SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ b oxca.bastosowanowbooxdooxdoxoxoxoxo adotadorastastoon ઉત્તર ઃ જીવાત્માને કર્તા માનવામાં બે આપત્તિ આવે છે : (૧) વિનિગમનાવિરહ : વિપનિયપુ િવિનિામના I તથા વિ=માવ: અર્થાત ક્યો જીવાત્મા લિત્યાદિનો કર્તા ? દેવદત્તનો, યજ્ઞદત્તનો કે ચૈત્ર-મૈત્રાદિનો ? આમાંથી કોઈ એકનો કર્તા તરીકે નિર્ણય થઈ શકતો નથી. (૨) બીજી વાત એ પણ છે કે જે કર્તા બને તેને જે કાર્યના ઉપાદાન(સમાયિકારણ)નું જ્ઞાન હોવું જોઈએ. કુલાલને ઘટકાર્યના ઉપાદાન માટીનું જ્ઞાન છે માટે તે ઘટ બનાવવાનો યત્ન કરે છે. સિત્યાદિના ઉપાદાનરૂપ | પરમાણુનું આપણા જેવા જીવાત્માને જ્ઞાન નથી, કેમકે પરમાણુમાં મહત્ત્વ નથી. મહત્ત્વ વિનાની વસ્તુનું આપણને પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે નહિ. - આ છે કારણસર સિત્યાદિનું કર્તુત્વ જીવાત્મામાં ઘટી શકતું નથી એટલે ફિત્યાદિના કર્તા તરીકે ઈશ્વરને માનવો જ રહ્યો. मुक्तावली : न च शरीराजन्यत्वेन कजन्यत्वसाधकेन सत्प्रतिपक्ष इति वाच्यम्, अप्रयोजकत्वात् । - મુક્તાવલીઃ પ્રશ્ન : સિત્યાવિ સર્વ વાત્વાન્ ! આ અનુમાન સામે અમે | સત-પ્રતિપક્ષ ઊભો કરીશું કે ફિત્યાદ્રિવ મારૂં શરીરોગચવાન્ ! જે જે શરીરથી અજન્ય છે તેનો કોઈ કર્તા નથી હોતો, જેમકે આકાશાદિ. ફિત્યાદિ પણ શરીરાજન્ય છે માટે અકર્તક છે. ઉત્તર : તમારા આ અનુમાનનો હેતુ અપ્રયોજક છે, અર્થાત્ સાધ્યને સિદ્ધ કરનારો નથી માટે તમારું અનુમાન અમારા ઈશ્વરસાધક અનુમાનની સામે ઊભું રહી શકતું નથી. ટિપ્પણકોઈ વ્યક્તિ કોઈના હેતુને અપ્રયોજક કહે એટલે ત્યાં સમજી લેવું કે હેતુને | અપ્રયોજક કહેનાર વ્યક્તિનું એમ કહેવું છે કે મનુ હેતુ, માડતુ સાધ્યમ્ ા પ્રસ્તુતમાં ઈશ્વરકર્તુત્વવાદીએ નાસ્તિકનો હેતુ અપ્રયોજક કહ્યો, એટલે એનો અર્થ એ થયો કે ઈશ્વરકર્તુત્વવાદી નાસ્તિકને એમ કહે છે કે તુ શરીરોગવં માતુ વિસ્તૃત્વમ્ | અર્થાત સિત્યાદિ ભલે શરીરાજન્ય હોય પણ તેથી તે અકર્તક કેમ બની જાય ? જ્યારે આવો દોષ ઊભો કરવામાં આવે ત્યારે નાસ્તિકની ફરજ થઈ પડે છે કે તેણે તેના વિપક્ષનો બાધક તર્ક ઊભો કરી દેવો જોઈએ. તર્ક એટલે વ્યાપ્યના આરોપથી વ્યાપકનો આરોપ કરવો. દા.ત. વઢિયાન ધૂમા સ્થાને કોઈ ધૂમહેતુને અપ્રયોજક કહી | બહૈ ન્યાચસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૨૪)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy