતાં દંડને કારણ માનવામાં સંબંધકૃત લાઘવ છે. એ | જ રીતે કુલાલ-પિતાને કારણ માનવા કરતાં કુલાલને કારણ માનવામાં લાઘવ છે. આથી | દિંડત્વ, દંડરૂપ, કુલાલ-પિતા એ સંબંધકૃત ગૌરવથી ગ્રસ્ત હોવાથી અવશ્યલૂપ્ત = લઘુ ! ન રહ્યા, અર્થાત્ નિયતપૂર્વવતિ હોવા છતાં અવશ્યલૂપ્ત નિયતપૂર્વવર્તિથી ભિન્ન વાચસિદ્ધાનમુક્તાવલી ભાગ-૧૦ (૮) :
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy