SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ઉસ વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : એવું છે, મહીં જે આખું તંત્ર ચાલે છે, એ પૂર્વકર્મના આધારે ચાલે છે. એ પૂર્વકર્મના આધારે તંત્ર ચાલે છે, તેને આ જાણવા માંડ્યું કે આ ક્યાંથી આવે છે ને શું થાય છે. પોતે એમાં જ્ઞાતા-દ્રષ્ટા જુદો થઈ ગયો. એની નોંધ છે ફક્ત પોતાની પાસે. દ્રષ્ટા પાસે ખાલી નોંધ તો ટેપ ઊતર્યા કરે ! પ્રશ્નકર્તા : ટેપરેકર્ડને શું કહી શકાય ? એ સમજાવો. દાદાશ્રી : ટેપરેકર્ડ એ પરિણામ છે. એનાં કૉઝીઝ પહેલાં થયેલા. આ ઇફેક્ટ છે. તમે મારી જોડે વાત કરી રહ્યા છો, એ બધું જ પરિણામ છે. મહીં કૉઝીઝ થઈ રહ્યા છે, અંદર કૉઝીઝ ચાલી જ રહ્યા છે. આ મનવચન-કાયાની ત્રણ બેટરીઓ ભરાયા જ કરે છે. પાછલી ત્રણ બેટરીઓ ડીસ્ચાર્જ થયા કરે છે ને નવી ત્રણ બેટરી ચાર્જ થયા કરે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. અજ્ઞાન જાય ને જ્ઞાન થાય ત્યારે ડીસ્ચાર્જ એકલું જ રહે. પછી ચાર્જ ના થાય. જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું’ ત્યાં સુધી ટેપરેકર્ડ ઊતર્યા કરે. અને ‘હું ચંદુલાલ છું’ એ અજ્ઞાન તૂટી ગયું, ફ્રેકચર થઈ ગયું, એ ઇગોઈઝમ ફ્રેકચર થઈ ગયો, એટલે બધું ગયું. ઇગોઈઝમ હોય ત્યાં સુધી બધું ચાલ્યા કરે અને તે ખલાસ થઈ જાય પછી ટેપરેકર્ડ ઊતરે જ નહીં. એટલે અજ્ઞાનતાથી ટેપરેકર્ડ ઊતર્યા કરે છે. વાણી વખતે ય સમાધિ પ્રશ્નકર્તા : આપ બોલો છો, તે ઘડીએ નિર્વિકલ્પ સમાધિનો ભંગ થતો હશે ને ? દાદાશ્રી : ના, બિલકુલે ય સમાધિનો ભંગ થતો નથી. આ રેકર્ડ વાગી રહી છે, એના ઉપર હું જ્ઞાતા-દ્રષ્ટા રહું, એટલે હું મારા ઉપયોગમાં જ રહું. મારા શુદ્ધ ઉપયોગમાં જ રહું. પછી સમાધિનો ભંગ કેમ કરીને થાય છે ? પ્રશ્નકર્તા : એનો અર્થ એમ થયો કે બે વસ્તુ થઈ આમાં ? દાદાશ્રી : એવું છે, આ ટેપરેકર્ડ એ ઈફેક્ટિવ છે બધી ! અને આ બે વસ્તુ દરેકનામાં હોય છે. એક ઈફેક્ટરૂપે હોય છે અને એક કૉઝીઝ રૂપે હોય છે. અમારે ય આ ઈફેક્ટ રૂપે, એટલે ટેપ એની મેળે જ વાગ્યા કરે છે આ. પ્રશ્નકર્તા : ટેપને વગાડવા માટે સ્વીચ તો દબાવવી પડે ને ? દાદાશ્રી : ના, ના, એ દબાઈ ગયેલી જ છે. તમે પૂછો એટલી જ વાર. તમે પૂછો એટલે તરત જ મને ખબર પડી જાય. અમે તો એનાં જ્ઞાતા-દ્રષ્ટા હોઈએ !! પ્રશ્નકર્તા : આ “મને’ ખબર પડી જાય એમ આપે કહ્યું, તો એ શું જુદા થઈ જામ્યું સઘળું ! એટલે જેને જ્ઞાન નથી, એ લોકોને શેના આધારે ટેપરેકર્ડ તૈયાર થાય છે ? અજ્ઞાનના આધારે થાય છે. એટલે એ ‘હું બોલું છું’ એમ કહે છે. અને આ તો અમને જ્યારથી ખ્યાલ આવ્યો કે આ વાણી ક્યાંથી નીકળે છે, આપણે શું લેવાદેવા ? ત્યારથી ખબર પડી કે આ અહીંથી નીકળે છે અને આમ જાય છે ને આવી રીતે થઈને આવે છે. એટલે અમે પછી ‘અમારી વાણી’ કહીએ નહીં ને, એને. પ્રશ્નકર્તા : અત્યારે જે આપની વાણી નીકળી રહી છે, એ તો અત્યારે ઈફેક્ટ છે, રિઝલ્ટ છે. પણ જ્યારે એ રેકર્ડ થઈ હશે ત્યારે તો કંઈ કૉઝ હશે ને ? દાદાશ્રી : કૉઝના આધારે એ પરમાણુ નીકળ્યા. પ્રશ્નકર્તા : કૉઝીઝ એ પૂર્વકર્મ છે ? દાદાશ્રી : “મને’ એ તો વ્યવહારિકથી હું બોલું છું. બાકી આ હું જે બોલે છે ને, એ ડ્રામેટિક શબ્દ છે. આ તમે બોલો છો, એ પણ ડ્રામેટિક
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy