SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૨૯ સડસડાટ. એટલે જેમ જેમ પાત્રો આવે તેમ તેમ ચઢતું જ્ઞાન નીકળતું જાય. એ પ્રગટ કરવાનું અમારા હાથમાં નથી. આ તો ‘રેકર્ડ' છે. પાત્રે ય પાછાં મળશે ને ‘રેકર્ડો’ ય નીકળશે. વિજ્ઞાનમાં તો અનુભૂતિ ! પ્રશ્નકર્તા : એ આત્માનો અનુભવ વાણીમાં ઉતારીએ તો પણ એની મર્યાદા છે. દાદાશ્રી : એ આત્માનો અનુભવ વાણીમાં ઉતારવાનું ક્યાં સુધી ? કે એ જ્ઞાન છે ત્યાં સુધી. પણ વિજ્ઞાનમાં તો કશું કરવાનું જ નથી. વિજ્ઞાન સાંભળતાની સાથે જ “ફોરેન’, ફોરેન ડિપાર્ટમેન્ટમાં (પરમાં) અને હોમ'. હોમ ડિપાર્ટમેન્ટમાં (સ્વમાં) એમ બે ડિપાર્ટમેન્ટ જુદાં જ થઈ જાય. જગત આખું ય ફોરેનને (પરને) હોમ (સ્વ)માની રહ્યા છે. બોલો, એ હોમનો ક્યારે ભલીવાર આવે ?! વાક્ય સમજે કે બધું આવી જ ગયું છે. આ વાક્ય ઈટ સેલ્ફ બધું મૂવ કરે છે ને ! પરમાત્મા જેણે જોયો ને જાણ્યો, જેનું દેહાભિમાન ગળાઈ ગયું, તેના વાક્યમાં ભૂલ ના હોય. અને ભૂલ કાઢે તો એનું શું થાય ? એની મતિ મપાઈ જાય. પ્રશ્નકર્તા : આ ક્યાંથી શીખી લાવ્યા ? આ ક્યાંથી યાદ રાખ્યું ? દાદાશ્રી : તે હું ય પૂછીશ કે ‘કહાં સે નીકલતા હૈ ભૈયા ?” તે આ શનૈઃ શનૈઃ છે ને, તે સદ્ગુરુ પાસે છે. અક્રમ વિજ્ઞાની પાસે શનૈઃ શનૈઃ ના હોય. અહીં તો ઓન ધી મોમેન્ટ, તરત દાન ને તરત પુણ્ય. હમણે અહીં જ્ઞાન લીધું ને તો શનૈઃ શનૈઃ નહીં, તરત છૂટું થઈ ગયું ને ? બસ ! અને છૂટું થયું કે હું શુદ્ધાત્મા થયા, એટલે આમાં શનૈઃ શનૈઃ નથી. એ પેલા ક્રમિક માર્ગમાં હોય. આ અહીં તમને પ્રાપ્ત જ થઈ ગયું છે. પ્રશ્નકર્તા : એ લોક પુરો કરાવો. એક ફેરો આ હોમ ડિપાર્ટમેન્ટ જડી જાય, પછી વાંધો ના આવે. એટલે અમે એક ફેરો ઘર દેખાડી દઈએ કે ભઈ, આ પોળમાં આમથી આમ ને આ ખાંચામાંથી આમ પેસજે અને ઘર ભેગું થઈ જશે ! એવું હોમ દેખાડી દઈએ છીએ ! ભવપાર, શતૈઃ શનૈઃ કે તક્ષણ ? શાસ્ત્રકારોએ લખ્યું કે એક શબ્દ ‘સદ્દગુરુ તણો...' સદ્ગુરુ એટલે જ્ઞાની. બીજા બધા ગુરુઓ કહેવાય. પણ સદ્ગુરુ એટલે સને ધારણ કરેલા છે એવા ગુરુ. તો “એક શબ્દ સદ્ગુરુ તણો ધાર્યું હૃદય મોઝાર, તે સધાત્ર શનૈઃ શનૈઃ પામે જો ભવજળ પાર.” તે એક જ શબ્દ જો જ્ઞાનીનો આટલું બધું કામ કરતો હોય. તો એક શબ્દ જો અવળો પડ્યો હોય તો ? મોટામાં મોટી રીસ્પોન્સિબિલિટી ! અને આ શબ્દ કોનો ?! “દેહાભિમાન ગલતે વિજ્ઞાને પરમાત્માની.” એ જેને છે તેનો શબ્દ, બાકી આ બીજા લોકોનો શબ્દ તો કામનો જ નહીં. દેહાભિમાન ગળાઈ ગયું એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. આ દાદાશ્રી : એ પૂરો કરીને શું કામ છે ? આપણે કામ સાથે કામ છે ને ! અત્યારે ચાલતી હોય એ ચાલવા દો ને ! એ એમના હિસાબ હોય કે આ પૂરું કરી નાખીએ ને તમે તમારા હિસાબમાં. પણ આપણે કામ સાથે કામ રાખો. આટલું વાક્ય બહુ હેલ્પફુલ છે. નથી હેલ્પફુલ ? અજાયબીઓ દાદાવાણીતી ! પ્રશ્નકર્તા: હા, બરોબર છે. પણ ઘણીવાર દાદા આપના એક્કેક્ટ શબ્દો નીકળે છે. જે ગીતામાં લખ્યા હોય કે ભાગવતુમાં લખ્યા હોય, એ બરોબર નીકળે છે. દાદાશ્રી : હા, એક્ઝક્ટ જ નીકળે. પ્રશ્નકર્તા: તે વખતે એમ થાય કે તમે ક્યારે વાંચવા ગયા હતા ?! કોઈ મને કહે કે દાદાએ વાંચ્યું'તું તો હું માનું નહીં. દાદાશ્રી : ના, ના, આવું નહીં. બરોબર છે. અને વાંચેલામાં આ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy