SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) મન માંડે મોંકાણ ત્યારે ૩૭૭ ૩૭૮ પ્રતિક્રમણ ભાવ નીકળે તો “એને' પ્રતિક્રમણ કરવાનું કહેવું. જ્યાં આગળ ડાઘ પડ્યા હોય તે ધોઈ નાખવાના, સાફ કરી નાખવાના. નવા ડાઘ નહીં પાડવાના, એનું નામ ‘સમભાવે નિકાલ'. સામાતા ભાવ બગડે ત્યાં પ્રશ્નકર્તા : ધારો કે આપણો કંઈ ભાવ ના બગડ્યો હોય, પણ સામાને વાતચીત કરતાં મોઢા પરથી રેખાઓ બદલાઈ ગઈ, આપણા માટે સામાનો ભાવ બગડ્યો, તો તેના માટે આપણે કયા પ્રકારનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવાનું. કારણ કે મારામાં શું દોષ રહ્યા છે કે આનો ભાવ બગડી જાય છે. ભાવ બગડી ના જવો જોઈએ. ભાવશુદ્ધિ જ રહેવી જોઈએ. પ્રશ્નકર્તા : આપણે બે જણા વાત કરતા હોઈએ ને એમાં ત્રીજી કોઈ વ્યક્તિ એકદમ આવી પડે, હવે એ તો કશું બોલી-ચાલી નથી, એમને એમ ઊભી છે, પણ એમાં તમારા ભાવ બગડ્યા, મોઢા પરની રેખાઓ બદલાઈ, તે જોઈ મને એમ થાય કે આ આમ કેમ ભાવ બગાડે છે ? તો તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ? આવે છે, એટલે શું ? કે નિમિત્તને બચકાં ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે અને તેને ધોઈ નાખે. પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઈ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને ? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું, ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે ને ? દાદાશ્રી : હા. એ ખરું, પણ અમુક બાબતમાં ચોખ્ખું થઈ ગયું હોય અને અમુક બાબતમાં ના થયું હોય, એ બધાં સ્ટેપિંગ છે. જયાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે. બહારતા સંજોગ હોય તો જ ફૂટે વિચારો મહીં પડેલી ગાંઠોમાંથી ફૂટે છે. “એવિડન્સ' (પુરાવો) ભેગો થાય કે વિચાર ફૂટે. નહીં તો આમ બ્રહ્મચારી જેવો દેખાતો હોય પણ રસ્તામાં સંયોગ ભેગો થયો કે વિષયના વિચાર આવે ! પ્રશ્નકર્તા : એ વિચારો આવે છે તે વાતાવરણમાંથીને ? સાંયોગિક પુરાવાના આધારે જ એના સંસ્કાર, એની સાથેના ભાઈબંધ, એ બધું જ સાથે મળે છેને ? દાદાશ્રી : હા, ‘એવિડન્સ' બહારનો મળવો જોઈએ. એના આધારે જ મનની ગાંઠો ફૂટે, નહીં તો ફૂટે નહીં. પ્રશ્નકર્તા : એ વિચારોને ઝીલવા માટે દોરનાર કોણ ? દાદાશ્રી : એ બધું કુદરતી જ છે. પણ તમારે જોડે જોડે સમજવું જોઈએ કે આ બુદ્ધિ ખોટી છે, ત્યારથી એ ગાંઠો છેદી નાખે. આ જગતમાં જ્ઞાન એકલો જ પ્રકાશ છે. આ મારું અહિતકારી છે, એવું મને સમજાય, એવું જ્ઞાન અને પ્રાપ્ત થાય, તો એ ગાંઠો છેદી નાખે. આપણે શુદ્ધાત્માનો ચોપડો ચોખ્ખો રાખવો. તે રાત્રે ચંદુભાઈને કહેવું કે જેનો જેનો દોષ દેખાયો હોય તેની જોડે ચોપડો ચોખ્ખો કરી નાખવો. મનના ભાવો બગડી જાય તો પ્રતિક્રમણથી બધું શુદ્ધિકરણ કરી દાદાશ્રી : આપણે સામાના ભાવ કેમ બગડ્યા, એમ તપાસ કરીએ છીએને એ ગુનો છે. એ ગુના બદલ આપણે પ્રતિક્રમણ કરવાનું. સામાનું જો મોઢું ચઢેલું દેખાયું તો તે તમારી ભૂલ. ત્યારે તેના ‘શુદ્ધાત્મા'ને સંભારીને એના નામની માફી માંગ માંગ કરી હોય તો ઋણાનુબંધમાંથી છૂટાય. ત્યારે થવાય વીતરાગ ના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વીતરાગ થવાશે. પ્રશ્નકર્તા : ચોખું મન એટલે શું ? દાદાશ્રી : ચોખ્ખું મન એટલે સામાને માટે ખરાબ વિચાર ના
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy