SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધર સ્વામી ૧૧૫ ૧૧૬ વર્તમાન તીર્થંકર પાસે છે અને એમાં બસોએક જેટલાં બ્રહ્મચારી છે. એ બધાં જગત કલ્યાણ તૈયાર થઈ જવાનાં. બંધાઈ જ રહી છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. આજ્ઞા પાળવાથી ધર્મધ્યાન થાય છે, તે બધું ફળ આપશે. પુર્વે બંધાય છે, અમારી આજ્ઞા પાળે છે એટલાં પૂરતી. તે પછી ત્યાં આગળ તીર્થંકરની પાસે ભોગવવી પડશે. પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી અમારા મહાત્માઓના કચરા જેવા આચાર છે તે જોઈને અમને ત્યાં સંઘરશે ખરા ? દાદાશ્રી : તે ઘડીએ આવાં આચાર નહિ રહે. અત્યારે તમે જે આજ્ઞા મારી પાળો છો, તેનું ફળ તે વખતે આવીને ઊભું રહેશે. ને અત્યારે જે કચરો માલ છે તે મને પૂછયા વગર ભર્યો હતો, તે નીકળે મહીં પ્રકાશ વીતરાગો જેવો ! આ તો ચૌદ લોકનો નાથ અમારી મહીં પ્રગટ થયો છે. આ દેહ છે એ તો પરપોટો છે, એ ક્યારે ફૂટે એ કહેવાય નહિ. એ છે ત્યાં સુધી તમે તમારું કામ કાઢી લો. વીતરાગોને જેવો પ્રકાશ થયેલો તેવો પ્રકાશ છે. આ ‘જ્ઞાની પુરુષ' પાસે સંપૂર્ણ સમાધાન થાય એવું છે, માટે તમારું કામ કાઢી લો. અમે તો તમને આટલું કહી છૂટીએ. અમે વીતરાગ હોઈએ એટલે તમને પછી કાગળ ના લખીએ કે આવો. માણસ ફરી આવતે ભવ મનુષ્ય થાય એની ખાતરીનું ઠેકાણું નથી, એવાં કાળમાં જ્ઞાની મળે તો આપણને એક-બે અવતારી બનાવી દે. ભલે બીજા લોકો કહે કે અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં નથી જવાતું, પણ અમે કહીએ છીએ કે જવાય છે. જેવો સ્વભાવ તેવું ક્ષેત્ર ! પ્રશ્નકર્તા : આપ તો અમને ત્યાં મોકલવાનાં છો ને ? દાદાશ્રી : એ તો ક્ષેત્રનો જ સ્વભાવ છે, તેના આધારે ખેંચાય જાય. જ્યાં જેવી જેલ હોય ને, તેવાં જ જેલના માણસો ત્યાં ભેગા થાય. અહીંનો સ્વભાવ જુદી જાતનો હોય. પાંચમા આરાના માણસો બહુ જુદી જાતના હોય. આ દેખાય છે ને એ બધા ! કેટલીક મીઠી મૂંઝવણો ! આ જ્ઞાન લીધા પછી આ અવતાર જ મહાવિદેહ ક્ષેત્ર માટે તમારો ઘડાઈ રહ્યો છે. મારે કંઈ કરવાની જરૂર નથી. નેચરલ (કુદરતી) નિયમ જ છે. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં કેવી રીતે જવાય ? પુણ્યથી ? દાદાશ્રી : આ અમારી આજ્ઞા પાળે તેનાથી આ ભવમાં પુણ્ય પ્રશ્નકર્તા: દાદા, સીમંધર સ્વામીને યાદ કરવાથી, સીમંધર સ્વામી પાસે જવાય એવું નક્કી થાય ખરું ? દાદાશ્રી : જવાનું એ તો નક્કી હોય જ. એમાં નવું નથી પણ સતત યાદ રહેવાથી બીજું કંઈ નવું મહીં પેસે નહિ. તીર્થંકર ભગવાન હોય, દાદા હોય તો માયા ઘૂસે નહિ. દાદા યાદ રહ્યા કરતા હોય કે તીર્થંકર યાદ રહ્યા કરતા હોય તો માયા ઘૂસે નહિ ! અત્યારે અહીં માયા ના આવે. પૂર્ણતાં દર્શન થકી પૂર્ણતા ! પ્રશ્નકર્તા : આપે અમારા કૉઝીઝ કર્મો બંધ કરી દીધાં. તો હવે બધા ડિસ્ચાર્જ કર્મો પતી જાય તો અમે મોક્ષે જઈશું. તો વચ્ચે સીમંધર સ્વામીને મળવાની શી જરૂર ? દાદાશ્રી : તો કોને મળવું જોઈએ ? પ્રશ્નકર્તા : કોઈને પણ મળવાની શી જરૂર ? આ સમજવા માટે દાદાશ્રી : પણ અમે શું કહીએ છીએ ? કે અમારું જ્ઞાન ૩૫૬
SR No.008877
Book TitleVartaman Tirthankar Shri Simandhar Swami
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1197
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size53 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy