SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૩ ૧૦૪ વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા : ના, ના. શરમ શેની એમાં ? સમજાય એવું છે. દાદાશ્રી : ત્યારે સારું. જે વાત સમજમાં બેઠી એ કાયમને માટે રહે પછી અને હું તો છેલ્લી વાત કરું છું. એથી આગળની નવી વાત નહીં નીકળે કોઈ જગ્યાએ. છેલ્લી વાતની આગળ પછી છેલ્લી વાત હોય જ નહીં ને ! પ્રશ્નકર્તા : આપ કહો છો, ‘હું જોઈને કહું છું,’ એ વાત જરા વિગતવાર સમજાવો. દાદાશ્રી : એમાં શું વિગતવાર ? આ બુદ્ધિજન્ય હોય, તો તે વિગતવાર કહેવાય. આ દ્રશ્ય આંખનું નથી, એવું કહી દીધું ને. આ આંખનું હોય, ઇન્દ્રિયોનું હોય તો તે બધું વિગતવાર સમજાય. આમાં વિગતવાર હોય નહીં ! એ તો તમે એ જગ્યાએ આવશો, ત્યારે તમને દેખાશે. એટલે આપણે એ જગ્યાએ આવવા તરફ દ્રષ્ટિ રાખવી. અને આ પાંચ આજ્ઞા પાળશો એટલે એ જગ્યાએ અવાશે, એ નિર્વિવાદ છે. હું ડુંગરની ટોચ ઉપર જઈને વાતો કરું છું કે અમને કેવું દેખાય છે ! આ જે હું બોલું છું, તે વાંચેલું નથી બોલતો આ. વાંચવામાં આવું હોય નહીં ને ! હા. બીજા બધાં જે ચઢતાં ચઢતાં બોલેલા, એમાં ભૂલો જડશે. અને અમે તો ડુંગર ઉપર રહીને બોલીએ છીએ. એમાં કોઈ ભૂલ નથી નીકળી, ને તમારું કામ થઈ જશે. રસ્તો સરળ નીકળશે. અમે કહીએ કે આ બાજુથી આમ ફરો. ને આમથી આમ ફરો તો તમે ય પાંચ મિનિટમાં અહીં આવી જશો. ને પેણે પચાસ લાખ માઈલ થશે તો ય દહાડો નહીં વળે. કારણ કે પોતે રસ્તામાં વચ્ચે છે. જે કહી ગયા એ જાણી શકતા નથી અને જે જાણે છે તે કહી શક્યા નથી. હું એક કહી શકું છું ને જાણી શકું છું. પૂછતાર હાંફે, પણ જ્ઞાતીના જવાબો સહજ ! લોકો બોલે છે. તે નીચે રહીને ઉપરની વાત કરે છે અને અમે ઉપર રહીને વાત કરીએ છીએ. એક પણ શબ્દ અમારો ફેરફાર ના હોય. અમારા શબ્દો બધા શાસ્ત્રો ફરી લખવા માટે લાયક હોય. ફરી નવાં શાસ્ત્રો લખવાં હોય તો લખી શકાય. અમે જે જોઈએ છીએ, તે જ બોલીએ છીએ. મારી જોડે અમુક અમુક માણસો જોડે રહેતા, રાતદિવસ. મેં એમને કહેલું કે ‘જેને મારી જોડે રહેવું હોય તેને છૂટ છે.’ તે મહીં કોઈ સત્તર દહાડા રહ્યું હોય, કોઈ દસ દહાડા રહ્યું હોય. સત્તર દહાડા રહ્યા હતા, એ માણસે મને કહ્યું કે ‘દાદા, હું તમારી જોડે સત્તર-સત્તર દહાડાથી રહ્યો અને આ રોજ પૂછ પૂછ કરું છું ને રોજ પાંચસો-પાંચસો પ્રશ્ન પૂછું છું. એ બધા આપ કેવી રીતે જવાબ આપી શકો છો ? આમાંના પાંચ જવાબ કોઈ આપી શકે નહીં.” ત્યારે મેં કહ્યું, ‘તમે મને પૂછ પૂછ કરો છો, પણ હું તો જોઈને જવાબ કહું છું. તેમને પૂછવામાં મહેનત પડે છે. તમારે પ્રશ્ન પૂછવામાં આમ પ્રશ્ન બનાવવો પડે છે' ત્યારે એ કહે છે, ‘હવે પૂછવા જેવું રહ્યું નથી.’ સર્વત્તે દીઠું કેવળજ્ઞાતમાં.. પ્રશ્નકર્તા : આ સર્વજ્ઞ જે વાણી બોલતા હશે, એ બધું અનંત અવતારનું સ્મૃતિજ્ઞાન ને એ બધું જોઈને બોલતા હશે ને ? દાદાશ્રી : જોઈને બોલે. પણ અનંત અવતારનું એ સ્મૃતિનું, એમને કંઈ જરૂર નથી. એમને તો આ પ્રત્યક્ષ બધું દેખાય એટલું જ બોલે. બીજી બધી કશી જરૂર નથી. અનંત અવતારનું શું થયું ને શું નહીં, એ કંઈ એમને જરૂર નથી. ઉપયોગ મૂકે તો દેખાય. બાકી એમને કંઈ આવી જરૂર ના હોય, એમને તો કેવળજ્ઞાનમાં બધું જગત દેખાય. હવે કેવળજ્ઞાનમાં બીજું કશું જગતમાં દેખવાનું હોતું નથી. કયા તત્ત્વ સનાતન છે, તે દેખાય છે. અને સનાતન તત્ત્વની અવસ્થા દેખાય છે, બીજું કશું દેખાતું નથી. આપણા લોક તો શું નું શું ય સમજે છે કે મહીં શું ય દેખાતું હશે !! ભીતરતી દ્રષ્ટિથી ભાળ્યું જગત ! તમે અત્યારે જોઈને કહો છોને કે અહીં આ ફલાણા બેઠાં છે, આ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy