SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ વાણીનો સિદ્ધાંત ૩00 માઈલ ફર્યા. થાકી ગયા !' લોકો આમ ત્રણસો-ચારસો માઈલ કારમાં મુસાફરી કરે. પછી લોક પૂછે ત્યારે કહે, ‘બહુ થાકી ગયો.” તે થાકી જ જાયને, પણ ‘પોતે’ મુસાફરી કરે છે ને ! વાણીનો સિદ્ધાંત ૧૩૩ અને બીજી સેકન્ડમાં જ પાછાં તમે પોતાની સ્વશક્તિમાં આવી જાવ છો. દાદાશ્રી : એ તો લોકોના પુણ્ય છે, તો પાછી મળી જાય છે. મારે તો દસ-દસ કલાક બોલવામાં જાય છે. એ જ શક્તિ વપરાય છે, તે આ શારીરિક શક્તિમાંથી ફીડ થાય છે. એ આમાં બધી શક્તિ વપરાઈ જાય છે. મને વાંધો ય નથી. મારી ઈચ્છા એવી છે કે આમાં શક્તિ બધી વપરાઓ. ગાડી જાય છે, આપણે તહીં ! પ્રશ્નકર્તા : જડ શરીરની ક્રિયાઓનો ખરેખર થાક કોને લાગે છે ? આત્માને કે પછી વિકલ્પનો થાક લાગે છે ? દાદાશ્રી : ચંદુલાલ બેઠા છે ગાડીમાં, બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનેથી. મેં કહ્યું, ‘ક્યાં જાવ છો ?” ત્યારે એ કહે, “અમદાવાદ જાઉં છું ?” બીજે સ્ટેશને કો'ક પૂછે, “ક્યાં જાવ છો ?” ત્યારે કહે, “અમદાવાદ જાઉં છું.” ‘અલ્યા ભાઈ, તમે તો અહીં ગાડીમાં બેઠાં છો અને શાના આ બોલો છો તે ? આ તો તમે આડા થઈને સુઈ ગયા છો અગર પેપર વાંચો છો. તમે ‘અમદાવાદ જાઉં છું.” એવું બોલો છો, તે કેટલી બધી આ ઊંધી વાત છે ? આવું બોલે ખરાં લોકો ? પ્રશ્નકર્તા : વ્યવહારથી એમ બોલવું પડે. દાદાશ્રી : આ વ્યવહારથી નથી બોલતા, નિશ્ચયથી બોલે છે અને આ થાક જ એનો લાગે છે. એટલે પછી બધાં મને કહે છે, “તમે શું કરો છો ?” મેં કહ્યું, ‘હું તો અહીંથી સેન્ટ્રલથી ગાડી ઉપડે એટલે હું તો કહું કે ગાડી વડોદરે જાય છે, અમે તો આ સૂતા. અને અમે પેપર વાંચીએ છીએ. એવું હકીકત સ્વરૂપ કહી દઈએ. બીજે સ્ટેશને પૂછે તો ય એવું જ કહીએ. ત્રીજે સ્ટેશને પૂછે તો ય એવું જ કહીએ. અને મનમાં ય એવું ને વિચારમાં ય એવું અને પછી વડોદરું આવે ત્યારે લોક બુમો પાડે, ‘બડોદા આયા, બડોદા આયા.” એટલે આપણે ઊતરી પડો. બસ, એટલું પછી થાક ના લાગે. આ તો બધા ય થાકેલા. ‘ગાડીમાં ફર્યા, બહુ ફર્યા, આ હું બોલું છું, એમ કહું ને તો મને થાક લાગે. પણ હું તો કહું છું કે “ટેપરેકર્ડ બોલે છે.” એટલે પછી મને શેનો થાક લાગે ?! એટલે હું ઠોકી ઠોકીને કહું છું કે અલ્યા ભાઈ, આ શું કરવા થાકો છો ? આ ગાડી જાય છે ને તમે શું કરવા કહો છો આ ? એવું જ બોલે છે બધાં, નહીં તમને સમજાયું છે ? પ્રશ્નકર્તા : હા. જેટલો વિચાર કરીએ, એટલો થાક વધારે લાગે. દાદાશ્રી : વિચાર કરવાનો નહીં. આપણે જઈએ છીએ, એવું જાણીએ તો જ થાક લાગે. આપણે જતાં નથી ને અમથા વગર કામના ગા ગા કરીએ. અરે, કેટલાક માણસો ગાડીમાં જતા હોય ને તો ય આ બાજુ ઉત્તરની ગાડી જતી હોય તો ઉત્તર ભણી ગાડીમાં દોડ દોડ કરે. જાણે વહેલો જવાનો હોય તેવી રીતે. નહીં તો દક્ષિણ ભણી દોડ દોડ કરે. આ વગર કામની મૂંઝામણ બધી. ત્યાં આત્મવીર્યનું લીકેજ ! અને તમે બોલો, તે બોલ્યા કહેવાય અને તે ‘આત્મવીર્ય’ લીકેજ થયા જ કરે નિરંતર. અને આત્મવીર્ય બુંદ અટકી ગયા કે બસ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. બહુ ઝીણી વાત છે આ. તમને કંઈ કામ લાગશે ? એમાં જો જરાક મને ગલીપચી થાય તો એ આત્મવીર્ય ‘ડ્રોપ’ (ગલન) થઈ ગયું. જરાક ગલીપચી મને લાગે ? ના થાય. મહીં સહેજે ય સ્પર્શે નહીં અમને. એક બુંદ આત્મવીર્ય અમારું બહાર ના નીકળે. આ જગતમાં આત્મવીર્ય બધું બહાર નીકળી ગયું છે. તેથી તો આ મહીં આત્મામાં કશું રહ્યું નથી ને ! “આ મેં કર્યું ને આ મેં કહ્યું કે આ મારું ને આ તારું.’ એને લીધે તો આત્મામાં કંઈ રહ્યું જ નથી. બધું વીર્ય જ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy