SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત એમાં અમુક શબ્દ રહી ગયો હોય તો ચલાવાય નહીં. તમે એવું જાણો કે મહીં કોઈ શબ્દ લખવામાં રહી જાય છે ? ૨૩૪ પ્રશ્નકર્તા : વાક્ય તો આમાં લખાઈ જાય. પણ બહુ સ્પીડી બોલ્યા હોય ને તો જે મેઈન વાક્યો હોય તે આખા લખી લઉં. દાદાશ્રી : સ્પીડી બોલ્યા પણ મહીં લખવામાં રહી ગયું, એ તો રહી જ ગયું ને ? પ્રશ્નકર્તા : બધું તો લખી જ ન શકાય, એ તો પછી શોર્ટહેન્ડમાં લખવું પડે ! દાદાશ્રી : શોર્ટહેન્ડ તો આવડે જ નહીં. આ લોંગહેન્ડ જ નથી આવડતું તો શોર્ટહેન્ડ શી રીતે આવડે ? પ્રશ્નકર્તા : આપ જે વાતચીત કરતાં હો, એમાં અમુક એસેન્સ હોયને તે લખ્યું હોય. દાદાશ્રી : એસેન્સ લખી લેવાનું. નહીં તો પૂરું લખો. બે શબ્દ રહી જાય, તેનો અર્થ જ નહીં ને ! એવું તને ના સમજણ પડે ? બે શબ્દ રહી જાય તો અર્થ બદલાઈ જાયને ? પ્રશ્નકર્તા : એ રહી ગયું હોયને તો પછી એ આખું વાક્ય જ કાઢી નાખું છું. દાદાશ્રી : પછી તું કાઢી નાખે ? તો એ બેનો સાંધો તૂટી ના જાય ? આ તો એકમેકના સાંધાવાળાં વાક્યો. પાછો કાઢી નાખનારો ય તું ? મારી પાસે ના કાઢી નખાવાય ? કૈસી દુનિયા ચલ રહી હૈ ?!! આ તો બધા વાક્યોનું કનેક્શન હોય છે ! પ્રશ્નકર્તા : પછી લાગે કે આખી વાત એવી અધૂરી લખી છે, તો આખી વાત જ કાઢી નાખવાની પછી. દાદાશ્રી : આખી વાત કાઢી નાખું નહીં ? તો લખી શું કરવા ? થોડી લખીએ પણ તે પૂરી લખીએ. નહીં તો એસેન્સ એકલું લખવાનું. વાણીનો સિદ્ધાંત ૨૩૫ ખોળજો સજીવત મૂર્તિ ! આ અમારી વાણીને તમે(નટુભાઈ) ઉતારી લો છો, પણ તે તમને પચાસ ટકા નું ફળ આપશે અને બીજો વાંચશે તેને બે ટકા ય ફળ નહીં મળે. આ પરપોટો જ્યાં સુધી ફૂટયો નથી, ત્યાં સુધી કામ કાઢી સાંધો મેળવી લો. પછી કંઈ જ કામમાં નહીં આવે. અમે બધાંને કહીએ છીએ કે અમારી પાછળ અમારી મૂર્તિ કે ફોટા ના મૂકશો. આ મહાવીરના ને કૃષ્ણના ફોટા શું નથી ? એ જ રહેવા દેજો. અમારો ના મૂકશો. પછી એ કંઈ જ કામમાં નહીં આવે. અમે અમારી પાછળ જ્ઞાનીઓની વંશાવળી મૂકી જઈશું. અમારા વારસદાર મૂકતા જઈશું ! અને ત્યાર પછી જ્ઞાનીઓની લીંક ચાલુ રહેશે. માટે સજીવન મૂર્તિને ખોળજો ! એના વગર ઉકેલ આવે તેમ નથી. વાંચીને, વહો પૂંઠે પૂંઠે દાદાના વંશજોતી... પ્રશ્નકર્તા : આ પુસ્તકો બધાને આપણે આપીએ છીએ. દાદાની આપ્તવાણી, આપ્તસૂત્ર આપીએ છીએ, એમાં પાછું દાદાનું વચન લખેલું હોય છે કે આ વાંચવાથી એક ટકો લાભ થશે. તો વાંચનારા વિચારમાં પડે કે આમાં એક જ ટકો લાભ થવાનો હોય તો પછી આટલા બધા પુસ્તક શું કરવા વાંચવા ? દાદાશ્રી : તો ય પુસ્તક લઈને જવું. હા, આને મૂકી રાખવું સારું અને મૂંઆ, પુસ્તક તો બહુ અનંત અવતાર સુધી વાંચ્યા, એનો લાભ તું મને દેખાડ, તારી પાસે હોય તો સિલ્લક ! પ્રશ્નકર્તા : તો એના કરતાં એ સાચું નથી કે જ્યાં સુધી દાદા પાસે આવ્યો નથી, જ્ઞાન લીધું નથી, ‘હું કોણ છું’ એ સમજયો નથી... દાદાશ્રી : ત્યાં સુધી કશો અર્થ નથી. પ્રશ્નકર્તા : ત્યાં સુધી એક ટકો તો નહીં, પણ મીઠું ! દાદાશ્રી : હા, મીડું. પણ એક ટકો શેનો, તે તમને હું કહું, એક ટકો એનાથી પુણ્ય બંધાય છે. જ્ઞાન ના લીધું હોય તો ય એનો કાળ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy