SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Exx ewtwowcows wowwwwxdxdowsadowxowbon chocstortastatastartotoxsaxtastroloooooooooooooooostxsxsastoconsortatoxstorstorstarstansatoastres constat starts પ્રશ્ન : વાયુમાં રૂપનો અભાવ ત્રણે કાળમાં મળે માટે તે અત્યંતભાવ તો નિત્ય કહેવાય. પણ મૂતને ઘટો નાતિ આ સ્થાને ભૂતલ ઉપર ઘટનો જે અત્યંતાભાવ છે તે | નિત્ય કેમ કહેવાય, કેમકે ઘટ આવ્યા પછી અત્યંતાભાવનો ત્યાં નાશ થાય છે. અને જો ત્યાં ઘટ આવ્યા પછી અત્યતાભાવનો નાશ ન થાય તો તો પૂર્વે કહ્યું તેમ ઘટવ૬ ભૂતલ સ્થાને ઘટાભાવવધૂ ભૂતલની પ્રતીતિ થવાની આપત્તિ આવશે, કેમકે ત્યાં નિત્ય ઘટાભાવ છે, નિત્ય સ્વરૂપસંબંધ છે અને ભૂતલ પણ છે. ઉત્તર : સમવાયના પ્રકરણમાં આ પ્રશ્નનું સમાધાન કર્યું છે છતાં અહીં ફરી ટૂંકમાં જણાવવાનું કે જ્યાં ભૂતલ ઉપરથી ઘટ દૂર કરવામાં આવ્યો અને પછી પાછો લાવવામાં | આવ્યો ત્યાં ઘટાભાવવદ ભતલની બુદ્ધિ નહિ થાય. કેમકે તે વખતે ઘટકાળનો જે ભતલ રૂપ સ્વરૂપસંબંધ છે તે ઘટાભાવવત્ ભૂતલ એવી બુદ્ધિ માટે ઘટતો (ઉપયોગી) નથી. એટલે ઘટાભાવ નિત્ય હોવા છતાં ઘટાભાવવત્ ભૂતલ એવી બુદ્ધિકાલીન ભૂતલરૂપ સ્વરૂપસંબંધ ન હોવાથી તે વખતે ઘટાભાવવત્ ભૂતલ એવી બુદ્ધિ નહિ થાય. એટલે ઘટાચંતાભાવને નિત્ય માનવામાં કોઈ આપત્તિ નથી. કેટલાક નૈયાયિકો ઉપરની આપત્તિને ટાળવા માટે ભૂતલ પર ઘટાભાવને અનિત્ય માને છે, અર્થાત્ આ અભાવને ઉત્પાદ-વિનાશશાલી એવો ચોથો સંસર્ગાભાવ માને છે. એમના મતે વાયુમાં રૂપાભાવ એ નિત્ય અત્યંતાભાવ કહેવાય છે અને આ ઉત્પાદવિનાશશાલી અભાવને સામયિક અભાવ પણ કહેવાય છે. मुक्तावली : अत्र ध्वंसप्रागभावयोरधिकरणे नात्यन्ताभाव इति प्राचां मतम्। श्यामघटे रक्तो नास्ति रक्तघटे श्यामो नास्तीति धीश्च प्रागभावं ध्वंसं चावगाहते न तु तदत्यन्ताभावं तयोविरोधात् । नव्यास्तु तत्र विरोधे मानाभावात् ध्वंसादिकालावच्छेदेनाप्यत्यन्ताभावो वर्तत इत्याहुः । - મુક્તાવલી : જે ધ્વંસ કે પ્રાગભાવનું અધિકરણ હોય તે અત્યંતાભાવનું અધિકરણ | ન બની શકે એવો પ્રાચીનોનો મત છે. નવ્ય : તો પછી જે શ્યામ ઘટમાં રક્તનો પ્રાગભાવ છે અને અગ્નિમાં લાલ થયેલા જે રક્ત ઘટમાં શ્યામનો ધ્વસાભાવ છે ત્યાં મોટે રો નાતિ અને જીદે સ્થાનો | નાતિ એવી અત્યંતાભાવની પ્રતીતિ શી રીતે થાય છે? પ્રાચીનઃ વસ્તુતઃ આ પ્રતીતિ ધ્વસાભાવ અને પ્રાગભાવની જ છે, અત્યંતાભાવની ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (બ) “来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy