SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૪૬૫ ૪૬૬ વાણીનો સિદ્ધાંત ચાખો છો નિરાંતે. પેલો થોડું સાચું બોલ્યો, તેનું ફળ એને આવ્યું છે. હવે અત્યારે જૂઠું બોલે છે, તો એનું ફળ એને આવશે. તમે સાચું બોલશો તો એનું ફળ આવશે. આ તો ફળ ચાખે છે. જાય છે, બિલકુલ ન્યાય છે. એક માણસને આજે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ને એ પાસ થયો. અને આપણે નાપાસ થયા. પાસ થનારો માણસ આજે રૂખડ ખડ કરતો હોય, પણ પરીક્ષા આપતી વખતે કરેક્ટ આપી હોય. એટલે આ બધું જ આવે છે, એ ફળ આવે છે. તે ફળને શાંતિપૂર્વક ભોગવી લેવું, એનું નામ વઢું છું કોઈને ? પણ જરા આવું સમજીને બોલજો. જૂઠું બોલવાની આદત વધતી જવી ના જોઈએ. એ આદત વધતી જાય તો એ બંધ કરી દો. ખાલી વાત વાતમાં જૂઠાની ટેવ જ પડી જાય છે. અરે નહીં કામનું, લેવાદેવા વગર શું કરવા જૂઠું બોલો છો ?! જૂઠાની આદત પડી ત્યાં એ બંધ કરી દેવું. પણ બીજી રીતે તમારું કામ કાઢી જવા માટે કરો ને ! પુરુષાર્થ. પ્રશ્નકર્તા : કંઈ પણ ખોટું બોલતાં અટકી જવાય છે. તો એ ક્યા પ્રકારની જાગૃતિ છે ? દાદાશ્રી : આ ય તમારું પુણ્ય છે. પ્રશ્નકર્તા: બીજાના ભલા ખાતર ખોટું બોલવું એ પાપ ગણાય ? દાદાશ્રી : મૂળ તો ખોટું બોલવું એ જ પાપ ગણાય. તો બીજાના ભલા ખાતર બોલીએ તો એક બાજુ પુણ્ય બંધાયું અને એક બાજુ પાપ બંધાયું. એટલે આમાં થોડુંકે ય પાપ રહે છે. જૂઠું બોલવાથી શું નુકસાન થતું હશે ? વિશ્વાસ ઊઠી જાય આપણા પરથી. ને વિશ્વાસ ઊઠી ગયો એટલે માણસની કિંમત ખલાસ ! તો જ જૂઠું બોલાય ! જે જૂઠામાં સામા માણસને કંઈ પણ નુકસાન થાય અને જે જૂઠું બોલવાની તમને ટેવ પડતી જાય, એ ના હોવું જોઈએ. સામાને નુકસાન ના થતું હોય ને તમને ટેવ પડતી હોય તો ય જૂઠું બોલવાનું બંધ કરી દો. પ્રશ્નકર્તા: કળિયુગમાં તો એવા જૂઠું બોલવાનાં સંજોગો આવતા જ હોય છે. ધંધામાં, બૈરી આગળ. દાદાશ્રી : પણ લોકો ક્યારે જૂઠું બોલતા નથી ?! બોલે જ છે ને ! પણ બોલો તો ય આવી રીતે બોલજો. બધા બોલતા હોય તો ય હું ક્યાં આપણું જૂઠ પકડાય ત્યારે... પ્રશ્નકર્તા : અને જૂઠું પકડાઈ જાય ત્યારે શી દશા થાય ? દાદાશ્રી : આપણે કહેવું ને, કે ‘પકડાઈ ગયું અમારું અને હું તો કહી દઉં કે ‘ભાઈ, હું પકડાઈ ગયો.’ વાંધો શો છે ? પછી પેલો ય હસે અને આપણે ય હસીએ. એમાં પેલો સમજે કે આમાં કંઈ લેવાદેવા નથી, કે નુકસાન થાય એવું નથી. પ્રશ્નકર્તા : અમારું જૂઠું ધારો કે તમે પકડી લીધું, તો પછી તમને શું થાય ? દાદાશ્રી : કશું ના થાય. ઘણા ફેરા જૂઠું હું પકડું. હું જાણું કે આવું જ હોય. એથી વધારે આપણે આશા કેમ કરીને રખાય ? પ્રશ્નકર્તા : અમને જૂઠાનો બહુ અનુભવ છે. દાદાશ્રી: એ તો હોય ને ! અને મને ય બધા બહુ અનુભવ થયા. મારી પાસે પચાસ હજાર લોકો, તે અનુભવ નહીં થતો હોય ? બધો અનુભવ થાય. આ સ્ત્રીઓ વાત વાતમાં જૂઠું શાથી બોલે તે હું જાણું ને ! હીરાબાને હું પૂછું કે, ‘ક્યાં ગયાં હતાં ?” ત્યારે એ ગયા હોય આ બાજુ ને કહેશે આમ, પછી હું સમજુ કે આ ભયને માટે બોલે છે. સ્ત્રીઓમાં આ ગ્રંથિ પડેલી હોય છે, વગર કામની. હવે કશું આપણે વઢતા ના હોઈએ, તો ય એ ગ્રંથિ પડેલી હોય છે.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy