SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૩૬૩ उ६४ વાણીનો સિદ્ધાંત કેવળ દર્શત' દેખાડે ભૂલ !!! અમારું જ્ઞાન અવિરોધાભાસ હોય અને વાણી સાવાદ ના હોય. કોઈ ઝપટમાં આવી જાય એમાં. અને તીર્થંકરોની વાણીમાં કોઈ ઝપટમાં ના આવે. એ તો સંપૂર્ણ સ્યાદ્વાદ ! કોઈને ઝપટમાં લીધા સિવાય બોલે એ, વાત તો એ એવી જ બોલે ! પ્રશ્નકર્તા: આપનું આ સ્યાદ્વાદ કોઈ ઝપટમાં આવી જાય છે, તેથી સંપૂર્ણ ના કહ્યું. તો ય પણ એ દર્શન તો સંપૂર્ણ છે ને, કે ભૂલ સાદ્વાદમાં થઈ ગઈ ? દાદાશ્રી : હા, દર્શન તો પૂરેપૂરું છે. દર્શનનો વાંધો નથી, પણ જ્ઞાનમાં ચાર ડિગ્રી ઓછું. એટલે આ સ્યાદ્વાદ ના હોય. અમારે દર્શન પુરેપુરું હોય. દર્શનમાં બધું તરત જ આવી જાય, ભૂલ તરત ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલની ય તરત ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતાં ઘણો ટાઈમ લાગશે. તમે તો સ્થૂળ ભૂલો જુઓ છો, મોટી મોટી દેખાય એવી જ ભૂલો જુઓ છો. તેથી અમે કહીએ છીએ ને, કે “અમારો દોષ ના હોય. કોઈને આ અમારો દોષ દેખાય નહીં, અમને પોતાને દેખાય.’ પ્રશ્નકર્તા : સ્વાવાદમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય ? દાદાશ્રી : સ્યાદ્વાદમાં - અનેકાંતમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય. હવે અમારું સ્યાદ્વાદ સંપૂર્ણ થઈ રહ્યું છે. સ્યાદ્વાદ પૂરું થઈ રહે એટલે કેવળજ્ઞાન પૂરું થઈ જાય. દર્શન છે તેથી તો ખબર પડે કે આ ભૂલ છે. ફૂલ(full) દર્શન છે. તેથી બધાને કહ્યુંને, કે કેવળદર્શન આપું છું. સંપૂર્ણ સ્યાદ્વાદ ! સાવાદ વાણી કોઈને દુઃખદાયી થાય નહીં. પ્રશ્નકર્તા : તો એટલી નિર્પેક્ષતા થઈ. દાદાશ્રી : હા, એટલી ખરી, પણ તે હજુ મૂળ જે નિર્પેક્ષતાને પહોંચે નહીં. એબ્સોલ્યુટ હોવી જોઈએ. અમારી આ એબ્સોલ્યુટ ના કહેવાય. તીર્થંકર સાહેબ, એ દેહના માલિક ઘડીવાર ના હોય. એમનું જ્ઞાન સીમિત ના હોય, અનલીમીટેડ હોય. અમારે જ્ઞાન અનલીમીટેડમાં જરાક કાચું હોય. એટલે તીર્થંકરોનું સંપૂર્ણ હોય અને અમારું જરાક સહેજ કાચું હોય. એમનું સ્યાદ્વાદ હોય ને અમારું ય સ્યાદ્વાદ હોય પણ થોડો ફેર હોય. પ્રશ્નકર્તા : તો સાચો સ્યાદ્વાદ કેવો હોય ? દાદાશ્રી : એ સ્યાદ્વાદ તો અત્યારે અમે કશુંક બોલીએ ને, તે મન તો સહેજે ય પાછું નથી પડતું. પણ કો'ક માણસને સહેજ ખરાબ અસર પડી જાય છે એવું બને અને સંપૂર્ણ સ્યાદ્વાદ હોય તો આવું ય ના બને. પછી એણે અવળું બોલે એ વાત જુદી છે. પણ એનું હૃદય કબૂલ કરી દે. અમારું સ્વાવાદ ચાર ડિગ્રી કાચું છે. અમને પોતાને સમજાય ને. બધી બાબતમાં ચાર ડિગ્રી કાચી છે અને તો આપણે પાકી કરવી ય નથી. આ કાચી છે, તો તમારી જોડે બેસી રહીએને ! કો'ક ખોટું બોલે, અવળું બોલે, ગમે તે કરે. એમાં એમનો દોષ નથી. એ કર્મના ઉદયના આધીન કરે છે. પણ તમે ઉદયને આધીન બોલો, તેના જાણકાર હોવા જોઈએ કે ‘આ ખોટું બોલાઈ ગયું.' કારણ કે પુરુષાર્થ છે. ‘પ્રકૃતિ શું કરી રહી છે' એને જાણવી જોઈએ. અને જ્યારે પ્રકૃતિ કશું નહીં કરે, સહેજ પણ હિંસક વર્તન નહીં, હિંસક વાણી નહીં, હિંસક મનન નહીં, તે દહાડે ત્રણસો સાઠ ડિગ્રી થઈ ગઈ હશે. વગત વેર્યા, વિકૃત ગતે... પ્રશ્નકર્તા : અમારી વાણી સ્યાદ્વાદ કેવી રીતે થાય ? દાદાશ્રી : વાણીના કેટલાય કાયદા પાળો ત્યારે વાણી સાદ્વાદ થાય. કેટલીય રીતે પાણી નિર્મળ રાખે, ત્યારે એ વાણી વચનબળવાળી થાય. વચનને કેટલી બધી રીતે સાચવ્યું હોય ત્યારે વચનબળ થાય. પ્રશ્નકર્તા: ‘જ્ઞાન’ થયા પછી વચનબળ આવે ને ? દાદાશ્રી : ના. ‘જ્ઞાન’ ના થયું હોય તો ય વચનબળ હોય ખરું.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy