SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૪૯ વાણી એ જ આ દુનિયામાં સાંભળવા જેવી. માલિકી વગરની વાણી તો આજ સાંભળવાની મળી તમને. માલિકી વગરની વાણી જો તમે સાંભળી હોય તો આ અહીં આગળ જ છે. માલિકી વગરની વાણીનું તમે સમજ્યા કે ના સમજ્યા ? માન્યામાં આવે છે ? પ્રશ્નકર્તા : આવે છે. પ૦ વાણીનો સિદ્ધાંત છૂટ્યો. અને બોલનારનો જાણનાર ના રહ્યો પણ પ્રતિક્રમણ કર્યું તો ય તું છૂટ્યો. તીર્થકરો એકલાં જ જાણતા હતા કે આ રેકર્ડ બોલી રહી છે. તે અમે એ વાત ઊઘાડી કરી દીધી કે આ રેકર્ડ બોલી રહી છે. તું સાંભળે છે અને હું જોઉં છું ને જાણું છું. એનાં મનમાં એમ થાય કે આ હું રોજ બોલું છું, પણ આ તો રેકર્ડ બોલે છે. દાદાશ્રી : આખી દુનિયામાં ખોળી કાઢો કે માલિકી વગરની કોઈ વાણી છે ? કારણ કે આ વાણી માત્રના સહુ કોઈ માલિક હોય. “મૈને બોલા. મેંને. હમને બોલા, હમને કિયા. ઉસમેં ક્યા ભૂલ હૈ હમારી ?” એવું જ બોલે ને ? એટલે આપણે પૂછીએ કે, “સાહેબ, આ તમે તદન સાચું પદ્ધતિસર કહો છો કે તમે જ બોલો છો ?” ત્યારે એ કહે, ‘ઈસમેં ભૂલ જ નહીં.’ હવે એને ખબર નથી કે પોતે બોલે છે કે આ ટેપરેકર્ડ બોલે છે. શી રીતે ખબર પડે ?! એટલે આ વાણીને લીધે જ અટકયું છે બધું. ‘વિચાર'ને તો સમજી ગયા છે કે “આ મન એ ફિઝિકલ છે' એવું સમજે છે ઘણાં લોકો. આ વાણીની જ ભાંજગડ છે. આ દેહ છુટો છે એમે ય જાણે છે. એટલે વાણી એ ટેપરેકર્ડ છે, એવું જો સમજી જાય તો ઉકેલ આવે. અમે તો આ તમને શોર્ટમાં આપી દીધું. પણ વિગતવાર તમારે જાણી લેવું. પૂછવામાં શો વાંધો ? અને આ રેકર્ડ દરઅસલ હંડ્રેડ પરસેન્ટ ફેક્ટ આપે એવી વસ્તુ છે. માટે લાભ લઈ લો. અહીં એવું કશું નથી કે આમ પૂછાય કે આમ ના પૂછાય. પૂછો તો ખુલાસો થશે. આમાં કંઈ કોઈ જાતનું નુકસાન થવાનું નથી. એ જ એનો અર્થ ! પ્રશ્નકર્તા : તે એમ કહો છો કે આ ટેપરેકર્ડ બોલે છે. એ તમે ખરેખર શું કહેવા માગો છો ? એ જરા સમજણ પાડો. દાદાશ્રી : માલિકી વગરની વાણી ! એટલે ‘હું બોલતો નથી' એ એનો અર્થ !! અમે શું કહ્યું? બોલનારનો તું જાણનાર રહ્યો, તો તું ટેપરેકર્ડ બોલ્યાના પુરાવા ! એક લોજિકના પ્રોફેસરે મને કહેલું કે, ‘આ એકઝેક્ટલી ટેપરેકર્ડ છે કે આ લોકોને ઠંડા રહેવા માટે કહો છો ? બીજા માણસો એને ગેરસમજ ના કરે એટલા માટે ને ?” મેં કહ્યું, “ના, એકઝેક્ટલી ટેપરેકર્ડ જ છે. અમારાથી એવું ગેરસમજ માટે એવું સચવાય નહીં. ગાફેલ શબ્દ અમારો ના હોય કોઈ. ગાફેલને લોકો કાયદો માની લે. અમે જે શબ્દ બોલીએ, તેને લોકો કાયદા જ માને. એટલે ગાફેલ તો અમારાથી બોલાય જ નહીં.” તેમણે કહ્યું, ‘ત્યારે તમે ગાફેલ નથી બોલતા ?” કહ્યું, ‘ના.” ત્યારે એ કહે છે, ‘પણ એવું હોતું હશે ? આ ટેપરેકર્ડ તો બોલતી હશે ?” મેં કહ્યું, ‘તો શું છે ?” ત્યારે એ કહે છે, “ના, એ તો બોલે જ છે બધા.' મેં તેમને કહ્યું, ‘તમે લોજિકના પ્રોફેસર થઈને આવું બોલો છો ?” ત્યારે એ કહે છે, ‘પેલા એક મોટા ફિલોસોફર હતા. તે બે કલાક ભાષણ બોલતા હતા. તે કેટલું બધું બોલતા હતા !” મેં કહ્યું, ‘એ ટેપરેકર્ડ બોલે છે. એ તો અહંકાર કરે એટલું જ, કે “બોલ્યો.” ત્યારે એ કહે છે, “પણ ટેપરેકર્ડ બોલે છે એનો શું પુરાવો છે તમારી પાસે ?” ત્યારે મેં કહ્યું, ‘એ બોલ્યા એ પરિણામ હતું કે કૉઝ હતા ?” ત્યારે એ કહે કે “પરિણામ હતું.’ ત્યારે મેં કહ્યું, ‘‘પરિણામમાં કોઈ કરી શકે ખરો ?” ત્યારે એ કહે છે. ‘ના કરી શકે.ત્યારે મેં કહ્યું, ‘તો ય હજુ ટેપરેકર્ડ બોલે છે એવું માન્યામાં નથી આવતું ?” ત્યારે એ કહે છે, “પણ વાણીને ટેપરેકર્ડ ના મનાય. એ બોલે છે, આપણે બોલી શકીએ છીએ, એટલે વાણીને ટેપરેકર્ડ આપણે માની શકીએ નહીં.' બીજું મેં કહ્યું, ‘પેલા તત્ત્વચિંતક જે બોલ્યા, તેમને આપણે કહીએ કે એનું એ જ ફરી બોલી જાવ. તો એ બોલે ખરા ?”
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy