SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત આ બીજા વિકલ્પો ઊભાં થશે આમ તો, આનો કર્તા કોણ ને એનો ર્તા કોણ, આનો કર્તા કોણ, એટલે વિકલ્પો ઊભાં થાય. આ એક તમને વિચારવાની ચીજ મેં આપી. છ-છ મહિના સુધી તમે વિચારો તો આનો અંત આવશે. આપણા ટેસ્ટમાં રહેવું જોઈએ ને ? આમ તેમ ગયું મારીએ, તે ચાલે નહીં. ટેસ્ટમાં તો આવવું જોઈએ કે આ ખરેખર ટેપરેકર્ડ છે, એવું આપણા ખ્યાલમાં આવવું જ જોઈએ. હવે શી રીતે આ વાત, ‘વાણી એ ટેપરેકર્ડ છેએ સમજાય ? જે વાત સાયંટિસ્ટોને સમજાય નહીં, એ વાત લોકોને શી રીતે સમજાય ? ફોરેનના સાયટિસ્ટોને મેં ચેલેંજપૂર્વક કહ્યું કે ‘તમે બોલો છો, તે ટેપરેકર્ડ છે.’ અને કહે છે કે જગત એડવાન્સ થયું છે. આવું એક અક્ષરે ય કોઈ બોલ્યું નથી કે ‘આ ટેપરેકર્ડ છે.” અને કહે તો હું એનાં દર્શન કરવા જાઉં હજ, કે “ઓહોહો, આટલી અજબ સ્ટેજ ઉપર છે આ માણસ !' આટલું જ જો કો’કે કહ્યું હોત કે ‘આ ટેપરેકર્ડ છે.’ તો હું જઈને એને નમસ્કાર કરી આવતું. માતો યા ના માનો ! જ્યાં સુધી અહંકાર ને મમતા હોય ત્યાં સુધી કોઈ ‘વાણી એ ટેપરેકર્ડ છે” એવું બોલે નહીં અને એને સમજાય પણ નહીં. કારણ કે જ્યાં સુધી અહંકાર ને મમતા છે, ત્યાં સુધી વાણીનું માલિકીપણું કેમ કરીને તટે ?! એટલે ઓરિજિનલ ટેપરેકર્ડ કોણ સમજી શકે ? કે જેને બિલકુલ મમતા ના હોય, જેને અહંકાર બિલકુલ ના હોય, તે સમજી શકે. વાણી એ ટેપરેકર્ડ છે, એવું કોઈ બોલ્યો જ નથી ને ! સેલ્ફ રિયલાઈઝેશનવાળો માણસ એવું બોલી શકે. અને સેલ્ફ રિયલાઈઝેશન થયેલો માણસ હોય નહીં. આ સાયેટિસ્ટો થયા છે, આટલી શોધખોળ કરી છે. છતાં સેલ્ફ રિયલાઈઝેશન નથી થયું એમને. પ્રશ્નકર્તા: પણ આ વાતો બધી બહુ સૂક્ષ્મ છે. દાદાશ્રી : આ બહુ સૂક્ષ્મ વાતો છે. હવે આ સાહિત્યકારોએ પણ આવો વિચાર કર્યો હોય એવું મને દેખાતું નથી. કોઈના માન્યામાં આવે એવી વસ્તુ નથી. છતાં ના માનો કે માનો, પણ આમ જ છે. આ એઝેક્ટલી કહું છું, જેમ છે તેમ એઝેક્ટલી કહું છું કે આ વાણી એ ટેપરેકર્ડ છે. એ સર્જત, વૈજ્ઞાનિક પ્રયોગ ! પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડનું સર્જન કેવી રીતે થયું ? બનાવનાર કોણ ? ઓટોમેટિક થયું ? દાદાશ્રી : કોઈ બનાવનાર છે નહીં. ઓટોમેટિક બધું થાય છે. આ બધું સર્જને ય ઓટોમેટિક થાય છે. વૈજ્ઞાનિક પ્રયોગ છે અંદર અને તે કુદરતી રીતે બધું થઈ જાય છે. પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડ મશીન છે, એમાં પહેલા કોઈ સ્વતંત્રપણે બોલેલું હોય તેના પરથી જ થાય. તો આ પણ એવું કંઈક બોલેલું હોય તો પછી અહીં અંદરથી વાગે ને ? એટલે ટેપ તો કરવું પડે ને ? દાદાશ્રી : હા, એ ટેપ થાય છે ત્યાં આગળ જોવા જેવું છે. એ બધી ઝીણી વાત છે. ત્યાંની ક્રિયા કેવી રીતે થાય છે, એ બહુ જાણવા જેવી છે. વાણી એ જુદી વસ્તુ છે. વાણી ઓરિજિનલ ટેપરેકર્ડ તરીકે છે. પણ એ ઓરિજિનલ ટેપરેકર્ડમાં આવ્યું ક્યાંથી ? એ ટેપરેકર્ડ વસ્તુ પોતે જાતે તો બોલી શકે નહીં ને ! કો’ક જગ્યાએથી આવવું જોઈએ ને ? આત્માની હાજરીથી આ ટેપરેકર્ડ ઊતરે છે, તે કેવી રીતે ઊતરે છે, તે હું જાણું છું. પ્રશ્નકર્તા ઃ તો મૂળ વાણી ક્યાંથી આવી ? દાદાશ્રી : એ મુળ વાણી અજ્ઞાનતામાંથી ઉત્પન્ન થાય છે. સ્વરૂપની અજ્ઞાનતા ત્યાં સુધી વાણીનું ઉત્પન્ન થવું. અજ્ઞાનતામાં સંજોગો અનુસાર સાયેટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે આ ઓરિજિનલ ટેપરેકર્ડ ઊભી થઈ. પણ અત્યારે આ બ્રાંતદશામાં કેવી રીતે ટેપ થાય છે, એ જાણવા જેવું છે. સંજ્ઞામાંથી કોડવર્ડ ! પ્રશ્નકર્તા : ટેપ કેવી રીતનાં રેકોર્ડ થાય છે, એ વિગતથી સમજાવો.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy