SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ costosowasewdoostustascos casos descascadastro stosowodoodoodoo oxstowsbastustostaxstostarstustustustest vastustaxtonestolth ૐૐૐૐૐૐૐૐૐૐૐૐને આવે? દ્રવ્યમાં રહેનારો દ્રવ્યત્વ ધર્મ જ આવે. માટે કાર્યસમાયિકારણતાવચ્છેદક તરીકે દ્રવ્યત્વ જાતિ અનુમાનથી સિદ્ધ થઈ જાય છે. અથવા સંયોગકાર્યની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે અથવા તો વિભાગકાર્યની સમાયિકારણતાના અવચ્છેદક તરીકે દ્રવ્યત્વ જાતિની સિદ્ધિ થશે. ટિપ્પણ : આ મુખ્ય પ્રશ્ન છે. હવે જો અનુમાનથી દ્રવ્યત્વ જાતિ સિદ્ધ કરવા માટે | અનુમાન કરીએ કે “વ્યત્વે વ્યનિષ્ઠમ તો અહીં આશ્રયાસિદ્ધિ, પક્ષાસિદ્ધિ દોષ આવે, કેમકે દ્રવ્યત્વ જ હજી સિદ્ધ નથી. એટલે હવે અનુમાન એવું કરવું જોઈએ કે જે દ્રવ્યત્વરૂપ પક્ષ(ધર્મી)નો ઉલ્લેખ કર્યા વિના પણ દ્રવ્યત્વને સિદ્ધ કરી આપે. (ઈશ્વરકર્તુત્વવાદમાં પણ “fક્ષત્યાતિ સર્જી' એ અનુમાન આવું જ ધર્મીગ્રાહક અનુમાન હતું. એટલે હવે દ્રવ્યત્વનું નામ લીધા વિના જ દ્રવ્યત્વની (જાતિની) સિદ્ધિ કરવાની રહી. જ્યારે આમ કરવું હોય ત્યારે તે દ્રવ્યત્વને પ્રતિયોગિતા, પ્રતિપાદ્યતા, કાર્યતા, કારણતા આદિમાંના | કોઈ એક ધર્મના અવચ્છેદક તરીકે સિદ્ધ કરવો જોઈએ. અહીં આપણે કારણતાના અવચ્છેદક તરીકે દ્રવ્યત્વને સિદ્ધ કરીશું. પણ તે પૂર્વે આપણે એક વાત ઉપર વિશેષ લક્ષ આપીએ કે દ્રવ્યાદિ સાતેય પદાર્થો કોઈ ને કોઈ કાર્ય પ્રતિ કારણ બનશે, પણ દ્રવ્યાદિ સાતેય પદાર્થો બધા ય કાર્ય પ્રત્યે સમાયિકારણ તો નહિ જ બને. કાર્યમાત્ર પ્રત્યે | સમવાયિકારણ જો બની શકે તો તે માત્ર પૃથ્વી આદિ નવ દ્રવ્ય જ બને છે, અર્થાત્ સાતમાંથી દ્રવ્યરૂપ એક જ પદાર્થ કાર્યમાત્રનું સમવાયિકારણ બની શકે છે. હવે આ વાતને વિસ્તારીએ. કાર્ય કારણ કયું કારણ? ઘટદ્રવ્ય કપાલ(દ્રવ્ય) સમવાયિકારણ ઘટરૂપ ઘટ (દ્રવ્ય) સમવાયિકારણ ઘટનું નીલરૂપ કપાલનીલરૂપ (ગુણ) | અસમાયિકારણ કપાલસંયોગ (ગુણ) | અસમવાધિકારણ ઘટ પ્રત્યક્ષમાં ઘટદ્રવ્ય (દ્રવ્ય) નિમિત્ત કારણ ૬ | ઘટનીલરૂપના પ્રત્યક્ષમાં | ઘટનીલરૂપ (ગુણ) નિમિત્ત કારણ કર્મના પ્રત્યક્ષમાં નિમિત્ત કારણ સામાન્યના પ્રત્યક્ષમાં સામાન્ય નિમિત્તકારણ | વિશેષના પ્રત્યક્ષમાં વિશેષ નિમિત્તકારણ ઘટ કર્મ - ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૩૦) EEEEEEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy