SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૪૧૭ ૪૧૮ વાણીનો સિદ્ધાંત કોડ” બદલાવવાની કળા ! પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતનાં ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે ? દાદાશ્રી : ના. એ ટેપિંગ વાણી બોલતી ઘડીએ થતું નથી. આ તો મૂળ આગળ જ થઈ ગયું છે. અને પછી આજે શું થાય ? છપાયા પ્રમાણે જ વાગે. પ્રશ્નકર્તા : પાછું અત્યારે બોલીએ, તે વખતે જાગૃતિ રાખીએ તો? દાદાશ્રી : અત્યારે તમે કોઈને દફડાવો. પછી મનમાં એવું થાય કે “આને દફડાવ્યો, તે બરાબર છે.” એટલે ફરી પાછું તેવા હિસાબનો કોડવર્ડ થયો. અને “આને દફડાવ્યો, તે ખોટું થયું.’ એવો ભાવ થયો, તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. ‘આ દફડાવ્યો, એ બરોબર છે.' એવું માન્યું કે એના જેવો જ ફરી કોડ ઊભો થયો અને એનાથી એ વધારે વજનદાર બને. અને “આ બહુ ખરાબ થઈ ગયું, આવું ના બોલવું જોઈએ, આવું કેમ થાય છે ?” એવું થાય તો કોડ નાનો થઈ ગયો. કરવો પડે ? એના કરતાં કોડ જ ના થાય એવું અમારે જોઈએ. દાદાશ્રી : આ તો એકાદ ભવ પૂરતું જ છે. આગળ તો તમારા કોડ આવા રહેવાનાં જ નથી. જેની આજે ખરાબ ભાષા નથી, તે લોકોએ કોડ બદલ્યો નથી અને જેની ખરાબ ભાષા છે, તેમણે કોડ બદલ્યા છે. એટલે પેલા કાચા પડી ગયા છે ને આ પાકાં થયા છે. જે કહે કે “દાદા, મારી આ વાણી ક્યારે સુધરશે ?” ત્યારથી આપણે ના સમજીએ કે આ કોડ બદલે છે ? પ્રશ્નકર્તા : જેને મોક્ષે જવું હોય, તેને તો કોઈ કોડ દાખલ જ નહીં કરવાનો ને ? એના માટે શું કરવું ? દાદાશ્રી : મોક્ષમાં જતાં સુધી શી હરકત થાય તેમ નથી. મોક્ષે જતાં જેવા કોડ જોઈએ, તે આવતા ભવમાં ઉત્પન્ન થશે. અત્યારે મને પૂછીને જેટલો માલ ભરે, તેનો આવતા ભવમાં પછી એવો જ કોડ ઉત્પન્ન થશે. પ્રશ્નકર્તા : તીર્થકરોની વાણીના કોડ કેવા હોય છે ? દાદાશ્રી : એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત્માત્ર પ્રમાણ પણ ના દુભાય. ઝાડનું ય પ્રમાણ ના દુભાય. એવા કોડ ફક્ત તીર્થકરોને જ થયેલા હોય. તિઃસ્પંદને ચંભિત ટેપીંગ ! પ્રશ્નકર્તા: જેને ટેપ જ ના કરવું હોય, તેના માટે શું રસ્તો ? દાદાશ્રી : કશું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ! આ ય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. આનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય. પ્રશ્નકર્તા: હવે આવું ક્યાં સાંભળવાનું મળે ? જ્ઞાની સિવાય આવી પ્રશ્નકર્તા : હવે ‘આ બરોબર કર્યું એવું ય ના થાય ને ‘બરોબર ના કર્યું' એવું ય ના થાય, તો પછી કોડ ઊભો થાય ? દાદાશ્રી : એ તો મૌન નક્કી કરીએ તો મૌન થઈ જાય. પ્રશ્નકર્તા : ઘણી વખત મોઢે ના બોલાય, પણ અંતરવાચા હોય ખરી ને ? મહીં અંદર ભાવ બગડ્યા કરે, તેનું શું ? દાદાશ્રી : તમારે પોતાની જાતને અંદર કહી દેવાનું કે “આવું ખોટું ના હોવું જોઈએ. આવું સુંદર હોવું જોઈએ.’ પ્રશ્નકર્તા : પછી સુંદરનો કોડ આવી જાય ને ? દાદાશ્રી : સુંદરનો કોડ તો આવે જ ને ! પ્રશ્નકર્તા : તે પાછો નવો કોડ થાય, તેના માટે નવો દેહ ધારણ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy