SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૩૫૩ ૩૫૪ વાણીનો સિદ્ધાંત પણ દોષિત અમને ના દેખાય. લોકો કહે છે ચોરી કરવી એ ગુનો છે. પણ ચોર શું જાણે કે ચોરી કરવી એ મારો ધર્મ છે. અમારી પાસે કોઈ ચોરને તેડી લાવે તો અમે એને ખભે હાથ મૂકી ખાનગીમાં પૂછીએ કે, ‘ભઈ, આ બિઝનેસ તને ગમે છે ? પસંદ પડે છે ?” પછી એ એની બધી હકીકત કહે. અમારી પાસે એને ભય ના લાગે. માણસ ભયને લીધે જુઠું બોલે છે. પછી એને સમજાવીએ કે, “આ તું કરે છે તેની જવાબદારી શું આવે છે, તેનું ફળ શું છે, તેની તને ખબર છે ?’ અને ‘તું ચોરી કરે છે એવું અમારા મનમાં ... ના હોય. એવું જો કદી અમારા મનમાં હોય તો એના મન ઉપર અસર પડે. દરેક પોતપોતાના ધર્મમાં છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય. એ સ્યાદ્વાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય, તો ય સ્યાદ્વાદ વાણી કોઈની પણ પ્રકૃતિને હરકત ના કરે. સ્યાદ્વાદ-અનેકાંતઃ વ્યવહારમાં ? નિશ્ચયમાં ? પ્રશ્નકર્તા ઃ ચાવાદ સિદ્ધાંતનો ઉપયોગ રિલેટિવમાં ખપમાં આવે ? દાદાશ્રી : ચાદ્દવાદ રિયલમાં હોય નહીં, એ બધું રિલેટિવમાં હોય. પ્રશ્નકર્તા : તો સમાં સ્યાદ્વાદ હોય નહીં, એ સાચું છે ? દાદાશ્રી : સત્ એટલે રિયલ અને રિયલમાં સ્યાદ્વાદ ના જ હોય ને ! પ્રશ્નકર્તા: તો વ્યવહારની અંદર અનેકાંતવાદનો સમન્વય થાય ? થાય તો કેવી રીતે ? દાદાશ્રી : તો નિશ્ચયમાં તો અનેકાંતવાદ છે જ ને, નિરાંતે. નિશ્ચય જે છે, એને તો વાદ જ નથી હોતો. એટલે આ તો વ્યવહારમાં જ અનુકૂળ થાય. એટલે બધા વાદ માત્ર જે છે, એ વ્યવહારમાં જ છે. એકાંતિકવાદે ય વ્યવહારમાં છે અને અનેકાંતવાદે ય વ્યવહારમાં છે. આગ્રહી વાણી યા વ્યવહારમાં છે અને સ્વાવાદ વાણી ય વ્યવહારમાં છે. પણ સાવાદ વાણી એ છેલ્લી વાણી કહેવાય, ટોપમોસ્ટ વાણી કહેવાય. વાણીનું સરવૈયું આવી ગયું. અનેકાંત-એકાંતિકનું સરવૈયું આવી ગયું. એમ ડેવલપ થતું થતું એકાંતિકમાંથી ડેવલપ થાય. પ્રશ્નકર્તા : રિલેટિવ માર્ગને એકાંત અને રિયલ માર્ગને અનેકાંત ગણી શકાય કે નહીં ? દાદાશ્રી : રિયલ માર્ગને તો એકાંત કે અનેકાંત એ વસ્તુ જ નથી હોતી. રિયલ એટલે રિયલ. એમાં એકાંત કે અનેકાંત એવાં વિશેષણ હોય જ નહીં. વિશેષણ બધું રિલેટિવને હોય. એટલે રિલેટિવમાં એકાંતિક અને અનેકાંત છે. રિલેટિવમાં જે લોકો આગ્રહી છે, કે “અમારું સાચું.” એ આગ્રહ કરે છે, એ એકાંત કહેવાય. અને બધાના ધર્મને બધાના સત્યને પકડે અને અનેકાંતની તરફ દ્રષ્ટિ જુએ. દુરાગ્રહ કરે નહીં, આગ્રહ કરે નહીં, ત્યારે એ અનેકાંત કહેવાય. કોઈ ધર્મનું પ્રમાણ સહેજે દુભાય નહીં. એવું હોય ત્યારે એ અનેકાંત કહેવાય. પણ એ રિલેટિવ છે, રિયલ નથી. રિયલમાં કોઈ વિશેષણ છે જ નહીં. રિલેટિવમાં વિશેષણ હોય કારણ કે વાણી પોતે જ રિલેટિવ છે. વાણી રિયલ છે જ નહીં. તે એકાંતિક અને અનેકાંત પણ વાણીને સ્પર્શનિ છે. તહીં તિરાગ્રહીતો ય આગ્રહ ! અમે નિરાગ્રહી છીએ એવો ય આગ્રહ નહીં, એનું નામ સ્યાદ્વાદ ! નિરાગ્રહી થવું એ વીતરાગનો માર્ગ છે. જયાંથી ત્યાંથી આગ્રહ છોડી દે. સત્યના આગ્રહને ભગવાને ‘અજ્ઞાનતા કહી. “અમારા'માં આગ્રહ નામે ય ના હોય ! અમને કોઈ પણ બાબતમાં સહેજ પણ ગ્રહ નહીં કે આગ્રહ નહીં, કે આમ જ ! એક સેકન્ડે ય નહીં ને ! ‘આ ખરું છે, આ સત્ય છે' એવો ય અમારો આગ્રહ ના હોય. ‘આ જ્ઞાન થયું છે.' એ ય આગ્રહ ના હોય. તમે કહો કે, “પેલું ખોટું છે' તો ય આગ્રહ ના હોય. તે તમારી દ્રષ્ટિથી આવ્યું એ સાચું. અમે આમ દેખાઈએ ભોળા, બાળક જેવા દેખાઈએ, પણ બહુ પાકાં હોઈએ, કોઈની જોડે અમે બેસી ના રહીએ, ચાલવા જ માંડીએ. અમે અમારો ‘પ્રોગ્રેસ ક્યાં છોડીએ ? અમે એક વખત વિનંતી કરી જોઈએ. બાકી, અમે તો વાત છોડી
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy