SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૩00 વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૩૦૧ પ્રશ્નકર્તા : દેશના એટલે પ્રશ્નોત્તર કહી શકાય ? દાદાશ્રી : દેશના એટલે શું ? એ પ્રશ્નોત્તરી રૂપે હોય કે ગમે તે રૂપે હોય. દેશના એટલે સહજ વાણી નીકળ્યા કરવી અને ટેપરેકર્ડમાં નીકળ્યા કરે એમ નીકળ્યા કરે. ભગવાન મહાવીરને ય ટેપમાંથી નીકળતી હતી અને આ અમારી ય ટેપમાંથી નીકળે. દેશના એ નિર્અહંકારી ગુણ છે, એટલે એ અહંકારરહિત હોય. જેનો અહંકાર ખલાસ થઈ ગયો, એ ઉપદેશ ના આપી શકે. એને દેશના હોય. જેનો બોલનાર નથી, ‘હું બોલ્યો’ એવી માલિકી નથી જેને, હુંપણાની માલિકી નથી, મારાપણાની માલિકી નથી, જેને માય સ્પીચ જેવું નથી, તેની બધી દેશના કહેવાય. માલિકીવાળી વાણી રાગ-દ્વેષવાળી હોય. પોતાપણું ગયા પછી, ખરી વાણી ત્યાર પછી છૂટશે. માલિકી નહીં, માટે દેશતા ! પ્રશ્નકર્તા: આપની વાણી નીકળતી હોય એમાં આ દોષ થાય, તેનું આ રીતે પ્રતિક્રમણ કરવું પડે. આ ના કરવું જોઈએ, આવું હોવું જોઈએ. તો એ બધી વાતો નીકળે. અને કોઈ છ તત્ત્વોની વાત પૂછે તો તે નીકળે. એને દેશના સાથે સંબંધ કેવી રીતે ? દાદાશ્રી : આ તો તમે પૂછો, તેનું સમાધાન આવું નીકળે. નહીં તો આમ ને આમ સહજ નીકળતી હોય ને, એમાં આવું કશું ના નીકળે. આ તો પૂછો, તેનો જવાબ શબ્દથી તો આપવો પડે ને ? પ્રશ્નકર્તા : હવે પૂછે તે ઘડીએ, જે શબ્દથી જવાબ નીકળે પણ એ બધું દેશનામાં સમાય ? દાદાશ્રી : હા, કારણ કે બધા શબ્દો માલિકી વગરના છે. માલિકી વગરની વાણી એ તો બધી દેશના જ ગણાય. પ્રશ્નકર્તા : હવે તીર્થંકરોએ પણ દેશનાને ડીસ્ચાર્જ સ્વરૂપે જ માનેલી હશે ને ? દાદાશ્રી : હા, કમ્પ્લીટ ડિસ્ચાર્જ. અને અમારું મહીં થોડુંક જરા કચાશ હોય એટલે કોઈ વખત ભૂલ થવી સંભવે. પણ એને છે તે દેશના જ કહેવાય. એમાં કોઈ ભૂલ હોય, પણ એ માલિકી વગરની વાણી ! એમની દેશતા, ઉદયવર્તી ! પ્રશ્નકર્તા : તીર્થંકરો એક જ વાર દેશના આપે ને ? પછી નહીં ને ? દાદાશ્રી : એ તો જેટલો વખત નીકળે, ટેપરેકર્ડ વાગે, પછી બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : પણ એ પાંચ દિવસ, સાત દિવસ, પછી નહીં ને ? દાદાશ્રી : એ તો વારેઘડીએ ચાલ્યા જ કરે. સમવસરણ રચાય એમાં એમની વાણી નીકળતી હતી. તે દેશનારૂપે એની મેળે જ આમ નીકળ્યા કરે, પ્રયત્ન સિવાય. પ્રશ્નકર્તા તીર્થંકરોને તો કો'ક પ્રશ્ન પૂછે તો જવાબ આપે ? દાદાશ્રી : હા, પ્રશ્ન પૂછે તો જવાબ આપે. પ્રશ્નકર્તા : પછી એ તો બોલાવે એટલું જ બોલે ને ? દાદાશ્રી : ના. એ તો બોલાવે એટલું ય ના બોલે. એ તો ઉદય આવે તેમ વર્તે. ‘ભમરડો' ફર્યા કરે, એને ‘એ’ ‘જોયા’ કરે, બસ ! દેશના નીકળે એ ય સંજોગો અનુસાર હોય. પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીનો જેને જેટલો યોગ છે, તેને એવી વાણી નીકળે છે. બાકી નથી નીકળી. એટલે ઉદય સાબિત થાય છે. - દાદાશ્રી : એવું છે ને, અરિહંતને-તીર્થકરોને પોતાની વાણી હોતી જ નથી ને ! એ ઉદયમાં આવેલો ભાવ એ દેશના કહેવાય. તીર્થકરોને એવું બોલવું નહીં પડેલું. એમાં કોઈનું કલ્યાણ થવાનું હોય તો થાય કે ના થવાનું હોય તો ના થાય. એ મૂર્તિ એમ ને એમ બેસી રહે. એ દેશના આપે. પણ તે સામાના ઉદય જો થયા તો જ દેશના નીકળે. નહીં તો
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy