SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૦૭ ૧૦૮ વાણીનો સિદ્ધાંત આપણી વાત સાધાર(?) જ નથી, નિરાધાર કહેવાય. અને સાયન્ટિફિક રીતે કહું છું કે આ ઓરિજિનલ ટેપરેકર્ડ છે. સરવૈયું ચોવીસીના જ્ઞાનતું ! પ્રશ્નકર્તા : વીતરાગની વાણીને પુષ્ટિ આપનારી વાતો છે બધી. દાદાશ્રી : હા, પુષ્ટિ આપે. ભગવાનની, ચોવીસ તીર્થંકરોની વાતને એકસેપ્ટ કરીને એથી આગળ બીજું નવું શોધન કર્યું છે, આ કાળના આધારે જે જરૂરિયાત છે એટલું શોધન કર્યું. સાદી ભાષામાં, દરેકને સમજણ પડે. પાછું ભવિષ્યની ચિંતા નહીં એવું ‘વ્યવસ્થિત'નું જ્ઞાન. અમને ચોવીસે ય તીર્થકરોનો ખ્યાલ છે કે આ આવું જ્ઞાન આમનું હતું, આમનું આવું જ્ઞાન હતું, આમનું આવું હતું અને આ ચોવીસે ય તીર્થકરોના જ્ઞાનનું સરવૈયું છે, ભેગું. કારણ કે દરેક તીર્થંકરો કાળને આધારે જુદા જુદા થયા હતા અને કાળના આધારે બધી વાણી બોલાયેલી છે. છે' તે છે કે “તથી' તે નથી, કહે જ્ઞાતી ! પ્રશ્નકર્તા : સાચો બુદ્ધિમાન માણસ હોય, એ ય ‘છે' એને ‘નથી’ ના કહી શકે. દાદાશ્રી : ના, ના. બુદ્ધિવાળા તો ઘણાં છે. પણ એ લોકો ‘છે” એને જ ‘ના’ કહે છે બધા. પ્રશ્નકર્તા : એ સાચો બુદ્ધિવાળો નથી. દાદાશ્રી : ના, બુદ્ધિ અમુક(?) હદ સુધીની છે. અમુક હદની બહાર એને ભાન જ નથી. એ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, પણ અમુક હદની બહાર એને ભાન જ નથી. ત્યાં આગળ ‘છે' એને ‘નથી' કહે છે. અને ‘નથી’ એને “છે” કહે છે. અને આ તો હું તો જ્ઞાનથી કહું છું. અમે તો જેમ છે તેમ કહી દઈએ. આ તો તમે પૂછો તેનો જવાબ અમારે સાચો આપી દેવો પડે. વીર શાસનના શણગાર ! પ્રશ્નકર્તા : આ દાદાએ, તો નવી ફીલસૂફી આપી અને સાથે ગુજરાતી ભાષાને પણ સમૃદ્ધ કરી નાંખી. દાદાશ્રી : હા, ગુજરાતી ભાષાને ! ભાવ જોઈએ ખાલી. સાંજસવાર તો ત્રણ ટેપ ભરાઈ. ખર્ચો કર્યો. ત્રણ ટેપના તો રૂપિયા સો થાય. તો આપણે સૌનો ખર્ચો થઈ ગયો. આપણે ઓછી વપરાય એવું કરો કંઈક. ત્યારે આ કહે છે કે તમે રૂપિયા સોની મને ખોટ દેખાડો છો, પણ મને તો બહુ નફો દેખાય છે, આમાં તો. આ બધું તો હજુ અઢાર હજાર વર્ષ સુધી રહેશે. પછી તો પુસ્તક રહેવાનું નથી, દેરાં નથી રહેવાનાં. કશું ધર્મનો છાંટો રહેવાનો નથી. ત્યાં સુધી કંઈક સાધન તો જોઈશે ને ? ત્યાં સુધી ધર્મ ચાલુ છે. વીતરાગનું શાસન ! શાસન ભગવાન મહાવીરનું બહુ દીપશે. અત્યાર સુધી વગોવાઈ ગયું, હવે દીપશે. બહુ જબરજસ્ત દીપશે. અને બધા ય ધર્મો દીપવાના છે ! શાસન ભગવાન મહાવીરનું અને અમે તો એ શાસનના કળશ કહેવાઈએ. કળશ નથી ચડાવતા ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો દીપે ને. આપણે જવાબદારી નહીં ! આપણે શું લેવા દેવા? પેલા તમારા મિત્ર હતાને, મેં કહ્યું, ભાઈ, અમે તો એના છોકરા છીએ.’ કહ્યું, ત્યારે શું કહેતા'તા ? પ્રશ્નકર્તા : ના, ના તમે તો ભગવાન છો. દાદાશ્રી : મેં બ્રોકર કહ્યું, ત્યારે ‘ભગવાન છો’ કહે છે ને પહેલાં ભગવાન” કહેતા'તા, ત્યારે કહે, ‘નહીં.” અહં દેખાય, છતાં નથી ! પછી એમને મેં કહ્યું, ‘તો તમે હું ભગવાન છું, કહો ને.” ત્યારે કહે છે, “ના બોલાય, ના બોલાય મારાથી.' મેં કહ્યું, ‘વર્લ્ડમાં કોઈ નહીં
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy