SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૮૫ મારી આજ્ઞામાં રહેવું પડે અને એ તો સહેલું છે. એમાં ફક્ત છે તે જૂનાં કર્મો હેરાન કરે છે. ડિસ્ચાર્જ કર્મો એને ધક્કા માર માર કરે. પણ એનો સમભાવે નિકાલ કરી નાખવાનો. આચરણમાં ન લાવે તે રેડિયા! ૧૮૪ વાણીનો સિદ્ધાંત અને આપણું ‘આ’ તો કાયમનું કહેવાય, પરમેનન્ટ કહેવાય. આની ક્યાં વાત થાય ? આ તો કોઈ કાળે ય હોતું નથી. પણ આ તો એની મેળે કુદરતી રીતે ઊભું થઈ ગયું, તે થઈ ગયું. વૈજ્ઞાનિક છે પાછું. નહીં તો બધે છોડવાનું હોય. આપણે અહીં છોડવાનું નથી. અહંકાર ને મમતા છોડાવી આપું, એટલે પછી રહ્યું કશું છોડવાનું ? ધર્મ : મર્મઃ જ્ઞાતાર્ક પ્રશ્નકર્તા : અમે પ્રવચન નથી રાખતા. સંતોની વાડમય વાણીનો પ્રસાદ એટલે પછી સંતો જે બોલે એ. દાદાશ્રી : એ જે પ્રવચન છે, એ ધર્મ કહેવાય. અને સંતની વાણી એ ધર્મનો મર્મ કહેવાય અને એવું સો ટકા મર્મ થાય ત્યારે જ્ઞાનાર્ક નીકળવાનો શરુ થાય. તે આપણો આ જ્ઞાનાર્ક છે. એથી આગળ કશું જાણવાનું બાકી ના હોય તે. ફેર, બેઉ ઉપદેશમાં. પ્રશ્નકર્તા : બીજા કેટલાક ઉપદેશ આપે છે. ત્યારે આત્મા ઉપરનો એમનો ઉપદેશ હોય અને આપ પણ આત્મા પર વાત કરો છો. એટલે એ ઉપદેશ અને આપના ઉપદેશમાં શું ફરક છે ? દાદાશ્રી : અમારો આ અનુભવનો ઉપદેશ છે. આ ઉપદેશ જે છે. તે ક્રિયાકારી છે. ક્રિયાકારી એટલે જે સાંભળો છો, તે ક્રિયા અમલમાં આવે. અને બીજા કોઈનો ઉપદેશ ક્રિયા અમલમાં ના આવે. આ ક્રિયાકારી જ્ઞાન છે, એને ભગવાને જ્ઞાન કહ્યું. અને જે ક્રિયાકારી જ્ઞાન ના હોય, એ જ્ઞાનને ભગવાને શુષ્ક જ્ઞાન કહ્યું. દીતતા જાય, તે ધર્મ ! દીનતા તમે જોયેલી લોકોની ? આ મોટા મોટા ઉપદેશો આપે છે ને, એમને એક જ દહાડો જેલમાં ઘાલી દે તો ? ટાઢોટપ ! દીન થઈ જાય ત્યારે. જેલમાં ઘાલો, શૂળીએ ચઢાવો, તો ય જેને દીનતા ઉત્પન્ન નથી, ત્યાં સાચો ધર્મ છે. આ માર્ગ તદન દીનતા જાય એવો છે. પણ પ્રશ્નકર્તા : ધર્મની વાતો, પ્રવચન, વ્યાખ્યાન સાંભળ્યા છતાં જીવ ધર્મનું સતત આચરણ કેમ કરી શકતો નથી ? દાદાશ્રી : રેડિયો પરનું સાંભળેલું ધર્મનું પ્રવચન ના ચાલે. ધર્મની વાતો, પ્રવચન, વ્યાખ્યાન રેડિયો પર સાંભળીએ તો ના ચાલે. રેડિયો પર સાંભળો છો ? પ્રશ્નકર્તા : રેડિયો પર સાંભળીએ, રૂબરૂ પણ સાંભળીએ, પણ આચરણમાં મૂકાતું નથી. દાદાશ્રી : આચરણમાં ના આવ્યું તો જાણવું કે આ બધા રેડિયા હતા. અને એ સાહેબને પણ કહી દેવું કે તમારો રેડિયો બહુ સારો છે. પણ આચરણમાં નથી આવતું. આચરણમાં લાવે, એ રેડિયો નહીં. આવા રેડિયા તો બધા ઠેરઠેર વાગ્યા જ કરે છે. આપણે રેડિયાની જરૂર નથી. ત ઊગે એ વચત... અહીં હિન્દુસ્તાનમાં ઉપદેશ આપવાનો અધિકાર કોને છે ? કે જેનું વચનબળ હોય. હું કહું કે ‘ભાઈ, તમે ડુંગળી ખાશો નહીં.’ તો મારા વચનબળના આધારે અને પેલાની ઇચ્છા, એ બે એટ-એ-ટાઈમ કામ કરે. વચનબળ જોઈએ. જેનું વચનબળ સિદ્ધ ના થાય એ બધા રેડિયા છે. તમને રેડિયો(પ્રવચનો) બહુ ગમે, નહીં ? મઝા આવે ને ? સાંભળ્યું તો કાન પવિત્ર (!) થયો ને ? એ કાન પવિત્ર ના ચાલે. મહીં અંતઃકરણ પવિત્ર કરવું પડશે. રેડિયો સાંભળ્યા પછી રેડિયો સાંભર સાંભર કરે પછી. પ્રશ્નકર્તા : હજી રેડિયા સાંભળવા ગમે છે. દાદાશ્રી : એ તો ગમે ને ! એવું છે ને, રેડિયાથી ફાયદો એક એ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy