SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૭૫ નામ ચારિત્ર. કમ્પ્લીટ મોરાલીટી, એક સેન્ટ પણ ઓછી નહીં ને સેન્ટ સિન્સિયારિટી ઓછી નહીં, એનું નામ ચારિત્ર. એ ચારિત્ર હોય ત્યાં એમનું બધું જ ચાલે. અમે અત્યારે કોઈને કહીએ કે “આમ કરો.’ તો પછી એ તે પ્રમાણે ચાલવા માંડે. અમે બીડી પીતા હોઈએ, ત્યાં સુધી એમ ના કહેવાય કે ‘તમે બીડી છોડી દો.” પણ અમારે બીડી છૂટી ગઈ હોય, પછી કોઈકને કહીએ તો એની છૂટી જાય. કારણ કે એ અમારા ચારિત્રમાં નથી. અમારા ચારિત્રમાં કોઈ જ વસ્તુ નથી. આખા જગતનામાં જે છે એમાંની કોઈ વસ્તુ અમારી અંદર નથી. તેથી તો અમે ફોડ પાડી શકીએ, નહીં તો શી રીતે પાડી શકીએ. કહો ને. મને તો લોક પૂછતા ત્યારે હું કહું કે ‘ભઈ, પહેલેથી જ આ નથી. આ તો તમને આજે ખબર પડી, પણ હું તો પહેલેથી જાણું છું આ !” ચારિત્ર્યબળતી ઓળખ... “ચારિત્રબળની ઓળખ, સંચારે નીકળેલી વાચા.” વાચા ય કંઈ જેવી તેવી નથી. સંચારે નીકળેલી એટલે સમતાભાવે નીકળેલી વાણી. સંચાર એટલે ચર ઉપરથી ચાર છે. વાઈબ્રેશન ઊભાં થવાં તે આ સંચાર. શબ્દો વાઈબ્રેશન ઊભાં કરે. પછી ચર ઉપરથી વિચરતી થાય. એના ઉપરથી વિચાર થાય. અને એના ઉપરથી વાણી ઉત્પન્ન થાય. ‘વાણી શું નીકળે છે” એના પરથી ચારિત્રબળ ઓળખાય. વાણીના તો અનેક પ્રકારો છે. કડવી, મીઠી, ખાટી, જાતજાતની, આઘાત કરનારી, પ્રત્યાઘાત કરનારી, ઉપઘાત કરનારી એવી જાતજાતની વાણી. સંસારમાં પાણી નીકળી, એ ચારિત્રબળની ઓળખ કહેવાય. વાણી મીઠી-મધુરી, કોઈને આઘાત થાય નહીં, પ્રત્યાઘાત થાય નહીં, ઉપઘાત થાય નહીં એવી વાણી. કિંચિત્માત્ર દુઃખ ના થાય એવી વાણી નીકળે ને, તો બધું ચારિત્ર જ છે. દરેક માણસ કેવું બોલે છે, તેના પરથી ચારિત્ર ઓળખાય. ‘ચારિત્રબળ શું છે? તેની ઓળખ શેનાથી થાય ? બીજું કશું જોવાનું નહીં. ભગવા લૂગડાં પહેરે છે કે ધોળાં લૂગડાં પહેરે છે, એ જોવાનું નહીં. ભાષા કેવી નીકળે છે, એના પરથી ચારિત્રબળની ઓળખ થાય. પ્રશ્નકર્તા : એક વાક્ય ગાંધીજી બોલે અને એક વાક્ય બીજી કોઈ વ્યક્તિ બોલે, તે કદાચ એમના કરતાં ય વધારે સારું હોય, પણ જે ગાંધીજીનો પ્રભાવ પડે. તે એટલો એ વ્યક્તિનો પ્રભાવ ના પડે ને ! દાદાશ્રી : વચનબળ હોય. કારણ કે જેટલું એમનું શીલ, ચારિત્ર, એટલું બધું બળ. એટલે કમ્પ્લીટ મોરાલીટી, કમ્પ્લીટ સિન્સિયારિટી, એનું
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy