SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૫૪૩ ૫૪૮ વાણીનો સિદ્ધાંત નાખે, પણ એણે જ્ઞાનીને ખુશ કરતાં આવડવા જોઈએ, રાજી કરતાં આવડવાં જોઈએ. બધું ભસ્મીભૂત કરી નાંખે. જો એક ક્લાકમાં આટલું બધું ભસ્મીભૂત થાય છે લાખો અવતાર જેટલું, તો પછી બીજું શું ના કરી શકે ? કર્તાભાવ નથી. આ માલિકી વગરની વાણી હોઈ શકે નહીં અને માલિકી વગરની વાણીને કોઈએ હાથ ના દેવો જોઈએ કે આમ ન બને, એવું. ખરેખર આટલો આ અપવાદ નથી, પણ આ વસ્તુસ્થિતિ છે. પછી હિસાબ કાઢવો હોય તો એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, કાઢીને પછી નીકળે. પણ એ એનો લાભ ના મળે જેવો જોઈએ એવો. પ્રશ્નકર્તા : આવતા ભવમાં આ બધું સ્મૃતિમાં લાવજો. દાદાશ્રી : હા. તમે નક્કી કરો કે મારે દાદા ભગવાનના જેવી જ વાણી જોઈએ. અત્યારે આવી મારી વાણી ગમતી નથી. એટલે એ પ્રમાણે થશે. તમારા નક્કી કરવા ઉપર આધાર રાખે છે. ટેન્ડર ભરતી વખતે નક્કી કરો. જેવાં વાણી-આચાર જોઈતા હોય તેવાં અને ટેન્ડરમાંથી બધું તમારું ડિસીઝન આવશે. પ્રશ્નકર્તા નક્કી કરવાની બધી બહુ વસ્તુઓ છે. એનાં કરતાં એક જ નક્કી કરવું કે દાદા જેવું. દાદાશ્રી : બસ. પ્રશ્નકર્તા : કપટ કોને કહેવું ? કપટનો દાખલો આપો. દાદાશ્રી : એનું કામ હોય ત્યારે મીઠું મીઠું બોલીને કામ કરાવી લે, આપણી પાસે પછી. મીઠું બોલે એ તો છેતરનાર. એ બધા આ કપટી હોય. કાં તો જ્ઞાની હોય તે મીઠું બોલે. કાં તો કપટી હોય છે. જ્ઞાની તો મીઠું બોલે. ખરાબ બોલીને એ શું કરવા ખોટાં દોષ બાંધે ? પ્રશ્નકર્તા : જે મીઠું બોલે કપટ કરીને, એ દોષ બાંધે ને ? દાદાશ્રી : એ તો મીઠું બોલીને તો એ પુણ્ય બાંધે છે, તેનો એને લાભ થાય છે. લાભ લીધો તેનો આ. આનો દુરુપયોગ કર્યો, તેનું છે તે એને બહુ પાપ લાગે છે, દોષ બેસે છે. થોડું ઘણું મીઠું હતું, એ તો વાપરી ખાધું. સ્ટોકમાંથી મીઠી વાણી હતી, તે થોડી થોડી વાપરી ખાધી. હવે આ ભાઈ છે તે મીઠી વાણી માંગે છે, તે હવે ધીમે ધીમે આવશે. પેલો વાણીનો સ્ટોક ખલાસ થઈ જવો જોઈએને, બળ્યો ! સ્ટોક તો કેવો મોટો, હેય.. મોટું સરોવર ભરેલું હોય ! પણ બધું ખલાસ થઈ જશે એ નક્કી ! પ્રશ્નકર્તા: પણ જે કડવી વાણી હોય, એ પણ સામાને અહિતકારી તો હોય જ ને ? દાદાશ્રી : એ બધી વાણી ખરાબ અને ખરાબ વાણી એ નુકસાનકારક છે. હવે કડવી બોલે, તો સામાને હિતને માટે કડવું બોલતો હોય તો ય પુણ્ય બંધાય. હિતને માટે છે ને ! પ્રશ્નકર્તા : પણ એમાં કપટનો આશય ના હોવો જોઈએ, નહીં ? દાદાશ્રી : કપટ તો હોય જ નહીં ને, હિતને માટે કરે તો ?! મીઠી વાણી, ખપે મોક્ષદ્વારે ! ભગવાન શું કહે છે ? હજુ તમે મોક્ષમાર્ગના દરવાજે રહીને હજુ દરવાજાની ધજા જોઈ છે. દરવાજામાં આવશો ત્યારે મીઠી વાણી થઈ જશે. વાણી મીઠી થયા વગર દરવાજામાં પસાતું નથી. એ એની નિશાની હોવી કડવી છતાં બાંધે પુણ્ય ! પ્રશ્નકર્તા : પણ નક્કી એવું તો ખરું જ કે વાણી તો મધુકર જ જોઈએ, મધુર વાણી જોઈએ. દાદાશ્રી : લુચ્ચો હોયને, તેને મધુર વાણી હોય. કપટ કરવું હોય તેને મધુર વાણી બહુ આવડે આવું. આપણા પાટીદાર લોક કપટી નહીં, તે શી રીતે આવડે ? લોક તો કપટી હોય તો મીઠો હોય. લોક કહેને, મીઠડો છે !
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy