SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત વ્યુપોઈન્ટથી કરેક્ટ લાગતું હોય, સામાને એનાં વ્યુપોઈન્ટથી કરેક્ટ લાગતું ના હોય તો ? ૪૩૯ દાદાશ્રી : એ બધી વાણી સાવ ખોટી છે. પણ સામાને ફીટ થઈ, એનું નામ કરેક્ટ વાણી ! સામાને ફીટ થાય એવી આપણી વાણી બોલવી જોઈએ. પ્રશ્નકર્તા : આપણે સામાને કંઈક કહીએ, આપણા મનમાં અંદર કશું હોય નહીં તે છતાં આપણે એને કહીએ, તો એને એમ લાગે કે ‘આ બરાબર નથી કહેતાં, ખોટું છે.' તો એને અતિક્રમણ કહેવાય ? દાદાશ્રી : પણ એને દુઃખ થતું હોય તો આપણે પ્રતિક્રમણ કરી લેવું. આપણને શું એમાં મહેનત જવાની છે ? કોઈકને દુઃખ કરીને આપણે સુખી થઈએ નહીં. શરૂઆતમાં અમારાથી કોઈને દુઃખ થાય એવું બોલાઈ જાય, તો એને વાળી લેવા અમે કહીએ કે, ‘ભઈ, પહેલેથી જ અમારું મગજ જરા આવું છે.’ એટલે સામો ખુશ થઈ જાય. ટોકાય, પણ દુઃખ તા થાય તેમ ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય, તેને ટકોર કરવી પડે છે. તો તે કરાય કે નહીં ? દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એમાં અહંકાર સહિત થાય છે. માટે એનું પ્રતિક્રમણ કરવું. પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે ? દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યારે તો ‘ટેસ્ટેડ’ (પરીક્ષણ વાણીનો સિદ્ધાંત થયેલી) વાણી જોઈએ. ‘અટેસ્ટેડ’ વાણી બોલવાનો અધિકાર નથી. આ રીતે પ્રતિક્રમણ કરશો તો ગમે તેવું હશે તો ય સીધું થઈ જશે. પ્રશ્નકર્તા : આપણે કેટલીક વખતે સામાના હિત માટે એને ટોકવું પડે, અટકાવવા પડે. તો તે વખતે એને દુઃખ પહોંચે તો ? ४८० દાદાશ્રી : હા. કહેવાનો અધિકાર છે. પણ કહેતાં આવડવું જોઈએ. આ તો ભાઈ આવે, તેને જોતાં જ કહે કે ‘તું આવો છું ને તું તેવો છું.’ તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય. સામાને દુઃખ થાય એવું હોય તો આપણે કહેવું, ‘હે ચંદુભાઈ પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? ફરી આવું નહીં બોલું અને આ બોલ્યો તેનો પશ્ચાત્તાપ કરું છું.’ એટલું જ પ્રતિક્રમણ કરવું પડે. વિનયપૂર્વક અવળાં વેણ.... પ્રશ્નકર્તા : એટલે બીજાને માઠું લાગે, એ આપણે જોવાનું નહીં. આપણે કહી દેવાનું ? દાદાશ્રી : એવું ના કહેવું જોઈએ. દુ:ખ થાય એવી વાત શા માટે કહેવી જોઈએ ? પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતાં હોય કે ખોટું કરતાં હોય તો ય આપણે બોલવું નહીં ? દાદાશ્રી : બોલવાનું. એવું કહેવાય, ‘આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.' આપણે એવું કહેવાય. પણ આપણે એમના બૉસ (ઉપરી) હોય, એવી રીતે વાત કરીએ છીએને, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય, એને વિનયથી કહેવા જોઈએ. પ્રશ્નકર્તા : ખરાબ શબ્દ બોલતાં વિનય જળવાઈ શકે ? દાદાશ્રી : એ જળવાય, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે ‘ડ્રામેટિક’ (નાટકીય) છે ને ! હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, ‘હું ભર્તુહરી રાજા છું, આ રાણીનો ધણી થઉં, પછી ભિક્ષા દેને મૈયા પીંગળા.' કહીને આંખમાંથી પાણી કાઢે છે. ત્યારે ‘અલ્યા, તું તો લક્ષ્મીચંદ છેને ? તું સાચું રડે છે ?” ત્યારે કહેશે, ‘હું શું કરવા સાચું રડું ? આ તો મારે અભિનય
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy