SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ૪૮૫ ૪૮૬ પ્રતિક્રમણ જે જે દોષ થયા હોય, એ ઉપયોગમાં રહે અને પેલું ચોખ્ખું થતું જાય. એવાં ઘણાં કામ હોય છે આપણે, એને શુદ્ધ ઉપયોગ રહ્યો કહેવાય. આ સગાંવહાલાં શેનાં થઈ પડ્યાં છે ? પાછલાં બધાં લટિયાં ગૂંથાયેલાં એટલે. આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે છૂટી ગયા. એને છૂટવું કે ના છુટવું એ એની મરજીની વાત છે. આપણે છૂટી ગયા ! છૂટનારને કોઈ બાંધનાર નથી. મહાવીર ઉપરેય લોકો પ્રેમ વરસાવે છે, તેથી કંઈ મહાવીર બંધાય નહીં. મહાવીર જો જાતે પ્રેમ વેરે તો બંધાય. એટલે લોક મને શું કહે છે કે, ‘સામો કશું કરશે તો મારું શું થશે ?” અલ્યા, સામાને જે કરવું હોય તે કરે, આપણે શું ? પુરુષ છે તેને સ્ત્રી માને તેને કંઈ આપણે ના કહેવાય ? ત્યારે એ કોર્ટમાં ફરિયાદ લઈને જાય તો તેને લો તમે ? એને ફાવે એવું કરે. એ સ્વતંત્ર છે. ના કરે ? પ્રશ્નકર્તા : કરે. આવે વિત, પ્રતિક્રમણમાં પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવામાં વિનો આવે, પ્રમાદ આવે, તેનું શું કારણ ? દાદાશ્રી : પ્રતિક્રમણમાં કોઈ વિઘ્ન જ ના આવે. પ્રશ્નકર્તા : દાદા, પ્રતિક્રમણ બરાબર થતું નથી. દાદાશ્રી : પ્રતિક્રમણ નથી થતું તેનું પ્રતિક્રમણ કરવું પડે. આજ્ઞામાં ના રહ્યા તેનું પ્રતિક્રમણ કરવું પડે. એટલે જોખમદારી ના રહી. આપણે ત્યાં શુદ્ધ વ્યવહાર એટલે શું ? પાંચ આજ્ઞામાં જ રહેવાનું તે. જેટલી પળાય તેટલી પાળવાની. બાકીનાનું પ્રતિક્રમણ કરી લેવું. શુદ્ધ ઉપયોગ ગોઠવો આ આત્માને ઉપયોગમાં રાખવો એટલે આત્મા કોઈ બીજી વસ્તુ નથી, જ્ઞાન-દર્શન છે. તે જ્ઞાન-દર્શનને ઉપયોગમાં રાખવાનું. શુદ્ધ જ્ઞાનદર્શન કોને કહેવાય ? રાગ-દ્વેષ વગરનું જ્ઞાન-દર્શન એ શુદ્ધ જ્ઞાન-દર્શન અને આ જગતની પાસે જે જ્ઞાન-દર્શન છે એ રાગ-દ્વેષવાળું છે, અશુદ્ધ છે. કેવું છે ? પ્રશ્નકર્તા : અશુદ્ધ છે. દાદાશ્રી : રાગ-દ્વેષ સહિત છે અને રાગ-દ્વેષ રહિત છે તે શુદ્ધ જ્ઞાન કહેવાય. એ શુદ્ધ જ્ઞાનથી કોઈ પણ જાતનો શુદ્ધ ઉપયોગ થાય. ના હોય તો બેઠા બેઠા આમ શુદ્ધ ઉપયોગમાં જોયા કરીએ તોય ચાલે. આમ રસ્તામાંય છે તો ચાલે. અને કશુંય ના હોય તો ઘરમાં બેઠા બેઠા એનાં પ્રતિક્રમણો કર્યા કરીએ. આ ગયા અવતારથી કેટલાય અવતારનું બધું આ જોઈન્ટ થયેલું છે ને ? તે પ્રતિક્રમણનો અડધો કલાક કાઢીએ તોય બધું નીકળી જાય. ઘરમાં દરેકેદરેક માણસનું નામ લઈ અને પ્રતિક્રમણ કર્યા કરીએ. આ ભવમાં થયેલાં ને પહેલાં અનંત ભવના દાદાશ્રી : એનો કકળાટ આપણે ક્યાં કરવા જઈએ ? આપણે આપણું સંભાળી લેવું. એટલે ઘણાં કામ આપણે આ બધા ઉપયોગમાં મૂકવાં. અમથા જોયા કરીએ તોય ઉપયોગ હોય છે. શુદ્ધાત્મા થઈ ગયા એટલે કંઈ કામ પૂરું થતું નથી. શુદ્ધાત્મા કોનું નામ કહેવાય કે સામો ગાળો દે અને આપણને જો અશુદ્ધિ થાય તો તે શુદ્ધાત્મા ના કહેવાય. એનો શુદ્ધાત્મા દેખાવો જોઈએ તે ઘડીએ. ગાળો જે દે છે એ આપણું ઉદયકર્મ દે છે. એ વાજિંત્ર વાગી રહ્યું છે, ટેપરેકર્ડ વાગી રહી છે, પણ ઉદયકર્મ તો આપણું જ ને ? અને સામો શુદ્ધ જ છે એટલે પોતે સામાને શુદ્ધ જુએ. પોતાને શુદ્ધ જુએ એનું નામ શુદ્ધ ઉપયોગ ! જીવ માત્રને શુદ્ધ જુઓ એ શુદ્ધ ઉપયોગ કહેવાય. ભેદજ્ઞાત, અક્રમ થકી પ્રશ્નકર્તા : આ અક્રમની વિશેષતા એ છે કે, આત્મા અને અનાત્મા એ બન્ને ભેદવિજ્ઞાની પાસેથી જે છૂટાં પડી ગયેલાં છે, એ જ અક્રમની ઐશ્વર્યતા છે. જ્યારે ક્રમિકની અંદર તો ઠેઠ સુધી પેલાનું સાતત્ય હોય જ છે.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy