SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૧૬૩ એમ થાય કે ‘લાવ, હું પણ કરીશ.’ એવી ભાવના ઊભી કરવા માટેનું છે. પ્રવચનથી બીજું કશું વળે નહીં. આ પ્રવચન એ બધું માર્કેટ મટિરિયલ કહેવાય. બજારની શાકભાજી જેવું. આજે શાક ઘેર લાવ્યા, પાછું ફરી બીજે દહાડે શાક લેવા જવાનું, પાછું ત્રીજે દહાડે લેવા જવાનું. અને ‘આ’ તો રોજ રોજ લેવા જવાની વસ્તુ હોય. આ તો એક જ ફેરો પચી ગયું કે ખલાસ થઈ ગયું. પાત્રતા પ્રવચનકારતી ! છે. દેખાય ચોમાસું, પણ પાકે નહીં કશું ય. જરા ઠંડક થાય. અને આ તો લોકોને પેલા પ્રશ્નોના જવાબ આપતાં ના આવડે એટલે આવાં વ્યાખ્યાનો ગા ગા કર્યા કરે. સામાના મનના પ્રશ્નોના જવાબ આપવા એ કંઈ સહેલી વસ્તુ છે ? પ્રશ્નકર્તા : જાણકાર ન હોય તો કેવી રીતે પ્રશ્નોના જવાબ આપે ? દાદાશ્રી : એના શી રીતે જવાબ અપાય ? એટલે આપણા લોકો વ્યાખ્યાનો કરે. પણ જે તે રસ્તે વ્યાખ્યાન કરીને ય માણસને અહીં રોકી રાખ્યા છે ને ! નહીં તો એ રમી રમવા જતા રહેશે. એટલે ઉપકારી છે બધા. કોઈને કાઢી મૂકવા જેવા નથી. અને વ્યાખ્યાન તો બાળમંદિરમાં હોય. બાળકોને શિખવાડવા માટે વ્યાખ્યાનો હોય. ખરી રીતે તો આ વ્યાખ્યાનનો આપણા હિન્દુસ્તાન દેશમાં ખોટો રિવાજ છે. પરદેશમાં વ્યાખ્યાન હોવું જોઈએ. અહીં વિકલ્પી દેશમાં વ્યાખ્યાન ના હોવું જોઈએ. અહીં તો પ્રશ્નોત્તરી હોવી જોઈએ. વચલા સ્ટેશનની વાતો એ ! એ તો વ્યાખ્યાનમાં જવાની ટેવ છે આપણા લોકોને. આમ ગાડીમાં ક્યાં સુધી ભટક ભટક કરવાનું ? વ્યાખ્યાનો સાંભળીને તો ભટક ભટક કરવાનું છે. જો વચલા સ્ટેશને પડી રહેવું હોય તો વ્યાખ્યાન સાંભળ્યા કરજો. આ વ્યાખ્યાનો-પ્રવચનો, એ તો વચ્ચેનાં સ્ટેશનો બધાં. તે કેટલાંક મોટાં સ્ટેશન હોય, કેટલાંક ફલેગ સ્ટેશન હોય. ફલેગ સ્ટેશન જોયેલાં ને, તમે ? અહીં પ્રવચન ના હોય ને ! અહીં તો છેલ્વે સ્ટેશને ઉતરવું હોય, તેનું કામ છે આ. પ્રવચન એ તો વચલા સ્ટેશન. આપણને અનુકૂળ આવે તો વચલા સ્ટેશનોમાં ફરવું અને ના અનુકૂળ આવે તો આ છેલ્લા સ્ટેશને આવવું. બાકી પ્રવચનથી આત્મજ્ઞાન ના થાય. પ્રવચનથી તો એ ભાવનાઓ તમને ઊભી થાય, એટલા માટે એ બધી વાતો છે. કથાઓ, ધર્મકથાનુયોગ સાંભળીએ કે રાજાએ આમ કર્યું ને તેમ કર્યું, એટલે તમને મનમાં ભાવના અને આપણા લોકો તો આવીને એક જ વિષય ઉપર બોલે. અલ્યા, બધાને ગમતો હોય એક વિષય ? તું એક વિષય માંડે છે તે બધાને ગમશે ? પ્રવચનમાં તો, પોતે કરતો હોય છતાં બીજાને શું કહે ? ‘તમે આવું ના કરશો.’ પ્રવચન કરનારને પૂછીએ કે, ‘તમારા ક્રોધ-માન-માયા-લોભ ગયાં છે ? વગર કામના અહીં શું કરવા આવો છો ? તમારે ઘેર જાઓ ને !” આ તો ક્રોધ-માન-માયા-લોભ ઓછાં થયેલાં હોય, જેનામાં કંઈ ગુણો પ્રગટ થયેલા હોય તો કામનું. આ તો એવું થયું નહીં ને બસ પ્રવચન કરવા નીકળી પડ્યા ! પ્રવચન તો કોણ કરી શકે ? જેની વાણી ઈફેક્ટિવ હોય. આ તો છાશ-બાકળાવાળી વાણી. બરકત જ નહીં ને ! એ ગયા અને આપણે ય ભૂલી ગયા. હૃદયગત વાણી હોય, એ ભૂલાય નહીં એવી વાણી જોઈએ. એ તો હાર્ટની પ્યૉરિટી જોઈએ. અને આ કાળમાં હાર્ટની પ્યૉરિટી ક્યાંથી હોય ? ત્યાં ચોપડીતું ચાલે તા ! પ્રવચન તો, કેટલાક લોકો ઘેરથી લખી લાવે છે અને ત્યાં પછી એ વાંચે પાછાં. ત્યારે અમને મૂરખ બનાવો છો ? આ તમે વાંચો તે મને ચોપડી વાંચતા નથી આવડતી ? ત્યારે હું પુસ્તક જ ના વાંચત ઘેર બેઠાં બેઠાં ?! તમે મને શિખવાડવા આવ્યા છો ? એવું ના કહીએ આપણે ? પ્રશ્નકર્તા : એમનું પોતાનું હોતું નથી. દાદાશ્રી : પોતાનો સામાન ક્યાંથી લાવે તે ? પોતાનો સામાન તો
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy