SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૪૪૮ વાણીનો સિદ્ધાંત જ્ઞાનીને શબ્દ શી રીતે વાગે ?! માટે તમારે તો સેફસાઈડ જ છે ને ! શબ્દ તો ‘આપણને’ વાગે નહીં ને ! ગાયા જ કરો ને, તમારી મેળે. તમે થાકો, પણ હું નહીં થાકું. કારણ કે અહંકાર ગયા પછી એકદમ નિરંતર પરમાનંદ જેવું રહે આપણને. કોઈ ગાળ ભાંડે તો અહંકાર હોય ત્યાં સુધી પ્રતિકાર કરે. પણ અહંકાર જ ના હોય તેને ? લઢવાનું રહ્યું જ નહીં ને ! વાણીતી અથડામણથી મુક્તિ ! ખાનદાન નાતમાં તો બહુ ઊંચો એવો આ બાહ્ય વ્યવહાર દેખાય. એ કોઈને એવું ના કહે કે “આ બધાં અક્કલ વગરનાં છે.” ક્યારે બોલ્યા ય નહીં હોય એમની જિંદગીમાં ! અમને કોઈ વાંકું બોલી જાય તો ય પણ એને દુ:ખે ના થાય એટલાં માટે એમની આંટી છોડી આપી ને પછી મોકલીએ. આપણે આંટી નથી પાડવી, પણ એ એની મેળે જ આંટી પાડે. અમને આવડે આંટી છોડાવતા અને પછી જાય. પ્રશ્નકર્તા: પછી કહો કે “રોજ આવજે ?” દાદાશ્રી : હા, કહીએ “રોજ આવજે.' પ્રશ્નકર્તા: કારણ કે આવનારો તો એ છે જ નહીં, પછી આપણે કહેવાનો શું વાંધો ? દાદાશ્રી : ના આવે તો ય શું? આવે તો કોને આવે. અને એણે કંઈ આવું ન બોલવું જોઈએ, એવું એના હાથમાં નથી. એના ગમે એવાં બોલથી આપણને અથડામણ ના થવી જોઈએ. એ ધર્મ છે. હા. બોલ તો ગમે તેવા હોય. એ કંઈ બોલને એવી શરત હોય છે કે ‘અથડામણ જ કરવી” એ બોલે તો ? મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, તેનું નામ માણસ કહેવાય ! એ છે ટોપમોસ્ટ હિંસા ! વાણી બોલે તેનો વાંધો નથી. એ તો કોડવર્ડ છે. તે ફાટે ને બોલ્યા કરે, તેનું આપણે રક્ષણ ના કરવું જોઈએ. વાણી બોલો તેનો વાંધો નથી, પણ “અમે સાચા છીએ' એમ એનું રક્ષણ ના હોવું જોઈએ. પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે. પોતાની વાત સાચી જ છે એવું ઠસાવવા જાય તે જ હિંસા છે. - “અમે સાચા છીએ એનું નામ જ રક્ષણ કહેવાય અને રક્ષણ ના હોય તો શું જ નથી. ગોળા બધા ફૂટી જાય અને કોઈને ય વાગે નહીં બહુ. અહંકારનું રક્ષણ કરે, તેનાથી બહુ વાગે છે. આ વાણીથી આખું જગત ઊભું રહ્યું છે. જો વાણી ના હોત તો તો આ જગત આવું ના હોત. એટલે વાણી જ મુખ્ય આધાર છે. વાવ કરે રીટર્ન ! પ્રશ્નકર્તા : પ્રત્યેક વિચાર, વાણી અને વર્તન આખું ય પોતાનું પ્રોજેક્શન થયું ને ? લોકો જે ડિલિંગ કરે છે, એ પણ પોતાનું પ્રોજેક્શન. દાદાશ્રી : હં, પણ લોકો પ્રોજેક્શનમાંથી પછી નવું પ્રોજેક્શન ઊભું કરે છે. આ પ્રોજેક્શનનું પરિણામ છે. પેલા પ્રોજેક્શનનાં કોઝ ય છે અને પછી ઈફેક્ટ ય છે. એક ફેરો ચોર બોલી જાય એટલે ચોર સાંભળવું પડે, એ તો આપણે સમજીએ કે ભઈ, બોલ્યા માટે આવે. ફરી ના બોલીએ એટલે? પ્રશ્નકર્તા: તો એ ફરી બોલવાની પ્રક્રિયા, પેલી વાવમાં તો ચોખ્ખી છે કે આમ બોલ્યો અને પેલો પડઘો આવ્યો અને ફરી નથી બોલતો, તો આમાં કેવી રીતે છે ? દાદાશ્રી : એવી એવી જ ચોખ્ખી રીતે છે. એવું જ ચોખ્યું છે. બીજું પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આ તો સવાર સુધી અથડામણ કરે એવા લોક. પ્રશ્નકર્તા : હા, કરે. દાદાશ્રી : અને આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ,
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy