SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૬ વાણીનો સિદ્ધાંત [૧૧] મશ્કરીમાં જોખમો. મશ્કરીથી તૂટે વચનબળ ! પ્રશ્નકર્તા : વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય ? દાદાશ્રી : એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ શબ્દ ખોટા સ્વાર્થ કે પડાવી લેવા માટે ના વાપર્યો હોય, શબ્દનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય, ત્યારે વચનબળ ઉત્પન્ન થાય છે. કારણ કે મશ્કરી ભગવાનની થઈ કહેવાય. છેવટે તો ભગવાન જ છે ને ! જીવમાત્રમાં ભગવાન જ રહેલા છે ને ! મશ્કરી કોઈની કરાય નહીં ને ! આપણે હસીએ ને, તો ભગવાન જાણે કે ‘હા, હવે આવી જાને, તારો હિસાબ લાવી આપું છું આ ફેરો.” કોઈ આમ આમ ચાલતા હોય, એને આપણાં લોકો હસે. અલ્યા, શું મશ્કરી કરે છે ? મહીં ભગવાન સમજી ગયા બધું ! એની આવી દશા થઈ, તેની પર તું મશ્કરી કરું છું એમ ? તારી દશા ય એવી થશે ! આવો નિયમ જ છે ! માટે આ દશાઓ સાચવો. પ્રશ્નકર્તા : મારાથી તો મોટાની મશ્કરી થઈ જાય છે. દાદાશ્રી : એવું છે કે તમે તો અત્યારે આ વાત જાણી કે મશ્કરી કરવી એ ગુનો છે, હું તો નાની ઉંમરમાં જાણતો હતો, તો ય આઠ-દસ વર્ષ સુધી મશ્કરી થયા કરી. તમને તો બહુ ઝપાટાબંધ જતી રહેશે. છતાં ય એવી મશ્કરી કરવામાં વાંધો નથી કે જેનાથી કોઈને દુઃખ ના થાય અને બધાને આનંદ થાય. એને નિર્દોષ ગમ્મત કહી છે. એ તો અમે અત્યારે ય કરીએ છીએ, કારણ મૂળ જાય નહીં ને ! પણ એમાં નિર્દોષતા જ હોય ! ‘જોક’તા ય પ્રતિક્રમણ...... અરે, સહેજે ય કોઈને ‘જોક’ કર્યો હોય અને સામો જરા કાચો હોય ને જરા ચલાવી લેતો હોય પણ એના પ્રત્યે જોક કર્યો, તો એ અતિક્રમણ કર્યું કહેવાય. અમે ‘જોક' કરીએ, પણ નિર્દોષ ‘જોક' કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળો બનાવવા માટે ‘જોક’ કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. બાકી એ ‘જોક' કોઈને દુઃખ ના કરે. આવી આ ગમ્મત જોઈએ કે ના જોઈએ ? પેલો ય સમજે કે આ ગમ્મત કરે છે, મશ્કરી નથી કરતા. હવે આ અમે કોઈની ગમ્મત કરીએ, તો એના ય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે એમ ને એમ એવું ચાલે નહીં. પ્રશ્નકર્તા : પોતાના માનને માટે અને સ્વાર્થને માટે બરોબર છે પણ મકરી કરી, તેમાં શો વાંધો છે ? દાદાશ્રી : મશ્કરી કરી તે તો બહુ ખોટું. એના કરતાં માન આપો,તે સારું ! મશ્કરી તો ભગવાનની થઈ કહેવાય ! તમને એમ લાગે છે કે આ ગધેડા જેવો માણસ છે ‘આફટર ઓલ’ એ શું છે, એ તપાસ કરી લો !! “આફટર ઓલ’ એ તો ભગવાન જ છે ને ! તેથી અમે કહીએ છીએ ને, ‘મશ્કરી કરો તો બહુ ખોટું કહેવાય.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy