SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધર સ્વામી ૧૧૩ ૧૧૪ વર્તમાન તીર્થંકર અસીમ જય જયકાર હો.’ એમાં દાદા ભગવાનની ઓળખાણ કેવી રીતે આપો છો ? દાદાશ્રી : આ દાદા ભગવાન ન હોય. આ દેખાય છે, તે દાદા ભગવાન ન હોય. જે સાચા દાદા ભગવાન, જે આખા વર્લ્ડના માલિક છે, આખા વર્લ્ડના ભગવાન છે, તે દાદા ભગવાનની વાત કરીએ છીએ. આ દાદા ભગવાન નહીં, મહીં પ્રગટ થયો છે, ચૌદ લોકનો નાથ પ્રગટ થયો છે, હું હઉં એ ભગવાનને નમસ્કાર કરું છું અને ધીસ ઈઝ ધી કેશ બેન્ક ! બોલતાંની સાથે જ તરત ફળ આપનારું છે. માંદા માણસ દવાખાનામાં બોલે તો તરત ફળ મળે. દાદાશ્રી : વિધિ-બિધિ તે ક્યાં સુધી ? કે કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી. કેવળજ્ઞાન થયા પછી નહિ. એમને પોતાને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી વિધિ કરો. પોતાને કેવળજ્ઞાન થયું એટલે પછી વિધિ નહિ. એના દર્શનથી જ આપણને ફળ મળે. કારણ કે એ ફૂલ દર્શન છે, ખટપટિયું જ નથી દર્શન. આ જુઓને, અમારે ખટપટિયું કેટલું ? પ્રશ્નકર્તા : કેટલી ખટપટ ! દાદાશ્રી : છતાં ય મનમાં એમ નથી કે “હું કરું છું.’ એવાં ય ભાવ નથી. “આ મારે કરવું છે તેવાં ય ભાવ નથી અને છે ખટપટિયું. લોક તો કહે ને કે ખટપટિયા સાચાં ના હોય ! તમે ખટપટ કરો છો ! વીતરાગતા છતાં ય ખટપટ ! પ્રશ્નકર્તા : એ જ થાય છે ને બહાર કે આ શેના હારું કરે છે? પોતે વીતરાગ છે, તો પછી આ ખટપટ શેની ? દાદાશ્રી : આ ખટપટ શેના માટે ? પણ આ ખટપટિયા વીતરાગ છે. વીતરાગ કેવા છે ? ખટપટિયા વીતરાગ ! પણ આ એ ના સમજે, તો હવે એનો ઉપાય શો ? પ્રશ્નકર્તા : વીતરાગ ખટપટિયા હોય જ નહિ. એમ જ સમજે પ્રશ્નકર્તા : આ બધા દાદા ભગવાનનું કીર્તન કરતા હતા ત્યારે આપ પણ કંઈ બોલીને કીર્તન કરતા હતા, તે કોનું? દાદાશ્રી : હું હલું બોલતો હતો ને ! હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. ભગવાનને ત્રણસો સાઠ ડિગ્રી છે. મને ત્રણસો છપ્પન ડિગ્રી છે. મારે ચાર ડિગ્રી ખૂટે છે. તેટલા હારું મેં પહેલું બોલવાની શરૂઆત કરી. તેથી આ બધા બોલે. એમને ય ખૂટે છે. તમારે ખૂટતી નથી ? પ્રશ્નકર્તા : એ દાદા ભગવાન આપ જેને બોલાવો છો તે અને આ સીમંધર સ્વામી, એમનામાં સંબંધ શું છે આમ ? દાદાશ્રી : ઓહોહો ! એ તો એકના એક જ છે. પણ આ સીમંધર સ્વામીને બતાડવાનું કારણ કે હજુ દેહ સાથે હું છું એટલે મારે ત્યાં જવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી સીમંધર સ્વામીના દર્શન થાય નહીં, ત્યાં સુધી મુક્ત ના થાય. એક અવતાર બાકી રહે. મુક્તિ તો આ મુક્ત થયેલાના દર્શનથી મળે. જો કે મુક્ત તો હું ય થયેલો છું. પણ એ સંપૂર્ણ મુક્ત છે. એ આવું અમારી જેમ લોકોને એમ ના કહે કે આમ આવજો ને તેમ આવજો. હું તમને જ્ઞાન આપીશ.” એ બધી ખટપટો ના કરે. પછી વિધિ તહીં, દર્શન જ ! પ્રશ્નકર્તા : તીર્થકરો વિધિ કરાવે કે દર્શન જ ? ને ? દાદાશ્રી : આપણે ઉપાય શું કરીએ ? ના સમજે તેનો ઉપાય ના થાય. સમજે તો સમજે ને ના સમજે તો એનું એકંય મશીનરી નવી બદલાવી નથી. મશીનરી આમાં બદલાય નહિ. પેલી મિલની મશીનરી બગડી ગઈ હોય તો બદલાય. રિટી ત્યાં તૈયારી ! અમારે ધ્યેય શું ? હું તો ઘરનાં કપડાં પહેરું છું. આ બંને ય ઘરનાં કપડાં પહેરે છે. એક પાઈ કોઈને લેવાની નહિ અને જગત કલ્યાણ માટેની બધી તૈયારી છે. પચાસેક હજાર સમકિતધારી મારી
SR No.008877
Book TitleVartaman Tirthankar Shri Simandhar Swami
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1197
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size53 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy