SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ kuwashwashaw ashawiswcowowows. com | જ થયા પણ સૌરભ ગુણ સાથે ચક્ષુનો લૌકિક સન્નિકર્ષ તો શી રીતે બને ? હવે જયારે સૌરભનું પ્રત્યક્ષ તો થયું જ છે અને તે ચક્ષુરિન્દ્રિયના લૌકિક | સક્નિકર્ષથી જન્ય નથી ત્યારે માનવું જ પડે કે સૌરભ સાથે જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિ નામનો અલૌકિક સંનિકર્ષ થયેલો છે, અર્થાત ચક્ષુથી સૌરભનું પ્રત્યક્ષ થાય છે તે, તે બે વચ્ચેના અલૌકિક સક્નિકર્ષથી થાય છે. ચક્ષુસંયુક્ત મન છે, મનસંયુક્ત આત્મા છે અને આત્મામાં સમવેત ગઈકાલે થયેલું સૌરભનું જ્ઞાન છે. એ ચક્ષુસંયુક્ત-મનસંયુક્ત| આત્મસમવેત જ્ઞાન એ જ જ્ઞાનલક્ષણારૂપ અલૌકિક સન્નિકર્ષ છે, અર્થાત્ તે જ્ઞાનરૂપ સક્નિકર્ષથી ચક્ષુ વડે સૌરભનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. આમ હોવાથી જ સૌરભ એ ચક્ષુરિન્દ્રિયનો વિષય ન હોવા છતાં આવા સ્થાને & | નિયાયિકો વનguહું સુમિ એવા જ્ઞાનને ચાક્ષુષપ્રત્યક્ષ માને છે. (૩) સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ: જયારે આપણે એક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ | છીએ ત્યારે તે પ્રકારની બધી વસ્તુઓને આપોઆપ સમજી લઈએ છીએ, અર્થાત્ | ધૂમÖન એક ધૂમનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જગતના તમામ ધૂમનું જ્ઞાન આપણને થઈ જાય છે, તમામ ધૂમનું પ્રત્યક્ષ કરવા જવું પડતું નથી. કહેવાનો આશય એ છે કે જ્યારે ધૂમાદિ વસ્તુનું આપણને પ્રત્યક્ષ થાય છે ત્યારે તે વસ્તુમાં રહેલા ધૂમતાદિ સામાન્ય ધર્મ દ્વારા તમામ ધૂમાદિનું પ્રત્યક્ષ થઈ જાય છે. જયારે આપણે મહાનસમાં ધૂમ અને વદ્ધિ જોઈએ છીએ ત્યારે આપણને માત્ર ધૂમ-વતિનું પ્રત્યક્ષ થતું નથી પણ ધૂમત્વેન તમામ | ધૂમનું અને વહ્નિત્વેન તમામ વહ્નિનું પ્રત્યક્ષ થઈ જાય છે. - જો માત્ર મહાનસીય ધૂમ-વતિનું પ્રત્યક્ષ આપણને થતું હોત તો યત્ર યત્ર ધૂમ: તંત્ર | તત્ર વહ્નિ એવી ધૂમસામાન્ય અને વહ્નિસામાન્યની વ્યાપ્તિનું ગ્રહણ થઈ શકત નહિ. પણ | આવી વ્યાપ્તિનું ગ્રહણ તો થાય છે માટે ત્યાં આગળ માનવું જોઈએ કે આપણને બીજા | T બધા ધૂમ અને વદ્ધિ સાથે કોઈ અલૌકિક સક્નિકર્ષ થયો છે. આ સક્નિકર્ષ ધૂમત્વ વતિત્વ સામાન્યસ્વરૂપ છે, અર્થાત્ તમામ ધૂમ-વતિનું અલૌકિક પ્રત્યક્ષ થવામાં ધૂમત્વ-| | વહ્નિત્વ સામાન્ય એ જ સક્નિકર્ષરૂપ બને છે. માટે જ સામાન્ય છે સ્વરૂપ જેનું એવો| | સન્નિકર્ષ તે સામાન્યલક્ષણા સંનિકર્ષ કહેવાય. કેટલાક નૈયાયિકો સામાન્યલક્ષણા સંનિકર્ષ માનતા નથી. પણ તે બરોબર નથી, જ |કેમકે જો સામાન્ય લક્ષણા સંનિકર્ષ માનવામાં ન આવે તો માનસીય ધૂમ-વહ્નિનું પ્રત્યક્ષ ! થયા પછી જગતના તમામ ધૂમ-વતિનું પ્રત્યક્ષ થશે નહિ, તો પછી ધૂમો વદ્વિવ્યાપ્યો | નવા ? એવો સંશય પણ થશે નહિ, કેમકે બધા ધૂમ-વતિના પ્રત્યક્ષ વિના તે બધા ધૂમKES ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ () EEEEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy