SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૯૩ એમનાથી. એમનાથી સ્વાધ્યાય કરી શકાય. પ્રરૂપણા ના કરાય. ઉપદેશ ના અપાય. ઉપદેશ બોલવો જોખમ છે. પ્રશ્નકર્તા : એ એમ કહે કે “અમે અમારો સ્વાધ્યાય કરીએ છીએ તો ? દાદાશ્રી : સ્વાધ્યાય કરવાનો વાંધો નહીં. સ્વાધ્યાયનો અર્થ એવો ના હોવો જોઈએ કે બીજાને ઉપદેશ આપો. બાકી જો સ્વાધ્યાય કરતા હોય, એવું જો ડહાપણ હોય તો સારું. એને આ ગુનામાંથી છોડી દેશે. પ્રશ્નકર્તા : આનંદઘનજી મહારાજે જ કહ્યું છે ને, કે ‘ભઈ, તું ઉપદેશ આપીશ નહીં. એમાં ય ખાસ કાળજી રાખજે કે કંઈ ખોટો ઉપદેશ આપીશ તો, સિવાય નર્ક બીજું કાંઈ તારે માટે નથી.’ દાદાશ્રી : નહીં તો ય કષાયસહિત પ્રરૂપણા એ નર્ક જવાની ટિકિટ જ છે. જો નર્કે જવાની ટિકિટ લઈ આવ્યા ને ! જો અજાયબી !! દેવગતિ તો ક્યાં ગઈ, પણ નર્ક જવાની ટિકિટો થઈ. સ્વાધ્યાય કરતાર, સલામત ! પ્રશ્નકર્તા : આ લોકો તો વીરની વાણી બોલે છે ને ! દાદાશ્રી : વીરની વાણી મિથ્યાત્વી બોલે, તો પોઈઝન થઈ જાય અને વીરની વાણી સમકિતી બોલે, ભલેને વૈષ્ણવ હોય, તો ય અમૃત થાય. વીરની વાણી કયે મોઢે બોલી રહ્યા છે ? મિથ્યાત્વી બોલે, એ ઝેર મહીં ઓકે છે. એ વીરની વાણી ચાલે નહીં. વીરની વાણી સમકિતી બોલે તો જ કામની. પ્રશ્નકર્તા: કેટલાક તો વ્યાખ્યાન પુસ્તકો વાંચીને જ બોલે છે. દાદાશ્રી : વાંચી વાંચીને બોલે છે, ત્યાંથી એ પુસ્તકનું જે જ્ઞાન હતું ને, તે ઝેરી થયું. માટે જવાબદાર બન્યા. તમે આ ઝેરી કેમ કર્યું ? તમારા મોઢે બોલ્યા શું કરવા ? તમે મિથ્યાત્વી માણસો ! મિથ્યાત્વી એટલે પોઈઝનસ માણસ, એને મોઢે આ વાક્યો બોલાય નહીં. ભગવાનની સ્યાદ્વાદ વાણીનાં વાક્યો એમને મોઢે બોલાય નહીં. પોતાને સ્વાધ્યાય વાંચવા માટે અધિકાર છે. પણ બોલવાનો, ઉપદેશ દેવાનો અધિકાર નથી. આ બોલે, તેની પાછળ દોષ બેસે. એને ઉસૂત્ર પ્રરૂપણા કહેવાય. એટલે બીજો સાંભળે, તેને નુકસાન કરે. એમનું જે સાંભળે, તેને નુકસાન થાય. એને નર્કના અધિકારી કહેવાય છે. તિર્યંચના અધિકારી નહીં. કારણ કે તું એવું બોલ્યો કે આને નુકસાન થાય. એવું શું કરવા બોલ્યો ? ન્હોતું બોલવું, બેસી રહેવું હતું ને, એમ ને એમ. ના બોલ્યો હોત તો શું ખોટું હતું ? આને નુકસાન થાય એવું શું કરવા બોલે છે તે ? પ્રશ્નકર્તા : એને તો ખબર ના હોય ને કે આને નુકસાન થશે, એ તો એમ કે આનું સારું થશે, એમ કરીને બોલે ને ? દાદાશ્રી : તેથી નર્ક મળે ને ! જાણીને કોઈ નર્ક લે ? પ્રશ્નકર્તા : પણ કેવળ ભગવાનની જ વાણી હોય, એનાં સિવાય પોતાનું કંઈ જ ના બોલે તો ય ? દાદાશ્રી : ખુદ ભગવાનની વાત કરવાની હોય તો ય ના બોલાય વાણીતાં વહેણો.... પ્રશ્નકર્તા : તીર્થંકરો દેશના કોને આપે અત્યારે ? દાદાશ્રી : લાખો માણસો ત્યાં (મહાવિદેહ ક્ષેત્રમાં) બેસી રહ્યાં હોય. પ્રશ્નકર્તા : ત્યાં લોકો હોય ખરાં ? દાદાશ્રી : આપણા જેવું જ ત્યાં. ગજવા કાપનાર હઉ ખરાં ત્યાં ! પ્રશ્નકર્તા : અત્યારે અહીં દેશના આપનાર કેમ કોઈ નથી ? હવે મહાવીર ભગવાન પછી બીજો કોઈ દેશના આપનારો કેમ નથી ? દાદાશ્રી : કેવી રીતે હોય તે ? આ દુષમકાળમાં હોતા હશે ? આ તો જ્ઞાની પુરુષ જોવાના મળ્યા. જે સત્યુગમાં ના જોવા મળે, એ તમને આ દુષમકાળમાં જોવા મળ્યા. જ્ઞાની પુરુષ હોતા હશે ? આ દુર્લભ,
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy