SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૩૯૧ અપવ્યય-દુર્વ્યય, વાણીતાં ! ટોણા મારવા, એ તો મોટી હિંસા કહેવાય. આ વાણીનો અપવ્યય અને દુર્વ્યય એ તો હિંસક નથી. પણ વગર કામની શક્તિ વ્યય કર્યા કરે. પ્રશ્નકર્તા : વાણીનો અપવ્યય અને દુર્વ્યય સમજાવો. દાદાશ્રી : અપવ્યય એટલે ઊંધી વાણી વાપરવી અને દુર્વ્યય એટલે વ્યય નહીં કરવા જેવી જગ્યાએ વ્યય કરે. વગર કામનો ભસભસ કરે, એ દુર્વ્યય કહેવાય. તમે જોયેલું, વગર કામના ભસભસ કરે એવા હોય છે ને ? એ દુર્વ્યય કહેવાય. પ્રશ્નકર્તા : એનું ઉદાહરણ આપો. દાદાશ્રી : આપણા લોકો નથી કહેતા કે આ વગર કામનો બોલ બોલ કરે છે, ના બોલવાનું બોલ બોલ કરે છે ? એ દુર્વ્યય કહેવાય. પ્રશ્નકર્તા : અને અપવ્યય એટલે ? દાદાશ્રી : જ્યાં જે વાણી હોવી જોઈએ ત્યાં બીજી જ વાણી બોલવી, એ અપવ્યય કહેવાય. જે જ્યાં ફીટ થતું હોય, તે જ્ઞાન નહીં બોલવાનું ને બીજી રીતે બોલવાનું, એ અપવ્યય. જૂઠ્ઠું બોલે, પ્રપંચ કરે, એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યયમાં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે ‘હા, આને હું ઓળખું છું.’ તે અપવ્યય કહેવાય. પ્રશ્નકર્તા : કોઈને જરા કડવું કહેવું હોય, પણ એવી રીતે ફેરવીને કહીએ કે પેલાને લાગે કે આ મને જ કહ્યું. પણ પેલો આપણામાં વાંક ન કાઢી શકે. એ અપવ્યય ગણાય ? દાદાશ્રી : એ અપવ્યય કહેવાય નહીં. એ તો મૂરખા માણસો એક જાતનો અપવ્યય કરે ને દુર્વ્યય કરે. અને આવું બોલવું, એ મૂરખા ના કહેવાય. આ તો ઊલટાં એને ટોણો મારો ને ટોણાં મારનારા, એ તો ૩૯૨ હિંસક કહેવાય. વાણીનો સિદ્ધાંત ટીકા, બધી રીતે બાધક ! આજ તો લોક તમારી ટીકા હઉ કરે. ‘પોતે શું કરી રહ્યા છે ?’ તેનું ભાન નથી બિચારાને, એટલે એવું કર્યા કરે છે. દુઃખવાળો જ કોઈની ટીકા કરે, દુઃખવાળો કો’કને સળી કરે. સુખિયો માણસ કોઈની ટીકા કરે નહીં. આ દુ:ખિયા લોક છે તે કરે તો ભલે અને એથી આનંદ રહેતો હોય તો કર. પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં લખ્યું છે કે “આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.’’ તો નિંદા અને ટીકામાં ફેર ? દાદાશ્રી : ટીકા એટલે શું કે એના પ્રત્યક્ષ દેખાતા દોષો, તે ઓપન કરવા, એનું નામ ટીકા કહેવાય. અને નિંદા એટલે દેખાતા-ના દેખાતા બધું ગા ગા કર્યા કરે. એનું અવળું જ બોલ બોલ કરવું, એનું નામ નિંદા. પછી આગળ વાંચો. પ્રશ્નકર્તા : “કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં કેવળજ્ઞાનને બાધક છે. અરે, આત્મજ્ઞાનને ય બાધક છે, સમતિને ય બાધક છે. સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય, એ ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે, તો વીતરાગનું વિજ્ઞાન નથી. ત્યાં ધર્મ છે જ નહીં. અભેદતા છે જ નહીં.” (આપ્તસૂત્ર) દાદાશ્રી : ટીકા બધી રીતે બાધક છે. નવરાશ જ ના હોવી જોઈએ ટીકા કરવાની. નિંદા એટલે... પ્રશ્નકર્તા : કોઈની નિંદા કરીએ, એ શેમાં આવી જાય ? દાદાશ્રી : નિંદા, એ વિરાધનામાં ગણાય. પણ પ્રતિક્રમણ કરીએ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy