SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૮૭ ચલાવવું પડે. તો તેમાં શું ખોટું છે ? દાદાશ્રી : આ ન હોય વેજીટેબલ ! સાંભળનારનું તો જે થવાનું હશે, તે થશે. પણ એને પોતાને જ આની જવાબદારી છે ને ? વ્યવહારમાં જોખમો ઓછાં ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં ય બધા ઉપદેશ આપે, એનું શું ? દાદાશ્રી : વ્યવહારમાં જોખમદારી નથી. એ માણસ કોઈ ડિગ્રીધારી નથી. જોખમદારી તો ડિગ્રીધારીને હોય. ઉપદેશ આપવાની ડિગ્રી જે ધરાવતો હોય ને, ત્યાં લોકો સો ટકા એની વાત સત્ય માની લે. એટલે લોકો ઊંધા ચાલે. એની જોખમદારી પેલા લોકોને આવે છે. પણ અહંકારી હોય, તો એનો ઉપદેશ કામનો. આદેશ તો સમક્તિ વગર જ હોય, મિથ્યાત્વમાં હોય. અને પેલું ઉપદેશ તો, છઠ્ઠા ગુંઠાણામાં સમકિત થયા પછી પોતે ઉપદેશ આપે. એટલે અહંકારથી ઉપદેશ આપે. પણ સામાના કલ્યાણ માટે આપે. એ છઠ્ઠા ગુઠાણામાં જે આચાર્યો છે અત્યારે બીજા ક્ષેત્રમાં ખરાં, એ ઉપદેશ આપે. બાકી જ્યાં મિથ્યાત્વ છે, ત્યાં આગળ ઉપદેશ જ ક્યાં કહેવાય ? બાકી બહાર જે ઉપદેશ છે, તે તો કામના જ નહીં ને ! ખરી રીતે તો ઉપદેશ આ બધાથી અપાય નહીં. કારણ કે ભગવાનના કહેવામાં નથી આ. ભગવાને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી દ્રષ્ટિ ફરે નહીં, દ્રષ્ટિ સમ્યક થાય નહીં, ત્યાં સુધી આ જે ઉપદેશો આપે છે, એવું કરાય નહીં. જગતને હેલ્પ કોણ કરી શકે ? જેની દ્રષ્ટિ બદલાયેલી હોય, સવળી દ્રષ્ટિ થયેલી હોય, તે હેલ્પ કરી શકે. બાકી અવળી દ્રષ્ટિવાળો કોઈ પણ જાતની વાત કરે, એ હેલ્પ કરી શકે નહીં. એટલે સવળી દ્રષ્ટિ ના થાય ત્યાં સુધી કોઈને ઉપદેશ આપશો નહીં. એનાથી વધી જવાબદારીઓ ! પ્રશ્નકર્તા : તો થોડુંઘણું જાણનાર માણસોએ ક્યારેય કોઈને પ્રતિબોધ પમાડવો જ નહીં ? દાદાશ્રી : પણ તે ઉપદેશક તરીકે નહીં. બીજી રીતે કરે. બીજી રીતે વાતો કરો સામસામી. આ તો મોટી છાપ પડે કે ભગવાનનો આ ઉપદેશક, એટલે એના પર વિશ્વાસ, એના બોર્ડ માર્યા, ભગવાનના પ્રતિનિધિ ગણાયા. પ્રશ્નકર્તા : એ લોકો તો એમ કહે છે કે આ તો અમારા ભક્તોએ બોર્ડ માર્યા છે. અમે થોડા માર્યા છે ? દાદાશ્રી : ભક્તો શું કરવા બોર્ડ મારે તે ? લૂગડાં તો એમણે બદલ્યાં, એ બોર્ડ કહેવાય અને પાછા ઉપદેશ આપ્યા. પ્રશ્નકર્તા : પણ જ્યારે સાચું ઘી ના હોય, ત્યારે વેજીટેબલ ઘીથી અને વ્યવહારમાં તો તમારું સાંભળે કે ના ય સાંભળે. એ જાણે કે “તમારામાં શું અક્કલ છે.’ પણ બાપજીમાં તો એ જાણે કે એમણે કહ્યું એ સો ટકા જ સાચું ! તેથી જોખમદારી આવે ને ! બાકી વ્યવહારમાં કોઈ જાતનો વાંધો નથી. છતાં દરેક શબ્દ બોલવો જોખમ ભરેલો છે. માટે જો બોલતા ના આવડે તો મૌન રહેવું સારું. ધર્મમાં બોલો તો ધર્મનું જોખમ ને વ્યવહારમાં બોલો તો વ્યવહારનું જોખમ. વ્યવહારનું જોખમ તો ઊડી જાય, પણ ધર્મનું જોખમ બહુ ભારે. ધર્મની બાબતમાં એનાથી બહુ ભારે અંતરાય પડે. પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો વગર માંગ્યે જ બધા ઉપદેશ આપે છે. દાદાશ્રી : હા. અને સામાને વાત અવળી પડે તો તરત કહી દે ને, કે ‘તમે અક્કલ વગરની વાતો કરો છો.’ પણ બાપજીને ના કહેવાય. એ જાણે કે મારી ભૂલ થતી હશે, બાપજી કંઈ ખોટું કહે નહીં. ચઢો, મંદ કે અકષાયીની દુકાને ! પ્રશ્નકર્તા : ઉપદેશ આપતા હોય, પણ મુક્ત ન થયેલી એવી વ્યક્તિઓ કે સંતો પાસે સાંભળવું, એ સ્વાધ્યાય ગણાય કે કેમ ?
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy