SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૪૦૫ ૪૬ વાણીનો સિદ્ધાંત પાડ્યા હોય તો ? દાદાશ્રી : મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે, એ તો બીજે અવતારે અસર કરે. અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. વાણી થઈ કે રોકડું થયું, કેશ થયું, તે ફળે ય કેશ આવે અને મનથી ચીતયું તે તો આવતે અવતારે રૂપક થઈને આવશે. છોકરો કપડાં બે વખત પહેરતો હોય, એને આપણે કહીએ, ‘શું નકામું પૈસા બગાડું છું, જાણે કપડાં ધૂળધાણી કરી નાખું છું.' એ અંતરાય પડ્યો બધો. આપણને નહીં મળે. આંતરો કોઈનામાં પાડશો નહીં. પ્રશ્નકર્તા : જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય શેનાથી પડે છે ? દાદાશ્રી : ધર્મમાં આડુંઅવળું બોલે, ‘તમે કંઈ જ સમજતા નથી ને હું જ સમજું છું.' એનાથી જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય પડે. અગર તો કોઈ આત્મજ્ઞાન પામતો હોય તેમાં આડખીલી થાય તો તેને જ્ઞાનનો અંતરાય પડે. કોઈ કહે કે, “જ્ઞાની પુરુષ' આવ્યા છે, ચાલો આવવું હોય તો. ત્યારે તમે કહો કે, હવે એવા તો ‘જ્ઞાની પુરુષ' ઘણાં ય જોયા છે. આ અંતરાય પડ્યો ! હવે મનુષ્ય છે, એટલે બોલ્યા વગર તો રહે જ નહીંને ! તમારાથી ના જવાય તેમ હોય એટલે તમને મનમાં ભાવ થાય કે “જ્ઞાની પુરુષ' આવ્યા છે, પણ મારાથી જવાતું નથી, તો અંતરાય તૂટે. અંતરાય પાડનારો પોત અણસમજણથી અંતરાય પાડે છે, તેની તેને ખબર નથી. કેટલા બધા અંતરાય પાડ્યા છે જીવે ! આ જ્ઞાની પુરુષ છે, હાથમાં મોક્ષ આપે છે. ચિંતારહિત સ્થિતિ બનાવે છે, તો પણ અંતરાય કેટલાં બધાં છે કે એને વસ્તુની પ્રાપ્તિ જ ના થાય ! કેટલાંક કહે કે, “આવું અક્રમ જ્ઞાન તે વળી હોતું હશે ? કલાકમાં મોક્ષ તે હોતો હશે ?' એવું બોલ્યા કે તેમને અંતરાય પડ્યા. આ જગતમાં શું ના બને, એ કહેવાય નહીં. માટે બુદ્ધિથી માપ કાઢવા જેવું આ જગત નથી. કારણ કે આ બન્યું છે એ હકીકત છે. ‘આત્મવિજ્ઞાન' માટે તો ખાસ અંતરાય પડેલા હોય. આ છેલ્લામાં છેલ્વે સ્ટેશન છે. ડખા તે ડિસ્ચાર્જ, વાણીતાં... આપણે શબ્દોથી ડખોડખલ ના કરવી. આપણે સંસ્કાર દેખાડીને ડખોડખલ કરવી અને શબ્દો તો એવા બોલવા કે સામાને વાગે નહીં, તો શબ્દો બોલવાનો અધિકાર છે. મારા શબ્દો સામાને વાગતા નથી, એટલે હું બોલું છું. પ્રશ્નકર્તા : બે જણા વાત કરતા હોય ને આપણે વચમાં બોલીએ, એ કંઈ આપણે ડખો કર્યો કહેવાય ? કે આપણું ડિસ્ચાર્જ છે એ ? દાદાશ્રી : ડખો કરવાથી ડખો થઈ જાય. પ્રશ્નકર્તા : ડખો કરવાથી એટલે કેવી રીતે થાય ? દાદાશ્રી : એ કહે કે, ‘તમે શું કરવા બોલ્યા ?” ત્યારે આપણે કહીએ, ‘હવે નહીં બોલું.’ તો એ ડખો નહીં. એને બદલે તમે તે ઘડીએ શું કહો કે “નહીં બોલું તો નહીં ચાલે આ ગાડું, બગડશે બધું.” એ ડખો. વચ્ચે બોલાઈ જવાય એ ડખો કહેવાય, પણ તે ડખો ય ડિસ્ચાર્જ છે. હવે તે ડિસ્ચાર્જ ડખામાં ય નવો ડખો થઈ ગયો હોય. ડખો ડિસ્ચાર્જ કોને કહેવાય? પેલો કહે કે, “ના બોલશો. મારે તમારી વાત નથી સાંભળવી.” ત્યારે આપણે કહીએ, ‘બંધ, ચાલો. નહીં બોલીએ.’ એ ડખો બધો ડિરચાર્જ, એ ડખો કહેવાય નહીં. ડખો તો કોને કહેવાય કે પેલો બોલવાનું ના કહે તો ય તમે પેલાને કહો, ‘તમે માનતા નથી. મારી વાત તો સાંભળો.” એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : બને જ દાદા. બને જ. જ્યાં આગ્રહ હોય ત્યાં બને જ. દાદાશ્રી : એ આગ્રહ એ જ ડખો છે. ફરીવાર એમ કહેવાય કે અમે તને વિનંતિ કરીએ છીએ કે આમ કરો તો સારું. એ ડખા સ્વરૂપ નહીં. બાકી જ્ઞાન લીધા પછી ય ડખો કરે. એની આદત જાય નહીં ને ! ગાંડી વાણીતે વાળવી, સમ્યક્ રીતે ! પ્રશ્નકર્તા સંસાર જ એવી વસ્તુ છે કે ત્યાં નર્યા અંતરાયો જ છે.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy